SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જાતિનું વ્યક્તિમાં રહેવું કઈ રીતે ઘટતું નથી એ બૌદ્ધ મત રીતે જાતિ અને વ્યકિત જુદા જુદા દેશમાં ગૃહીત થતાં નથી, એટલે તેઓ જુદાં નથી (અર્થાત્ સામાન્ય વ્યક્તિથી જુદુ નથી). 10. अतश्चैवं तदग्रहे तबुद्धयभावात् । यद्धि यतो व्यतिरिक्तं तत् तस्मिन्नगृह्यमाणेऽपि गृहयते, घटादिव पटः । न च व्यक्तावनुपलभ्यमानायां जातिरुपलभ्यते । तस्मान्न ततोऽसौ भिद्यते । 10. વળી, એકનું ગ્રહણ ન હોતાં બીજાનું જ્ઞાન પણ થતું ન હોવાથી તેઓ જુદાં નથી], કારણ કે જે જેનાથી જુદુ હોય તે, તેનું ગ્રહણ ન થવા છતાં ગૃહીત થાય છે, જેમકે ધટથી જુદા પટ. પરંતુ વ્યક્તિનું ગ્રહણ ન થયું હોય ત્યારે જાતિ ગૃહીત થતી નથી. તેથી જાતિ વ્યક્તિથી જુદી નથી. 11. तद्वृत्तित्वात् सामान्यस्य तदग्रहे तदनुपलब्धिरिति चेत्, न, वृत्त्यनुपपत्तेः । किं प्रतिपिण्डं कार्येन वर्तते जातिरुतैकदेशेनेति द्वयमपि चानुपपन्नम् पिण्डे सामान्यमेकत्र यदि कात्स्न्येन वर्तते । तत्रैवास्य समाप्तत्वान्न स्यात्पिण्डान्तरे ग्रहः ।। एकदेशेन वृत्तौ तु गोवजातिर्न कुत्रचित् । समग्राऽस्तीति गोबुद्रिः प्रतिपिण्डं कथं भवेत् ।। जातेश्च निरवयवत्वान्न केचिदेकदेशाः सन्ति, यैरेषा प्रतिपिण्डं वर्तते । न चैकत्र पिण्डे समाप्त्या वर्तमाना पिण्डान्तरे समाप्त्यैव वर्तितुमर्हति, समाप्तस्य. पुनरुत्पत्तिं विना समाप्त्यन्तरानुपपतेः । तथाभूतस्य च वृत्तिप्रकारस्य क्वचिदप्यदर्शनात् । 11. સામાન્ય વ્યકિતમાં રહેતું હોઈ વ્યકિતનું ગ્રહણ ન થયું હોય ત્યારે સામાન્યનું ગ્રહણ થતું નથી એમ જે તમે તૈયાયિકે કહેતા હો તો તે યોગ્ય નથી, કારણ કે સામાન્યનું વ્યકિતમાં રહેવું જ ઘટતું નથી. શું તે વ્યકિતમાં સમગ્રપણે રહે છે કે અંશતઃ રહે છે ? બને. વિક ઘટતા નથી. જે તે એક વ્યકિતમાં સમગ્રપણે રહેતું હોય તો તેમાં જ તે સમાપ્ત થઈ જશે અને પરિણામે અન્ય વ્યકિતમાં તેનું ગ્રહણ નહિ થાય. જે તે અંશતઃ રહેતું હોય તે સ્વસામાન્ય કેઈપણ વ્યક્તિમાં સમગ્રપણે નહિ મળે અને તે પછી પ્રત્યેક ગોવ્યકિતની બાબતમાં બુદ્ધિ કેવી રીતે જન્મશે ? વળી, સામાન્ય નિરંશ હોઈ તેને કઈ અશ તો છે નહિ કે જે અંશે વડે તે પ્રત્યેક વ્યકિતમાં અંશતઃ રહે. એક વ્યકિતમાં સમાં. શત્ર ર" સામાન્ય બીજી વ્યક્તિમાં સમાપ્ત થઈ ને રહી શકે નહિ, કારણ કે જે સમાપ્ત થઈ ગયેલ હોય તેની બીજી સમાપ્તિ પુનઃ ઉત્પત્તિ વિના ઘટે નહીં. આ જાતનું રહેવું તે કહી પણ દેખ્યું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004626
Book TitleNyayamanjari Part 4
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1989
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy