SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ સામાન્ય-વિશેષ બે રૂપે એક વસ્તુમાં ઘટે છે નથી રજતજ્ઞાનના બાધથી શુકિતનું જ્ઞાન થાય છે તેમ અહીં એક રૂપના જ્ઞાનના બાધથી બીજા રૂપનું જ્ઞાન થતું નથી. ત્યાં વિરોધ હોય છે ત્યાં બેમાંથી એક રૂપને દબાવી બીજુ રૂપ જ્ઞાનને વિષય બને છે પણ અહી: એવું નથી એટલે વિરોધાથ કયે છે ? તડકે અને છાયા પણ એક સ્થાને જે દેખાય છે તે શું શેનાથી વિરુદ્ધ કહેવાય ? બૌદ્ધ- [બે રૂપો] એકત્ર દેખાતા નથી એ કારણે વિરુદ્ધ કહેવાયા છે. યાયિક- એ પ્રકારનું એકત્રદર્શન અહીં નથી, એટલે અવિરોધ છે. એટલે જ અહીં બેમાંથી એક બુદ્ધિ મિથ્યાત્વ અર્થાત બાધ પામતી નથી, કારણ કે પરસ્પર ઉપમ દ્વારા બે બુદ્ધિઓનું દેવું સંભવે નહીં. [અહીં બે બુદ્ધિઓ - સામાન્યની બુદ્ધિ અને વિશેની બુદ્ધિ – છે. એક બુદ્ધિ બીજી બુદ્ધિને દબાવતી નથી. અર્થાત એક બુદ્ધિ બીજી બુદ્ધિનો: બાધ કરતી નથી. જે એક બીજી બાધ કરતી હેત તે બે બુદ્ધિએ શક્ય બનતું નહિ. અને કુમારિક ભટ્ટે કહ્યું છે કે “જેમ ચિત્રરૂપમાંથી યથેષ્ટ વર્ણને તારવી જ કરી તેને નિશ્ચય કરીએ છીએ તેમ વસ્તુની બાબતમાં પણ તે સામાન્ય, વિશેષ વગેરે] અનેક રૂપે ધરાવતી હોઈ ભેદભેદને નિશ્ચય કરાય છે. (અર્થાત્ વસ્તુમાં બે રૂપ હોય તો બે રૂપ હોવા છતાં તે બેમાંથી ઈષ્ટ રૂપને જુદું તારવી તેનું ગ્રહણ કરીએ છીએ. આમ વસ્તુને તે બે રૂપથી ભેદ પણ છે અને અભેદ પણ છે–જ્યારે તેમને જુદા તારવી ગ્રહીએ ત્યારે ભેદ અન્યથા અભેદ. આ રીતે વિરોઘથી ભેદભેદને નિશ્ચય થતો હોવાથી ભરપક્ષની ઉભયાભક્તા (=સામાન્યવિશેષાત્મક્તા) હે 85. एतत्तु वृत्तिविकल्पादिभ्यो बिभ्यतेवाभ्युपगतं तत्रभवतेति तिष्ठतु तावत् किमत्र विमर्दैन । व्यतिरिक्तैव जातिः व्यक्तिषु वर्तते इति ब्रूमः - यच्च वृत्तिविकल्पादिदूषणं तत्र वर्णितम् । तत् प्रत्यक्षमहिम्नैव सर्व प्रतिहतं भवेत् ॥ 85. વ્યક્તિમાં સામાન્ય કૃત્નપણે રહે છે કે એકદેશપણે રહે છે એ વિકલ્પથી અને એવી બીજી દલીલોથી ભયભીત બનીને પૂજ્ય કુમારિલ ભટ્ટે આ ભેદ લંદનું તૂત સ્વીકાર્યું છે, ભલે તે તૂત રહે, અહીં તેનું ખંડન કરવાથી શું ? વ્યક્તિથી ભિન્ન જ એવી જાતિ વ્યક્તિઓમાં રહે છે એમ અમે કહીએ છીએ અને જે વૃત્તિવિકલ્પ વગેરે દૂષણે ત્યાં જણાવ્યા છે તે બધા પ્રત્યહાના મહિમાથી પ્રતિહત થઈ જશે. 86. यत्तावदवादि भेदेन कुवलयामलकादिवदनवभासनादिति, तत्र प्रतीतिभेदो दार्शत एव । यत्तु देशभेदेनाग्रहणात् तदग्रहे तबुद्ध्यभावादिति, तत्र तदाश्रितत्वं कारणं जातेः, न त्वसत्त्वम् । व्यक्तिवृत्तित्वाज्जातेः पृथग्देशतयाऽनुपलम्भः, तदग्रहे तवग्रहो वा, न पुनस्तदतिरिक्ताया अभावादेवेति । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy