SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ ક્ષણિક નથી ૧૭ 250. રિક્ષાવિતુ પવનારનવમેવ રામ आचक्षते तदसमञ्जसमप्रतीतेः । अर्हन्मतप्रथितपुद्गलपयुदास नीत्या च वाय्ववयवा अपि वारणीयाः ॥ 250, શિક્ષાશાસ્ત્રના વિદ્વાને શબ્દને વાયુસ્વરૂપ જ કહે છે તે મત બરાબર નથી, કારણ કે તેવું પ્રતીત થતું નથી. [શિક્ષાશાસ્ત્રના વિકાને માને છે કે વાયુરૂપ અવયવો જ બહાર નીકળીને શબ્દરૂપે સ્થળ બની જાય છે. લાકડામાંથી નીકળેલા ધૂમ૩૫ સૂકમ અવયવો સ્થલ ઘુમાવવીને જન્મ આપે છે, તેવી જ રીતે કાઠામાંથી બહાર નીકળેલા સૂમ વાયુરૂપ અવયવો જ સ્થલ વાયઅવયવી અર્થાત શબ્દને જન્મ આપે છે.] જે રીતે શબ્દના અવય તરીકે જેનામતમાં સ્વીકૃત પુદ્ગલરૂપ અવયવોને નીરાસ કર્યો તે રીતે શબ્દના અવયવ તરીકે [શિક્ષાશાસ્ત્રમાં સ્વીકૃત વાયુરૂપ અવયવોને નીરાસ પણ કરવો જોઈએ. 251• વેવિ શ્રુવિનાશનવરાત્િ પ્રયુઃ ક્ષāસિન: __ भावांस्तेऽपि न शक्नुवन्ति गदितुं शब्दस्य विध्वंसिताम् । अन्ते हि क्षयदर्शनात् किल तथा तेषां भ्रमोऽस्मिन्पुनः शब्दे नान्तपरिक्षयाविति कथं कुम्भादिवद्भङ्गिता ॥ 251. જેઓ (બૌદ્ધો) સ્થૂલ વિનાશના દર્શનને આધારે વસ્તુઓને ક્ષણિક કહે છે તેઓ પણ શબ્દની વિનાશિતાને કહેવા શક્તિમાન નથી. અને [ઘટ આદિ વસ્તુઓને] ક્ષય દેખાતે હેઈ, તેમને તેવો ભ્રમ થાય છે [કે વસ્તુઓ ક્ષણિક છે.] પરંતુ આ શબ્દમાં તે અન્ત અને ક્ષય બેય નથી, એટલે ઘટ વગેરેની જેમ તેની ક્ષણિકતા કયાંથી હોય ? “ 252 अत्र महे-न खलु भवदभिहितमेतत् प्रमाणद्वयमपि शब्दनित्यतां प्रसाधयितुमर्हति । यावता यदर्थापत्तिरवादि 'दर्शनस्य परार्थत्वात्' इति सा क्षीणैव,अर्थप्रतीतेरन्यथाऽप्युपपन्नत्वात् । तत्र सादृश्यमप्यनभ्युपगतमेव दूषितमित्यस्थाने क्लिष्टा भवन्तः । गत्वादिजातीराश्रित्य सम्बन्धग्रहणादिकः । अर्थावगतिपर्यन्तो व्यवहारः प्रसेत्स्यति । 252. અહીં અમે (નૈયાયિક) કહીએ છીએ? આપે જણાવેલ બનેય પ્રમાણ શબ્દનિત્ય પુરવાર કરવા શક્તિમાન નથી, “શબ્દનું ઉચ્ચારણ શ્રેતાને અર્થપ્રતીતિ કરાવવા માટે થતું હેઈ, શબ્દને નિત્ય કપ પડે. અન્યથા શ્રેતાને અર્થ પ્રતીતિ થાય નહિ”—એ જે અર્થપત્તિ પ્રમાણુ તમે કહ્યું તે અત્યંત દુર્બળ છે કારણ કે અર્થપ્રતીતિ અન્યથા પણ ઘટે છે. વળી, ત્યાં જે સાદશ્યને અમે માન્યું નથી તેવી બાબતમાં તમે દેશે બતાવ્યા છે અને એમ જ્યાં જરૂર ન હતી ત્યાં કિલષ્ટ બન્યા છે. ગત્વ વગેરે જાતને આધારે સંબંધગ્રહણ = શબ્દાર્થ સંબંધગ્રહણ) વગેરેથી માંડીને અર્થજ્ઞાન થાય ત્યાં સુધીનો વ્યવહાર ઘટશે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy