SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ પ૪ પ્રામાય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર અને બીજી બાજુ જ્ઞાનનું પ્રામાણ્ય સ્વતઃ માને છે. આમ તે પિતાને જ છેતરે છે એનું તેને ભાન નથી. અભ્યાસને અર્થ છે એકની એક ક્રિયાને વારંવાર કરવી તે. વિષયની અભ્યસ્તતા એટલે એકના એક વિષયને પ્રાપ્ત કરવા માટે વારંવાર કરવામાં આવતી પ્રવૃત્તિ. અને તેથી જ પોતાના શરીરના જ્ઞાનની બાબતમાં, પોતાના ઘરનાં ભીંત, થાંભલા વગેરેના જ્ઞાનની બાબતમાં પ્રવૃત્તિ સાથે તે જ્ઞાનેના સંવાદનું જ્ઞાન હજાર વાર જન્મવાને લીધે તે જ્ઞાનના પ્રામાણ્યનો નિશ્ચય થયો કહેવાય, સ્વતઃ નહિ. વિષયની અભ્યસ્તતા બીજી કોઈ રીતે ન બને. [અર્થાત્ જે વિષયની બાબતમાં વારંવાર કરવામાં આવેલી પ્રવૃત્તિ સફળ જ બની છે તે વિષય અભ્યસ્ત ગણાય છે.] આમ આ મત તુરછ છે. તેથી જ્ઞાનનું પ્રામાણ્ય પરતા છે એ પુરવાર થયું. ( 82. પુનઃ રેવોતે પ્રમાળાનાં પરીક્ષણમુપયતે તદ્ધિ પ્રમાઃ સિતप्रमाणैर्वा ? प्रमाणैरपि परीक्षितैर परीक्षितैर्वा ? तत्र न नाम अप्रमाणैः प्रमाणपरीक्षणं शक्यक्रियम् । प्रमाणैरप्यपरीक्षितैः तत्करणे वरं व्यवहार एव तादृशैः क्रियतां, किं परीक्षणेन ? परीक्षितैस्तु तत्परीक्षाकरणमपर्यवसितमनवस्थाप्रसङ्गादित्यादि । 82. વળી કેટલાક શંકા કરે છે–પ્રમાણોની પરીક્ષા ઘટતી નથી. તે પરીક્ષા પ્રમાણેથી કરવામાં આવે છે કે અપ્રમાણોથી કરવામાં આવે છે ? [જે પ્રમાણેથી કરવામાં અાવતી હોય તો] પરીક્ષિત પ્રમાણેથી કરવામાં આવે છે કે અપરીક્ષિત પ્રમાણેથી ? આમાં અપ્રમાણોથી કરવી તો શકય જ નથી. વળી, અપરીક્ષિત પ્રમાણોથી પ્રમાણની પરીક્ષા કરવાને પક્ષ સ્વીકારતા હો તે [ કહેવું પડે કે ] તેવા (=અપરીક્ષિત) પ્રમાણેથી જ વ્યવહાર ચલાવો વધુ સારો, પછી પ્રમાણુની પરીક્ષાની શી જરૂર છે ? પરીક્ષિત પ્રમાણેથી પ્રમાણુની પરીક્ષા કરતાં પરીક્ષા કયાંય અટકશે નહિ, કારણ કે અનવસ્થાષની આપત્તિ આવશે. 83. तदप्युक्तेन न्यायेन परिहृतं भवति । दृष्टे विषये प्रमाणपरीक्षां विनैव व्यवहारात्, अदृष्टे तु परीक्षाया अवश्यकर्त्तव्यत्वादुपपत्तेश्चेति । तस्माददृष्टपुरुषार्थपदोपदेशि मानं मनीषिभिरवश्यपरीक्षणीयम् । प्रामाण्यमस्य परतो निरणायि चेति चेतःप्रमाथिभिरलं कुविकल्पजालैः ॥ 83. નાયિક—આ શંકાને પરિહાર ઉક્ત ન્યાયે થઈ ગયે સમજવો, કારણ કે વિષય દષ્ટ હોય ત્યારે પ્રમાણની પરીક્ષા કર્યા વિના જ વહેવાર થાય છે પરંતુ વિષય અદષ્ટ હોય ત્યારે પ્રમાણુની પરીક્ષા અવશ્ય કરવી જોઈએ અને ત્યારે પ્રમાણુની પરીક્ષા તાર્કિક રીતે ઘટે પણ છે. નિષ્કર્ષ એ કે અદષ્ટ પુરુષાર્થને ઉપદેશ દેનાર (શબ્દ-)પ્રમાણુની પરીક્ષા બુદ્ધિમાન માણસોએ કરવી જ જોઈએ, અને એનું ( શબ્દપ્રમાણુનું) પ્રામાણ્ય પરતઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy