SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ તદ્દત વાગ્યાથ છે એ નૈયાયિક પક્ષ - 148 પદે અન્વિત અથનું અભિધાન કરે છે એમ જે માને છે તેણે તે વધુ ભાર દઈને કહેવું જોઈએ કે પદ દ્વારા થતું જ્ઞાન વ્યકિતનું જ્ઞાન કરાવીને જ અટકે છે. વ્યકિતરહિત શુદ્ધ જાતિઓને એકબીજા સાથે અન્વય હોતો નથી અને અન્વિત ન હોય તેમનું અભિધાન થતું નથી એ સ્થિતિ છે. જેમ 'ગંગામાં ઘો છે' વગેરેમાં સામીલક્ષણું જ્ઞાત થાય છે તેમ “ગાય શુકલ છે' વગેરેમાં વ્યકિતલક્ષાણુ જ્ઞાત થતી નથી, (અથોત જેમ ‘ગ ગામોના લક્ષણથી “ગંગાસમીપ’ એ ગૌણ અર્થ પ્રાપ્ત થાય છે તેમ “ગાયને લક્ષણથી વ્યક્તિ એ ગૌણ અર્થ પ્રાપ્ત થતો નથી.) શબ્દપ્રયોગ અને જ્ઞાન એ બે ધારા વૃદ્ધા પાસેથી શબ્દના અર્થને નિશ્ચય કરીએ છીએ. તેથી, ગાય વગેરે શબ્દોને અર્થ તદાનું છે એ પુરવાર થયું. 149. તરિદ્રમુક્ત સૂત્રતા જાતિનાતવસ્તુ પાર્થ ત [ન્યાયसूत्र २.२.६८] । 'तु' शब्दो विशेषणार्थः । किं विशिष्यते ? गुणप्रधानभावस्यानियमेन शब्दार्थत्वम् । स्थितेऽपि तद्वतो वाच्यत्वे कचित्प्रयोगे जातेः प्राधान्यं, व्यक्तेरङ्गभावः, यथा 'गौर्न पदा स्प्रष्टव्या' इति सर्वगवीषु प्रतिषेधो गम्यते, क्वचिद्वयक्तेः प्राधान्यं जातेरङ्गभावः, यथा 'गां मुञ्च' गां बधान' इति नियतां काञ्चिद्व्यक्ति'मुद्दिश्य प्रयुज्यते, कचिदाकृतेः प्राधान्यं व्यक्तेरङ्गभावो जाति स्त्येव, यथा 'पिष्टमय्यो गावः क्रियन्ताम्' इति सन्निवेशचिकीर्षया प्रयोग इति । सर्वसर्वगतत्वेऽपि जातेन मृद्गवादी वृत्तिरित्युक्तम् । तदेवं गवाश्वादिशब्दानां तावत् तद्वानर्थ इति सिद्धम् । येषामर्थेषु सामान्यं न सम्भवति तैः पुनः । उच्यते केवला व्यक्तिराकाशादिपदैरिव ॥ एवं डित्थादिशब्दानां संज्ञात्वविदितात्मनाम् । अभिधेयस्य सामान्यशून्यत्वाद् व्यक्तिवाचिता ।। अत एव हि द्रव्यशब्दा इत्युच्यते । 149. એટલે જ સૂત્રકાર ગૌતમે કહ્યું છે કે “ત્તિ-આકૃતિ-જ્ઞાતવસ્તુ પાર્થ” (વ્યક્તિ, આકૃતિ અને જાતિ પદાર્થ છે.) સૂત્રગત તુ’ શબ્દ વિશેષણના અર્થમાં વપરાય છે, (અર્થાત તે વિશેષતાદર્શક પદ છે) તે શી વિશેષતા દર્શાવે છે ? શબ્દાર્થના ઘટકની અનિયતપણે ગુણ-પ્રધાન હેવારૂપ વિશેષતા તે દર્શાવે છે. તદ્દત વાચ્યા છે એ સ્થિર થયું છે ત્યારે ક્યારેક શબ્દપ્રયોગમાં જાતિનું પ્રાધાન્ય હોય છે અને વ્યકિત ગૌણ હોય છે. જેમકે “ગાયને પગ વડે સ્પર્શવું જોઈએ નહિ' એ વાકયમાં બધી ગાયોને અનુલક્ષી પ્રતિષેધ સમજાય છે; કયારેક વ્યકિતનું પ્રાધાન્ય હોય છે અને જાતિ ગૌણ હેય છે, જેમકે “ગાયને બાંધ” “ગાયને છેડ’ એ વાકયમાં નિયત કઈક ગાય વ્યકિતને ઉદ્દેશીને “ગાય”શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે; કયારેક આકૃતિનું પ્રાધાન્ય હોય છે, વ્યકિત ગૌણ હેય છે અને જાતિ તો હતી જ નથી, જેમકે લેટની ગાય બના' એ વાકયમાં સન્નિવેશ (= રચના ) કરવાની ઈચ્છાથી “ગાય” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy