________________
ન્યાયબિન્દુ
સાધ્ય-સાધનભાવ કહો છે. તેથી એક વસ્તુનું એક પાસું તે પ્રમાણ અને બીજું પાસું તે પ્રમાણુફળ – એમ માનવામાં કશે વિરોધ રહેલો નથી. તે જ્ઞાનનું [પદાર્થ સાથેનું) સારૂપ્ય તે વ્યવસ્થાપનહેતુ (=વ્યવસ્થાપક) છે અને તે નીલવર્ણનું સંવેદન છે તે હકીકત વ્યવસ્થાપ્ય છે.
4. व्यवस्थाप्यव्यवस्थापकभावोऽपि कथमेकस्य ज्ञानस्येति चेत् । उच्यते । नीलसदृशमनुभूय त.द्वेज्ञानं यतो नीलस्य ग्राहकमवस्याप्यने निश्चयप्रत्ययेन, तस्मात् सारूप्यमनुभूतं व्यवस्थापनहेतुः। निश्चयप्रत्ययेन च तज्ज्ञानं नीलसंवेदनमवस्थाप्यमानं व्यवस्थाप्यम् ।
4. જે શંકાકાર ફરી એમ પૂછે કે] એક ને એક જ્ઞાનની અંદર વ્યવસ્થાપ્યવ્યવસ્થાપકભાવ પણ કઈ રીતે સંભવે, તે એને જવાબ આ છે : [પ્રત્યક્ષની ઉત્તર ક્ષણે થત] નિશ્ચયપ્રત્યય (વિકલ્પ કે અધ્યવસાય) તે જ્ઞાનને નીલવર્ણ સદશ અનુભવીને તે જ્ઞાન નીલવર્ણનું ગ્રહણ કરનારું છે' એમ નક્કી કરે છે તેથી એ જ્ઞાનમાં અનુભવાયેલું [વિષય સાથેનું] સારૂય તે વ્યવસ્થાપનહેતુ ગણાય છે. વળી એ જ નિશ્ચયપ્રત્યય “એ જ્ઞાન નીલવર્ણનું સંવેદન છે” એમ [પણ] નક્કી કરે છે, તેથી જ્ઞાનનું નીલપ્રતીતિરૂપત્ન) એ વ્યવસ્થાપ્ય બની રહે છે.
5. तस्मादसारूप्यव्यावृत्त्या सारूप्यं ज्ञानस्य व्यवस्थापनहेतुः । अनीलबोधव्यावृत्त्या च नीलबोधरूपत्वं व्यवस्थाप्यम् ।
5. તો આમ, જ્ઞાનની અંદર [વિષય સાથેના) અસારૂખની સંભાવનાને વ્યાવૃત્ત (= બાકાત) કરીને રહેલું સારૂપ્ય (એટલે કે નિયમપૂર્વક અસ્તિત્વ ધરાવતું સારૂપ્ય) તે જ્ઞાનના વિશેષ આકારનો વ્યવસ્થાપનહેતુ છે; અને નીલવણથી અન્ય વિષયના ધરૂપ હાવાની શકયતા બાદ રાખીને નીલજ્ઞાનમાં રહેલું] નીલાધરૂપત્વ તે વ્યવસ્થાપ્ય છે.
6. व्यवस्थापक श्च विकल्पप्रत्ययः प्रत्यक्षबलोत्पन्नो द्रष्टव्यः । न तु निर्विकल्पकत्वात प्रत्यक्षमेव नीलबोधरूपत्वेनात्मानमवस्थापयितु शक्नोति । निश्चयप्रत्ययेनाव्यवस्थापित सदपि नीलबोधरूपं विज्ञानमसत्कल्पमेव । तस्मान्निश्चयेन नीलबोधरूपं व्यवस्थापितं विज्ञानं नीलबोधात्मना સદ્ભવતિ |
6. અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે [પ્રત્યક્ષ જ્ઞાનમાં રહેલાં અર્થ પ્રતીતિરૂપત્વ અને અર્થ સારૂપ્ય વચ્ચેના વ્યવસ્થાપન-વ્યવસ્થા–ભાવને] નક્કી કરી આપનાર [તે, પ્રત્યક્ષજ્ઞાન પિતે નથી] પણ પ્રત્યક્ષના બળે ઉત્પન્ન થયેલા વિકલ્પપ્રત્યય છે. પ્રત્યક્ષ જ્ઞાન પોતે નિર્વિકટપક હોવાથી “પોતે નીલવર્ણના બોધરૂપ છે ” તેમ નિશ્ચય કરી શતું નથીનીલબોધરૂપ વિજ્ઞાન (=નિર્વિકલ્પક પ્રત્યક્ષ) પિતે ભલે સત્વરૂપ હોય, પણ નિશ્ચયરૂપ પ્રત્યય (=વિકલ્પ)થી વ્યવસ્થાપિત ન કરાય ત્યાં સુધી અસત્ જેવું જ રહેવાનું. એટલે અમુક જ્ઞાન નિશ્ચયથી નીલબોધરૂપે વ્યવસ્થાપિત કરાય ત્યારે જ તે નીલબેધસ્વરૂપે સત ઠરે છે.
7. तस्मादध्यवसायं कुर्वदेव प्रत्यक्ष प्रमाणं भवति । अकृते त्वध्यवसाये नीलबोधरूपत्वेनाव्यवस्थापितं भवति विज्ञानम् । तथा च प्रमाणफलमर्थाधिगमरूपमनिष्पन्नम् । अतः साधकतमस्वाभावात् प्रमाणमेव न स्याज्ज्ञानम् ।
ભાત |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org