________________
ન્યાયમિનું
તે ખરું, [પરંતુ તેટલી જ હકીકતને કારણે જ્ઞાન તે પદાર્થનું પ્રાપક બનતું નથી;] જ્ઞાને તે અર્થના પ્રાપક બનવા માટે કાઈક આવશ્યક વ્યાપાર [કિંવા વિશેષ ધર્મ] દાખવવાને રહે છે, કે જેને લીધે પિતાથી અર્થની પ્રાપ્તિ થાય.
3. म एव च प्रमाणफलम्, यदनुष्ठानात् प्रापकं भवति शानम् । उक्तं च पुरस्तात् "प्रवृत्तिविषयप्रदर्शनमेव प्रापकस्य प्रापकव्यापारो नाम" ।
3. [હવે, જ્ઞાનને એવો વ્યાપાર કર્યો તે કહેતાં પહેલાં અહીં સ્પષ્ટ કરી લેવું જોઈએ કે કઈ પણ વસ્તુનું જે પાસું ઈષ્ટ પ્રયજનને સિદ્ધ કરી આપે છે, તે વસ્તુનું ફળરૂપ પાસું કહેવાય એ ન્યાયે – જે [વ્યાપાર કરવા વડે જ્ઞાન પ્રાપક બનતું હોય, તે વ્યાપાર જ તે જ્ઞાન કે પ્રમાણુનું ફળ બની રહે છે. હવે જ્ઞાનને તે વ્યાપાર કયો એ સમજવા તરફ વળીએ તો –] અગાઉ કહ્યું હતું તેમ, પ્રવૃત્તિયોગ્ય વિષયનું પ્રદર્શન (=સ્પષ્ટ ભાન કરાવવું તે) જ જ્ઞાનને પ્રાપક વ્યાપાર કહેવાય. [પ્રદર્શક હાવા સિવાય જ્ઞાનમાં પ્રાપકપણું હોઈ ન શકે ને તેથી જ્ઞાનપણું પણ ન હોઈ શકે.].
4. तदेव च प्रत्यक्षमर्थप्रतीतिरूपम् अर्थप्रदर्शनरूपम् । अतस्तदेव प्रमाणफलम् ॥
4. આ રીતે પ્રત્યક્ષજ્ઞાન અર્થના પ્રદર્શનરૂપ [અવશ્યપણે] હેવાનું; [એને જ અર્થ એ કે તે અર્થની પ્રતીતિરૂપ હોવાનું. આમ [એ અર્થપ્રતીતિ તે જ પ્રમાણને પ્રાપક વ્યાપાર એટલે જ કે ઉક્ત ન્યાયે પ્રમાણફળ હોવાથી અને પ્રત્યક્ષ પણ અર્થપ્રતીતિરૂપ જ હોવાથી તે જ્ઞાન પોતે જ પ્રમાણફળ [પણ] છે, [પ્રમાણફળ તે પ્રમાણ કે જ્ઞાનથી જુદે પદાર્થ નથી.] (૧૮)
यदि तर्हि ज्ञानं प्रमितिरूपत्वात् प्रमाणफलं, किं तर्हि प्रमाणमित्याह -
__ अर्थसारूप्यमस्य प्रमाणम् ॥२०॥ તો પ્રશ્ન થાય ]“આમ જે જ્ઞાન “પ્રમિતિ (=અર્થ–પ્રતીતિ) રૂ૫ હોવાથી પ્રમાણફળ ગણાય તો પછી “પ્રમાણ કેને કહેવું ?” આથી કહે છે :
આનું [પોતાના વિષયરૂ૫] પદાર્થ સાથેનું સારૂપ્ય તે પ્રમાણ છે. (૨૦)
1. अर्थेन सह यत्सारूप्यं सादृश्यमस्य ज्ञानस्य तत् प्रमाणम् । इह यस्माद्विषयाद्विज्ञानमुदेति तद्विषयसदृशं तद्भवति । यथा नीलादुत्पद्यमानं नीलसदृशम् । तच्च सारूप्यं सादृश्यमाकार इत्याभास इत्यपि व्यपदिश्यते ॥
1. પદાર્થ સાથેના આના એટલે કે જ્ઞાનના સારૂ કિંવા સાદસ્યને પ્રમાણુ કહેવાય. એમ જોવા મળે છે કે જે વિષયમાંથી વિજ્ઞાન ઉતપન્ન થતું હોય છે તે વિષયના જેવું (= તે વિષયના આકારનું) તે હોય છે – જેમ કે નીલ વણમાંથી ઉત્પન્ન થતું જ્ઞાન નીલ વર્ણ જેવું હોય છે. એ સ્પષ્ટ કરવું જોઈએ કે તે સારૂપ્ય કિંવા સદશ્યને “[સ્વવિષયન] આકાર' અથવા સ્વવિષયન] આભાસ' એવા શબ્દોમાં પણ ઉલ્લેખવામાં આવતું હોય છે. (૨૦)
ननु च ज्ञानादव्यतिरिक्तं सादृश्यम् । तथा च सति तदेव ज्ञानं प्रमाणं, तदेव च प्रमाणफलम् । न चैकं वस्तु साध्यं साधनं चोपपद्यते । तत्कथं सारूप्य प्रमाणमित्याह -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org