SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાકરણેયયનની પ્રશંસા ૧૪૧ 268. ઉપરાંત, મનુએ પણ વ્યાકરણ ભણેલાને અને મીમાંસકને પિતાની સ્મૃતિમાં પંક્તિપાવન તરીકે ગણાવ્યા છે—જે વાણીને વ્યાકુવે છે અને જે અધ્વરની મીમાંસા કરે છે તે [પંકિત પાવને છે.”] પુષ્પદને પણ કહ્યું છે કે, દુર્ગાદેવીના શાપને કારણે હું શિવપુરની વસતીમાંથી ભ્રષ્ટ થ છું; હવે કમનસીબ એવા મારો ભાવિ જન્મ જે મલકલિલ અને શોકપૂર્ણ મટ્યલોકમાં થવાનું હોય તો દૂધની ધારા જેવી અમલ-મધુર અને સુધાના બિંદુ છે નિણંદ ધરાવતી વૈયાકરણની સ્નિગ્ધ વાણું જન્મતાની સાથે જ મારા કાનમાં પ્રવેશે એવી મારી ઇચ્છા છે. 269. gવું થાકારyrifમયોગગુઢમઢોમિક guતૈ: __ अक्लेशेन विचित्र वैदिकपदव्युत्पत्तिरासाद्यते । अन्यैरप्युपबंहिते दृढतरैरङ्गनिरुक्तादिभिः वेदे स्वार्थघियं वितन्वति कुतः प्रामाण्यभङ्गो भवेत् ।। 269. આ પ્રમાણે વ્યાકરણના અભ્યાસને કારણે જેમને પ્રૌઢ ઉકિતઓ સુલભ છે એવા પંડિત અકલેશે (= સહેલાઈથી ) વેદનાં જુદાં જુદાં રૂપવાળાં પદેને જાણવાની ક્ષમતા ધરાવે છે. બીજા નિરુકત આદિ દતર અંગો વડે ઉપઍહિત વેદમાં પંડિત પિતાની બુદ્ધિ લંબાવે છે તેમાં પ્રામાયને ભંગ કયાંથી થાય ? 27. ગરમાવનિરપેક્ષત્ર ન प्रत्ययो यदिह शब्दविद्यया । वैदिकार्थविषयो विधीयते तत् कुतस्त्यमितरेतराश्रयम् ।। आइतमस्खलितव्यवहारः भोगिमतश्रुतसङ्गिभिरायः । व्याकरणं कथमेतदनादि प्राकृतलक्षणसाम्यमुपेयात् ॥ [270. વ્યાકરણ વેદનું અંગ છે એ ભાવની અપેક્ષા વિના જ આપણને વ્યાકરણમાં વિશ્વાસ હોય તો પછી વ્યાકરણવિદ્યા વડે વૈદિક અર્થરૂપ વિજય આપણે જાણીએ તે એમાં સ્તરેતરાશ્રયદોષ ક્યાંથી આવે ? અખલિત વ્યવહારવાળા ( =શદ્ધશચારવાળા) અને પાતંજલ મહાભાષ્યના અધ્યયનમાં જોડાયેલા ( = લાગેલા ) ભતૃહરિ વગેરે આર્યોએ જેને આદર કર્યો છે તે આ અનાદિ વ્યાકરણ કેવી રીતે પ્રાકૃત વ્યાકરણની સાથે સમાનતા ( =સમકક્ષપણું ) પામે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004627
Book TitleNyayamanjari Part 5
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1992
Total Pages442
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy