SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ સાંખ્યાએ કરેલી સત્કાયવાદની સ્થાપના એટલે હેતુ સિદ્ધ હોઈ તેનાથી પ્રધાનની સિદ્ધિ થતી નથી. વળી, બિચારા સાંખ્યોને સવ સર્વત્ર છે” આ ભ્રમ સત્કાર્યવાદમૂલક છે. તે ભ્રમને લીધે અન્વયને સિદ્ધ માની તેઓ પ્રધાનની સિદ્ધિ કરવા કૃતનિશ્ચય બન્યા છે. પરંતુ વિચાર કરતાં તે સકાયૅવાદ જ ઘટનો નથી તે પછી હેતુ સિદ્ધિ કયાંથી ? 92. નનું સરકાર્યવાહે વાતારામા મવતિ માવાનાં, નાથા | તથા हिं चतुष्टयी गतिरिह स्यात् । घटादिकार्य मृत्पिण्डादिना कारणेन क्रियमाणमपि सद्वा क्रियते, असद्वा, सदसद्वा, अनुभयं वेति । 92. સાંખ્ય – [ઉત્પત્તિ પૂર્વે કાર્ય કારણમાં અવ્યક્ત દશામાં હોય છે જ એવું અમે માનીએ છીએ એટલે અમને સરકાર્યવાદી તરીકે ઓળખવામાં આવે છે. અમારા] સકાય. વાદમાં જ વસ્તુઓને કાર્યકારણભાવ બને છે, અન્યથા બનતો નથી. તે આ પ્રમાણે – અહીં ચાર જ ગતિ છે : મૃપિંડ આદિથી ઉત્પન્ન કરાતુ ધટાદિ કાર્યો જે ઉત્પત્તિ પૂવે અસત્ હતું તેને ઉત્પન્ન કરાય છે, જે ઉત્પત્તિ પૂર્વે સત હતું તેને ઉત્પન્ન કરાય છે, જે ઉત્પત્તિ પૂર્વ સદસત્ હતું તેને ઉત્પન્ન કરાય છે કે જે ઉત્પત્તિ પૂર્વે અનુભયસ્વભાવ (અર્થાત ન સત ન અસત ) હતું તેને ઉત્પન્ન કરાય છે ? 93. तत्रासत: करणे खरविषाणादेरपि करणं स्यात् । असत्वे हि घटस्य खरविषाणस्य च को विशेषः ? घटस्यापि च प्रागभावप्रध्वंसाभावदशयोरसत्वाविशेषात् प्रागभावदशायामिव प्रध्वंसावस्थायामपि करणं भवेत् । असत्करणे नियतोपादानग्रहणं न प्राप्नोति । तैलार्थी हि तिलसर्षपानुपादत्ते, न सिकताः । असत्त्वे च तैलस्य को विशेषः सर्षपाणां सिकताभ्यः ? असति कार्ये निरालम्बनः कारकव्यापारो भवेत् , न ह्यसौ मृत्पिण्डादिविषयो भवितुमर्हति, कार्य चासत् । अपि चाविद्यमाने कारणव्यतिरिक्ते च कायें जन्ये कारणस्य मृत्पिण्डादेर्घटादिकार्य जनितवतः किमिति न स्वरूपमुपलभ्यते । 93. અસતને ઉત્પન્ન કરાય તો ખરશૃંગને પણ ઉ૫ન કરાય. અસત ધટની ખરશંગથી શી વિશેષતા છે? પ્રાગભાવ અને પ્રશ્વસાભાવની એ દશામાં પણ ઘટ સભાનપણે અસત હોવાથી જેમ પ્રાગભાવકશામાં ધટની ઉત્પત્તિ કરવામાં આવે તેમ પ્રવસદશામાં પણ ઘટની ઉત્પત્તિ કરવામાં આવે. ઉત્પત્તિ પૂવે જે અસત હોય તે કાર્યને ઉત્પન્ન કરવાનું હોય તો અમુક નિયત ઉપાદાનકરણને ગ્રહણ કરવાનું પ્રાપ્ત ન થાય. તૈલાથ તલ, સરસવને ગ્રહણ કરે છે, રેતીને ગ્રહણ કરેતો નથી. તૈલ જે ઉત્પત્તિ પૂર્વે અસત્ હોય તે સરસવને ગ્રહણ કરે કે રેતીને, એમાં ફરક પડે છે ? તથા જે ઉત્પત્તિ પહેલાં કાર્ય અસત હોય તે કારક વ્યાપારનું કોઈ આલંબન (= વિષય) નહિ રહે. કારણ કે કારવ્યાપારને વિષય બનવા મૃતિપડ આદિ યોગ્ય નથી અને જે યોગ્ય છે તે કાય” ( ધટ) તો અસત્ છે. વળી, અવિદ્યમાન (=ઉત્પત્તિપૂર્વે અસત ) અને કારણથી ભિન્ન કાર્ય ઉત્પાદ્ય હેય તે કારણે મૃપિંડ આદિનું સ્વરૂપ ધટ આદિ કાર્યો ઉત્પન્ન કરી દીધા પછી કેમ ઉપલબ્ધ થતું નથી ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy