SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ કઈ પ્રમાણથી જાતિ પુરવાર થતી નથી એ બૌદ્ધ મત ૧૪૭ શશશૃંગની જેમ અવિદ્યમાન છે, પરિણામે પદને અર્થ તદાન કેવી રીતે બનશે ? ઇન્દ્રિયજન્ય જ્ઞાન સામાન્યનું ગ્રહણ કરી શકે નહિ કારણ કે તેને વ્યાપાર તો જે પૂર્વાપરમાં અનુસ્મૃત નથી એવા સ્વલક્ષણમાત્રને ગ્રહણ કરવામાં પૂરો થઈ જાય છે. [અમારે તે વસ્તુ ક્ષણિક અને નિરન્વયવિનાશી છે. તેનું અસ્તિત્વ કેવળ એક ક્ષણમાં સીમિત છે. પૂર્વ અને ઉત્તર ક્ષણે એ તેનું અસ્તિત્વ નથી. પરિણામે અનેક અવસ્થાઓમાં એકધારું ટકતું એવું કે દ્રવ્યરૂપ સામાન્ય નથી. આવી ક્ષણિક અને નિરન્વયવિનાશી વસ્તુને અમે બૌદ્ધો સ્વલણ કહીએ છીએ.] [અનેકમાં] સમાનપણે રહેવું એ સામાન્યનુ' પેતાનું શરીર અર્થાત રૂપ છે. જે બીજા ઉપર આધાર રાખ્યા વિના સાક્ષાત પેતાના વિષયને ગ્રહણ કરે છે તે ઇન્દ્રિયજન્ય જ્ઞાન સાપેક્ષને અર્થાત વ્યક્તિના જ્ઞાન દ્વારા જણાતા સામાન્યને કેવી રીતે પશે ? અકલન કરવામાં આવેલી સમાન વસ્તુઓમાં સામાનવના છેવા રૂપ સાધારણ રૂપને અવધારીને સામાન્યનું ગ્રહણું થતું હોઈ સામાન્યના સ્વરૂપનું ગ્રહણ સાપેક્ષ છે. ચક્ષુરિન્દ્રિય સાથે સંપર્કમાં આવતાં સૌપ્રથમ જે જ્ઞાન થાય છે તે પૂર્વોપરાનુસંધાનરહિત હોય છે, સ્વતંત્ર અર્થાત્ બીજા જ્ઞાનની અપેક્ષા ન રાખના') હોય છે; તે કેવી રીતે સામાન્યને ગ્રહણ કરવા શકિતમાન બને ? તેના પછી તરત જ ઉદ્ભવતા વિકપ (=સવિકલ્પક પ્રત્યક્ષે તે સ્વભાવથી જ વસ્તુને સ્પર્શવાના કૌશલ રહિત સ્વભાવવાળા છે. એટલે તેમના વડે ગ્રહીત સામાન્યનું પરમાર્થ સત્વ ઘટતું નથી. વળી. અનુમાન કે શબ્દ સામાન્ય સ્વરૂપનું વાસ્તવપણું સ્થાપવા સમર્થ નથી, કારણ કે શબ્દ અને અનુમાનને વિષય વિકઃખ (અર્થાત્ જે કેટિને સવિકલ્પક પ્રત્યક્ષને વિષય છે તે જ કેટિન) હોઈ, તેઓ વસ્તુને ગ્રહણ કરે એ અસંભવ છે. તેમના દ્વારા વસ્તુપ્રાપ્તિનો વ્યવહાર તે બીજી રીતે સમજાવીશું. 8. अतश्च न व्यक्तिव्यतिरिक्तं सामान्यं, भेदेनानुपलम्भात् । तथा हि, कुवलयामलकबिल्वादीनि करतलवर्तीनि पृथगवलोक्यन्ते, न जातिव्यक्ती इति न તયોગેંદ્ર | 8. તેથી, વ્યકિતથી જુદુ સામાન્ય નથી કારણ કે વ્યકિતથી જુદુ સામાન્ય દેખાતું નથી, હાથમાં રહેલા વલય, આમળું, બીલું વગેરે જુદાં જુદાં દેખાય છે [એટલે તેઓ એકબીજાથી જુદાં છે, પરંતુ જાતિ અને વ્યકિત જુદાં જુદાં દેખાતાં નથી એટલે તેઓ જુદાં નથી. 9. देशभेदस्य चाग्रहणाद्यत् । यत् खलु यतोऽतिरिक्तं तत् तदधिष्ठितदेशव्यतिरिक्तदेशाधिष्ठानमवधार्यते घटादिव पटः । न चैवं जातिव्यक्ती इति न तयोर्भेदः । 9. તેઓ જુદી જુદી જગ્યામાં ગૃહીત થતાં ન હોવાથી જુદાં નથી. જેનાથી જે જુદુ હોય તે, તે જે દેશમાં હોય તે દેશથી જુદા દેશમાં જ હોય એવો નિશ્ચય છે; જેમકે ઘટથી પટ જુદે છે એટલે ઘટ જે જગાએ હોય તેનાથી જુદી જગાએ પટ હોય છે. એવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy