SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ વાક્યા ભાવના છે એ મતનું ખંડન ૨૬૧ 227. ક્રમે ક્રમે વિકસનારે, સકલ અંગેથી પરિપૂરિત ભાવનાતત્ત્વને વિષય કરનારે અને અતિદીધ એવો આ એક જ પ્રતિભાસ છે. જેમ તપેલી ચૂલે ચડાવવાથી માંડી છેવટે બીજી કઈ ક્રિયાની અપેક્ષા ન રાખનારી ચડેલા ભાતની નિષ્પત્તિ સુધીની એક જ આ પાકક્રિયા છે જે અનેક નાની નાની ક્રિયાઓ જેવી કે તપેલીમાં આંધણ મૂકવું, ચેખા એરવા, ચમચાથી હલાવવુ, આસાવવું વગેરેના સમુદાયરૂપ સ્વભાવવાળી છે- તેમાં પ્રથમ પદના જ્ઞાનથી માંડી આકાંક્ષા રહિત વાક્યાથજ્ઞાન થાય ત્યાં સુધીની આ એક જ શાબ્દી પ્રમિતિ છે અને કહ્યું પણ છે કે પદથી માંડી જ્ઞાતાની આ જે પ્રજ્ઞા વિકસે છે તે પદાર્થોમાં પુષિત થઈ વાક્યર્થોમાં ફળે છે. વધુ વિસ્તાર રહેવા દઈએ 228. રોડઘે વાયા: મવિનાનામા: कर्तव्यापारः स्वर्गयागादिरथः । यस्तु व्यापारः प्रैषरूपो लिडादे र्वाच्यः कार्यो वा तं विधि सङ्गिरन्ते ॥ 228. આ વાક્યાથ ભાવના નામને છે, જે કર્તાને સ્વર્ગ, યાગ વગેરે વિષયક વ્યાપાર છે. પરંતુ લિડ આદિ શબ્દથી વાગ્ય અને જન્ય એવો જે પૈષરૂપ ( = પ્રેરણારૂપ) વ્યાપાર છે તેને વિધિ ( = શબ્દભાવના ) કહેવામાં આવે છે. 229. તદ્નનુમન્યમાના બળે ક્ષત્તેિ–ચોડલી રાબ્દમાવનાથ: વ્યાપાર: शब्दस्य कार्योऽभिधेयश्च, तमभिदधतः कुर्वतो वा शब्दस्य व्यापारान्तरमस्ति न वा ? यदि तावनास्ति, तदेष व्यापारान्तरनिरपेक्षस्वव्यापारमिवार्थमपि वदतु, विश्राम्यतु व्यापारकल्पना । अस्ति चेदस्य तदभिधाने व्यापारान्तरं, तदाऽनवस्थाप्रतीकारः कश्चिदन्वेष्यः, न चासो दूरादपि लभ्यते । भूतपरिस्पन्दव्यतिरिक्तव्यापार निरासश्च प्रमाणसामान्यलक्षणे विस्तरेण कृत इत्यसौ मार्ग इहाप्यनुसरणीयः । 229. આને ન સ્વીકારનાર બીજાઓ કહે છે' શબ્દભાવના નામનો આ જે શબ્દ વ્યાપાર શબ્દનું કાર્ય (effect) પણ છે અને અભિધેય પણ છે, તે શબ્દવ્યાપારને પેદા કરતા કે અભિહિત કરતા શબ્દને બીજો કોઈ વ્યાપાર છે કે નહિ? જે કહે કે નથી તે જેમ શબ્દ વ્યાપારાન્તરની અપેક્ષા રાખ્યા વિના સ્વવ્યાપારનું અભિધાન કરે છે તેમ અથનું પણ સ્વવ્યાપારની અપેક્ષા રાખ્યા વિના અભિધાન કરે, વ્યાપારની કલ્પનાથી અટકો. અને જે સ્વવ્યાપારનું અભિધાન કરવા વ્યાપારાન્તરની અપેક્ષા શબ્દ રાખતા હોય તે અનવસ્થા ૧. આ વિધિવાયાર્થવાદીઓ છે. વિધિ = શબ્દનો પ્રેરણું નામને વ્યાપાર = શબ્દભાવના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy