SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દાભિવ્યતિપક્ષની દુર્ઘટતા જણાતું નથી. ઘરમાં દહીંની હાંડલી જોવા માટે ગૃહસ્થ આણેલે દી તે દેશમાં રહેલા રાટલાઓને પ્રકાશિત કરે છે. તેથી શબ્દ કાય છે (=અનિત્ય છે) એ પક્ષમાં જ શબ્દનું નિયત દેશમાં (સર્વત્ર નહિ) ગ્રહણ ઘટે છે, શબ્દાભિવ્યક્તિપક્ષમાં એ ઘટતું નથી. 231. , મળ્યવિષે તાત્રમવિમાનો:મિમવ રાષ્ટ્ર ધ્વાन्तरेण न प्राप्नोति । न हि शब्दस्तोत्रो मन्दो वा कश्चित् , स्वतस्तस्य भेदाभावात संस्कारस्य च तदभिव्यक्तिहेतोर्न काचन तीव्रता मन्दता वा, यदनुसारेण विषये तथा बुद्धिः स्यात् । पवनधर्मो वा तीवादिर्भवन्कथं श्रोत्रेण गृह्येत ? सावयवे हि वस्तुनि सकलविशेषग्रहणाग्रहणसंभवात्तदपेक्षया प्रतीतिभेदो भवेत्, इह तु निरवयवे शब्दे न तथो. पपद्यते इति । तस्मात्कृतकपक्ष एव श्रेयानिति । 231. વળી, અભિવ્યક્તિ પક્ષમાં શબ્દને તીવમંદવિભાગ તેમ જ એક શબ્દથી બીજા શબ્દના અભિભવ ન થાય, કારણ કે કોઈ શબ્દ તીવ્ર કે મન્દ નથી અને તેથી તેને તીવ્રમંદ એવો ભેદ સ્વતઃ ન થાય. વળી શબ્દની અભિવ્યક્તિનું કારણ જે સંસાર તેમાં તે કઈ તીવ્રતા કે મંદતા નથી કે જેથી તેને અનુસરી તેના વિષય શબ્દમાં તીવ્રતા કે મંદતાની બુદ્ધિ થાય. અથવા, તીવ્ર આદિ પવનના ધર્મો હોય તે શ્રોત્ર દ્વારા કેવી રીતે ગુડીત થાય ? [વળી] વસ્તુ સાવયવ હોય તો જ તેના સકલ વિશેષધર્મોનું ગ્રહણ કે સકલ વિશેષધર્મોનું અપ્રડ (અર્થાત કેટલાક વિશેષશ્વનું ગ્રહણ) સંભવે અને તેની અપેક્ષાએ પ્રતીતિભેદ થાય. પરંતુ અહીં નિરવયવ શબ્દમાં તેમ ઘટતું નથી તેથી શબ્દ કુતક (=કાર્ય યા અનિત્ય) છે એ પક્ષ જ વધુ સારો છે. 232. अत्रोच्यते-करणसंस्कारपक्ष एव तावदस्तु । तच्च करणं किश्चिदेव मरुद्भिरुपाहितसंस्कारं कञ्चिदेव शब्दं गृहणाति । यथा ताल्वादिसंयोगविभागा भवतां मते । उत्पादकतयेष्यन्ते केचिद्वर्णस्य कस्यचित् ॥ तथा तद्वायुसंयोगविभागाः केचिदेव नः । कस्यचिद्ग्रहणे शक्तं श्रोत्रं कुर्वन्ति संस्कृतम् ॥ यथा च तेषामुत्पत्ती सामर्थ्य नियमस्तव । तथैवैषामभिव्यक्ती सामर्थ्य नियमो मम ॥ - 232. અહીં અમે મીમાંસકે કહીએ છીએ કે તે કરણસરકાર પક્ષ જ હાવાયુઓથી અમુક સંસ્કાર પામેલું કરણ (શ્રોત્ર) અમુક જ શબ્દને ચણ કરે છે. જેમ આપના (નૈયાયિકના) મતમાં તાલ વગેરે સાથેના અમુક સંયોગ-વિભાગે અમુક જ વર્ણના ઉત્પાદક ઈંછવામાં આવ્યા છે તેમ અમારા મીમાંસના મતમાં તાલુ વગેરે સાથે વાયુના અમુક સંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004625
Book TitleNyayamanjari Part 3
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year1984
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy