SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયાપ્રાધાન્યવાદી અને ફળપ્રાધાન્યવાદી વચ્ચે વિવાદ ૨૩ ૧ 183 ક્રિયાપ્રાધાન્યવાદી – જેમ જાતિવાદી વ્યક્તિની પ્રતીતિને પ્રતિષેધ નથી કરતા તેમ તમે પણ ક્રિયાકારકસંબંધને પ્રતિષેધ નથી કરતા. પરંતુ ક્રિયાકારકસંબંધ ઉત્તરકાલીન છે એમ માનવામાં શું પ્રમાણ છે ? ફળપ્રાધાન્યવાદી - અમે અહીં કહ્યું છે કે યોગકર્મના સાધન તરીકે અનુપાદેય ( ગ્રહણ કરવા યોગ્ય ન હોય એવા) વિશેષણથી વિશિષ્ટ પુરુષને નિદેશ હોવાથી. [ યોગકર્મના સાધન તરીકે જેને ગ્રહણ કરવું યોગ્ય હોય તેનાથી વિશિષ્ટ કર્તા હોય છે. પરંતુ યાગકર્મના સાધન તરીકે જેને પ્રહણું કરવું યોગ્ય ન હોય તેનાથી વિશિષ્ટ અધિકારી હોય છે. પ્રથમનું ઉદાહરણ ‘હિતોળીબાર પ્રક્વરત્તિ છે જ્યારે બીજાનું ઉદાહરણ “વાવ શીવં જુદુત્ત' છે. લેહિતેચ્છુષોને યાગના સાધન તરીકે ગ્રહણ કરવા યોગ્ય છે, તેથી તેમનાથી વિશિષ્ટ પુરુ કર્તા કહેવાય, અધિકારી ન કહેવાય. એથી ઊલટું જીવનને પુરુષપ્રયત્નથી યાગના સાધન તરીકે ગ્રહણ કરવું શકય નથી, તે તો સ્વતઃ સિદ્ધ છે, તેથી અહીં તેનાથી વિશિષ્ટ પુરુષ અધિકારી કહેવાય. યોગના સાધન તરીકે સ્વર્ગને ગ્રહણ કરવું એગ્ય નથી, એટલે સ્વર્ગની ઇચ્છાને પણ યાગના સાધન તરીકે ગ્રહની યોગ્ય નથી. પરિણામે સ્વગકામનાથી વિશિષ્ટ પુરુષ અધિકારી છે ] કારકત્વને અનુકુળ વિશેષણ ધરાવનાર પુરુષને કર્તાતા સાથે સંબંધ હોય છે. એનાથી ઊલટું હોય ત્યારે પુરુષને અધિકારિતા સાથે યોગ્ય સંબંધ હોય છે. [ વિશેષણ સાથે સંબંધ હોતાં વિશેષણથી વિશિષ્ટ પુરુષ કર્તા બને છે. હવે વિશેષણ ઉપાદેય હોય તો જ તે વિશેષણને પુરુષ સાથે સંબંધ થાય; લહિત ઉષ્ણ ઉપાદેય હોવાથી લોહિત ઉષ્ણુને પુરુષો સાથે સંબધ થાય છે. લોહિત ઉષ્ણુથી વિશિષ્ટ પુરુષ બને છે. હવે જે વિશેષણમાં ઉપાદેયત્વ જ ન હોય તો વિશેષણવિશેષ્યત્વ સંબંધ જ ન થાય, પરિણામે વિશેષણથી વિશિષ્ટ કર્તાને પણ અભાવ પ્રાપ્ત થાય. તેથી, જે વિશેષણ અનુપાદેય છે તે વિશેષણુ કારત્વને અનુકૂળ નથી. ] તેથી, કર્મમાં જે અધિકૃત હોય છે તેનામાં કર્મનું કર્તવ પણ હોય છે, પરંતુ કમને જે કર્તા હોય છે તેને કર્મમાં અધિકાર હોય છે જ એવું નથી. આ પ્રમાણે સ્વર્ગકામ પુરુષનું અધિકૃતત્વ ( = અધિકારી પણું ) સિદ્ધ થાય છે. જે તે કર્મ સ્વર્ગો માટે હેય તે સ્વર્ગ મારું ભાગ્ય બને; હું કેવી રીતે સ્વર્ગ પામું ?” –– આમ સાધ્ય તરીકે સ્વર્ગને ઈચ્છતો પુરુષ સ્વર્ગકામ કહેવાય છે. જે તે કમ સ્વર્ગનું સાધન ન હોય તો આ વિરોધ આવી પડે છે--અછા કરે છે સ્વર્ગની અને કરે છે યાગ; અન્યને ઈચ્છે છે અને અન્યને કરે છે એમ થાય. તેથી કામ્યમાન (સ્વગ)ના સાધન તરીકે યાગકમને સ્વીકાર ન કરનાર સ્વર્ગકામ પુરૂષ યાગમને અધિકારી નથી અને જે અધિકારી ન હોય તેને તે કર્મમાં સબંધ ન થાય આમ સ્વર્ગકામ પુરુષને અધિકૃત તરીકે ( = અધિકારી તરીકે તે યાગકર્મ સાથે સંબંધ હોઈ અને સ્વર્ગ અને યોગકર્મની વચ્ચેના સાયસાધનભાવના જ્ઞાન વિના તેને અધિકારી તરીકે નિર્વાહ સંભવ ન હોઈ, ક્રિયા ( = યાગકર્મ) અવશ્યપણે સાધન છે અને સ્વર્ગ સાધ્ય છે એમ સ્વીકારવું જોઈએ. તેથી ફળને અનુલક્ષી ક્રિયા ગૌણ હેઈ, તેનું પ્રાધાન્ય નથી, અને અપ્રાધાન્યને કારણે ક્રિયા વાક્યર્થ નથી એટલે જ કહ્યું છે કે કમ પણ ફળ માટે હેવાથી તે (કર્મો ) પણ ગૌણ છે એમ જૈમિનિ આચાર્ય માને છે.” (જેમિનિસત્ર ૩.૧.૪) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy