SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રામાણ્ય-અપ્રામાણ્ય સ્વતઃ–પરતઃ વિચાર 51. આમ બધાં પ્રામાણેનું પ્રામાણ્ય સ્વતઃ છે એ સિદ્ધ થતાં સમાનન્યાયે શબ્દનું પ્રામાણ્ય પણ સ્વતઃ જ છે [એમ સ્વીકારવું જોઈએ.] શનું સ્વરૂપ કુદરતી રીતે અને ને સ્પર્શવાનું જ છે એ મત બરાબર નથી; એ મતની પરીક્ષા અમે કરી ગયા છીએ. પરંતુ શબ્દ અર્થનું જ્ઞાન જન્માવતે હાઈ તેનું પ્રામાય નૈસર્ગિક છે, છતાં પુરુષના ( = વક્તાના) દેશને શબ્દમાં પ્રવેશ થવાને લીધે કોઈક વાર શબ્દ દ્વારા મિથ્યા જ્ઞાન જન્મે છે. એટલે જ કહ્યું છે કે “શબ્દમાં દેષને ( = મિથ્યાત્વનો ઉદ્દભવ વક્તાના દિષને અધીન છે એ સ્થાપિત થયું' [શ્લોકવતિક]. જે વચન પુરુષાક્ત હેય તે વક્તા પ્રસ્મ ગુણવાન ( = અર્થનું યથાર્થ જ્ઞાન ધરાવનાર અને અવંચક) હેતાં શબ્દ ઉપર અન્યથા આવતા દેષ પુરુષના ગુણ દ્વારા દૂર થઈ જાય છે અને શબ્દનું નૈસત્રિક પ્રામાણ્ય જળવાઈ રહે છે. પરંતુ વક્તાના ગુણને કારણે શબ્દનું પ્રામાણ્ય નથી, કારણ કે પ્રામામાં ગુણો નિમિત્ત નથી. પ્રામાણ્ય તે બોધાત્મકતાને કારણે જ છે, એ અમે અગાઉ જણાવી ગયા છીએ. વેદની બાબતમાં તે તેના પ્રણેતા પુરુષને જ અભાવ હેવાને કારણે વેદમાં દેષની શંકા જ ઊઠતી નથી, કારણ કે દેશે તે વકતા પુરુષમાં હેાય છે [અને વકતા પુરુષના દે શબ્દમાં સંક્રાન્ત થાય છે.] વળી, આજ સુધી વદાર્થ ની બાબતમાં કોઈને બાધક જ્ઞાન થયું નથી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે વેદપ્રામાય નિરપવાદ છે. [અર્થાત વેદની બાબતમાં બાધકત્તાન અને કરણદેવજ્ઞાન એ અપ વાદે માંથી એક પણ અપવાદ સંભવતો નથી.] કુમારિલે કહ્યું પણ છે કે વેદની બાકૃતમાં વતાને ( = કર્તાને) અભાવ હોવાને લીધે [ બાધકજ્ઞાન અને કરણદોષજ્ઞાન એ બે ] અપવાદોમાંથી વેદની મુક્તિ સહેલાઈથી સમજી શકાય છે; તેથી વેદની બાબતમાં કોઈને પણ અપ્રામાણ્યની શંકા ઊઠતી જ નથી. તેથી જ જૈમિનિએ મીમાંસા સૂત્રમાં કહ્યું છે કે તે (= શબ્દ = વેદ) પ્રમાણે છે કારણ કે બાદરાયણને મતે તે (= વેદ) કેષ્ઠતી: અપેક્ષા રાખતા નથી.” [વેદ પોતાની ઉત્પત્તિ માટે કોઈની અપેક્ષા રાખતા નથી. તેમને ઈ રચયિતા નથી. તે અપૌરુષેય છે. તેથી તે પ્રમાણ છે.] “શબ્દના મિથ્યાત્વના (= અપ્રામાયના) કારણભૂત દે પુરુષમાં હોઇ, જે અપૌરુષેય છે તે સત્યાર્થ છે એમ જે કહેવામાં આવે છે તે એગ્ય છે. “શબ્દના સત્યત્વના (= પ્રામાણ્યના) કારણભૂત ગુણ પુરુષમાં હેઈ, જે પૌરુષેય છે તે સત્યાર્થ છે” એમ જ માનવામાં આવે છે તે અયોગ્ય છે. એનું કારણ એ છે કે પુરુષના ગુણ શબ્દના પ્રામાણ્યનું કારણ નથી. શબ્દનું પ્રાસાએ તે નિસર્ગથી જ સિદ્ધ છે. ગુણ પુરુષના શબ્દમાં મિથ્યાત્વ (= અપ્રામાય) લાવનાર દેષને શમાવવા માટે છે એમ વિચારકે કહે છે. 52. अत्राभिधीयते । प्रत्यक्षादिषु दृष्टार्थेषु प्रमाणेषु प्रामाण्यनिश्चयमन्तरेणैव व्यवहारसिद्धस्तत्र किं स्वतःप्रामाण्यमुत परत इति विचारेण न नः प्रयोजनम् ; अनिर्णय एव तत्र श्रेयान् । अदृष्टे तु विषये वैदिकेष्वगणितदविणवितरणादिक्लेशसाध्येषु कर्मस तत्प्रामाण्यावधारणमन्तरेण प्रेक्षावतां प्रवर्त्तनमनुचितमिति तस्य प्रामाण्यनिश्चयोऽवश्यकर्तव्यः । तत्र परत एव वेदस्य प्रामाण्यमिति वक्ष्यामः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy