SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ બધાં જ્ઞાને અબાધ્ય છે એ પ્રભાકર મત ૫૫ છે એવા નિર્ણય ઉપર અમે આવ્યા છીએ માટે, ચિત્તને ફલેશ કરનાર ખોટા વિકલ્પોની ચર્ચા કરવાની કોઈ જરૂર નથી. 84. सुशिक्षितास्त्वाचक्षते-युक्तं यदमी मीमांसकपाशाः काशकुसुम राशय इव शरदि मरुद्भिरतिदुरात्समुत्सायन्ते दुष्टतार्किकैः । ये हि किलाभ्युपयन्ति च विपरीतख्यातिवादमकृतास्त्राः प्रामाण्यं च स्वत इति च वदन्ति, तेषां कुतः कौशलम् ? विपरीतख्यातावभ्युपगम्यमानायां बाध्यबोधसंदर्भसुभिक्षे सति तत्साधदिनुत्पन्नबाधकेऽपि बोधे दुष्परिहरः संशयः, संशये च संवादाद्यन्वेषणमपि ध्रुवमवतरतीति परतः प्रामाण्यमनिवार्यम् । यदा तु न बाध्यो नाम जगति कश्चिदपि बोधः, तदा किं साधात् संशेरतां प्रमातारः ? असंशयानाश्च किमिति परमपेक्षन्ताम् ? अनपेक्षमाणाः कथं परतः प्रामाण्यं प्रतिपद्यन्तामिति निश्चलं स्वत एव प्रामाण्यमवतिष्ठते । 84. સુશિક્ષિત (=પ્રભાકર મીમાંસકે) કહે છે–સારું થયું કે જેમ શરદઋતુમાં પવન કાશકુસુમને હડસેલી દૂર કરે તેમ દુષ્ટ તાર્કિકેએ આ દુષ્ટ મીમાંસકોને (=ભાદ મીમાંસકાને) હરાવી દૂર કર્યા. અએને ઉપગ કરવાનું ન જાણનાર તેઓ (= ભાદ મીમાંસ) એક બાજુ વિપરીત ખ્યાતિવાદનો સ્વીકાર કરે છે અને બીજી બાજુ સ્વતઃ પ્રામાણ્યની વાત કરે છે, એમાં તેમનું બુદ્ધિકૌશલ કયાં ? [વિપરીત ખ્યાતિને અન્યથાખ્યાતિ પણ કહેવામાં આવે છે. એક વસ્તુની બીજી વસ્તુના રૂપે પ્રતીતિને અન્યથાખ્યાતિ કહેવામાં આવે છે. શુક્તિ રજતરૂપે ભ્રાન્ત રજતજ્ઞાનમાં ભાસે છે. શક્તિ પણ સત્ છે અને રજત પણ સત છે. ભ્રમમાં આ દેશ-કાળની સત્ (શુક્તિ) વસ્તુની જગ્યાએ અન્ય દેશ-કાળની અન્ય સત્ વસ્તુનું (રજતનું) પ્રત્યક્ષ થાય છે. આમ થવાનું કારણ શું ? બે વસ્તુઓ વચ્ચેનું સદશ્ય. રજતસદશ શક્તિનું દર્શન થતાં રજત સ્મૃતિમાં ઉપસ્થિત થાય છે અને તેનું પ્રત્યક્ષ થાય છે. રજતસ્મૃતિસહકત ચક્ષ-શુક્તિનિકર્ષથી શુક્તિમાં રજનું પ્રત્યક્ષ થાય છે ઉત્તરકાલીન નૈયાયિકે કહે છે કે ચક્ષુ-શક્તિને સર્ષિ થતાં જ્ઞાનલક્ષણ અલૌકિક સન્નિકથી પૂર્યાનુભૂત રજતનું પ્રત્યક્ષ થાય છે. વિપરીત ખ્યાતિમાં એક વસ્તુ અન્ય વસ્તુરૂપે પ્રતીત થતી હોવાથી આ પ્રતીતિ (જ્ઞાન) અન્ય જ્ઞાનથી બાધ પામે છે. અર્થાત્ વિપરીત ખ્યાતિમાં બ્રાન્તજ્ઞાનને બાધ્ય માનવું અનિવાર્ય થઈ પડે છે.] વિપરીત ખ્યાતિનો સ્વીકાર કરે એટલે બાધ્ય જ્ઞાનની વાત સહેલાઈથી આવી પડે છે અને પરિણામે જે જ્ઞાનની બાબતમાં બાધક ઉપસ્થિત નથી થયું તે જ્ઞાનની બાબતમાં પણ બાધ્ય જ્ઞાન સાથેના તેના સાધમ્યને કારણે સંશય-પ્રમાણ હશે કે અપ્રમાણ-જાગવા અનિવાર્ય થઈ પડે છે. અને એક વાર જ્ઞાનના પ્રામાણ્ય બાબતે સંશય જાગે એટલે સંવાદ વગેરેનું આવેષણ પણ અનિવાર્યપણે આવી પડે છે, પરિણામે પરતઃ પ્રામાણ્ય અનિવાર્ય બની જાય છે. જે જગતમાં કોઈ બાહ્ય જ્ઞાન જ ના હોય [તો સાધમ્ય જ અસંભવ બની જાય અને તે કયા સાધર્મીને આધારે પ્રમાતા સંશય કરે ? [જો અપ્રમાણુ (=બાય) અને પ્રમાણુ (=અબાધ્ય) બે જ્ઞાન હોય તે તેમની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy