SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ વ્યકિત વાસ્વાર્થ છે એ પક્ષનું મીમાંસકે કરેલું ખંડન पदं वर्तते, न च प्रत्यक्षस्य सामान्यमानं विषय इति परिहृतं तद्वार्तिककृता । प्रत्यक्षस्य हि चित्रात्मकं वस्तु विषयः । न च तत्तादृशं किञ्चित् शब्दः शक्नोति भाषितुम् । આ સામાન્યજ્ઞાનાપોદ્રા પટું સર્વ પ્રવર્તતે છે રૂતિ [ો.વા.વાતિ. ૬૪] न हि नानाधर्मनिचयखचितचित्राकारवस्तुसमर्पणनिपुणमेकं किमपि पदमुपपद्यते । न च तत्र सम्बन्धग्रहणं सुकरमिति सामान्यांशनिष्ठमेव पदं युक्तम् । तस्माज्जातिरेव સાથે તિ | 131વ્યકિતવાચ્યાર્થવાદી- વેદીનું સદશ્ય નવ્યકિત સાથે બનશે, (શ્યનજાતિ સાથે નહિ). - | મીમાંસક- વેદીનું સદશ્ય ચેનવ્યકિત સાથે નહિ બની શકે, કારણ કે અન્ય ચેનવ્યક્તિ સાથે તેનું =વેદીનુ) વૈસાદશ્ય પણ સંભવે છે. જે એક યેન વ્યકિત સાથે સદશ છે તે અન્ય યેન વ્યતિથી વિસદશ પણ છે. વળી, અમૂર્ત હેઈ, જાતિ ક્રિયાનું સાધન નથી એમ તમે કહ્યું છે; પરંતુ તે દેબ પણ નથી કારણ કે અમૂર્ત ગુણે અને કર્મોમાં પણ સાધનપણું ઘટે છે, જેમ કે અરુણ ગાય) વડે સમ) ખરીદે છે' પ્રદક્ષિણ કરતો તે આહુતિ આપે છે'. આલંભન, વિશસન, પ્રોક્ષણ વગેરે કરવાના આદેશમાં જાતિનું સાધનપણું વ્યકિતના આક્ષેપ દ્વારા ઘશે. જેમ ભૂતેન્દ્રિયથી ઉત્પાઘ કમ આત્મા વડે ઉત્પાદ્ય કહેવાય છે તેમ જાતિથી લક્ષિત (=આલિપ્ત વ્યકિત વડે સાધ્ય કાર્ય જાતિ વડે સાધ્ય મનાયું છે. આત્મા બધાં કર્મોનાં ફળ ભેગવે છે અને તે બધાં કર્મોને કર્તા છે. તે અમૂર્ત હોવાથી દેહ અને ઇન્દ્રિયો દ્વારા ઉદુબરનાં લાકડાં બરાબર સાફ કરતો, વજ્ઞમાં હોમવાના ઘીને બરાબર તપાસતો અને આવાં બીજાં કાર્યો કરતો તે યજ્ઞકર્મને કર્તા બને છે. એવી જ રીતે વ્યકિત દ્વારા કાર્ય પાર પાડતી જાતિ પણ કાર્યનું સાધનપણું પામે છે અને તેથી જાતિ જ ક્રિયાનું સાધન છે એમ મીમાંસકેએ કહ્યું છે; જેમ આત્માનું ‘તૃત્વ અન્ય દ્વારા છે તેમ જાતિનું આ ક્રિયા સાધનપણું અન્ય =વ્યકિત) દ્વારા છે. એવી જ રીતે, “છ આપવી અને અન્ય તેના જેવા રંગવાળાને કાપવું એ પણ વ્યક્તિ મારફત જ (જાતિમાં) ઘટાવવું. આનાથી ઉપચયાપચય, સંધાત વગેરેને પણ ખુલાસે થઈ જાય છે. ઉપરાંત, વ્યાપ્તિસંબંધગ્રહણ, શબ્દાર્થ સંબંધગ્રહણ વગેરે પણ જાતિપામાં જ સહેલાઈથી ઘટે છે, કારણ કે એમાં આનન્યદોષ, વ્યભિચારદોષ વગેરેને કોઈ અવકાશ નથી. વળી, જે કહેવામાં આવ્યું કે પદ પ્રત્યક્ષના વિષયમાં જ પ્રવર્તે છે અને સામાન્ય માત્ર તે પ્રત્યક્ષને વિષય નથી તેને પરિહાર શ્લેકવાર્તિકકારે કર્યો છે. પ્રત્યક્ષને વિષય (જાતિ, ગુણ, કર્મ વગેરે ધરાવતી) શબલ વસ્તુ છે અને તેવી શબલ વસ્તુને કહેવા માટે શબ્દ જરાય શકિતમાન નથી. તેથી સામાન્ય અંશને જુદા તારવીને તેમનામાં સર્વ પદ પ્રવર્તે છે (શ્લેકવાર્તિક આકૃતિ ૬૪). અનેક ધર્મોના સમુદાયથી ખચિત શબલ વસ્તુને જણાવવામાં કોઈ પણ પદ નિપુણ હોય એ ઘટતુ નથી અને તેવી શબલ વસ્તુમાં સબંધગ્રહણુ સુકર નથી. એટલે સામાન્યશનિષ્ઠ જ પદ ઉચિત છે. તેથી જાતિ જ શબ્દાર્થ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy