SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ છે. એવું [આ પછીના અનુમાનપરિકેદમાં જ] કહેવાનું રાખે, તે સ્વિલક્ષણનું સ્વરૂપ સમજ્યા પછી જ સામાન્ય લક્ષણનું સ્વરૂપ સમજવાનું શક્ય હેવાને લીધે ત્યાં [સ્મરણને સહાય કરવા માટે સ્વલક્ષણના સ્વરૂપની ચર્ચા કરતા [ઓ] ગ્રંથભાગ તેમણે ફરીથી કહી જવો પડે. એથી લાઘવ સાધવા પ્રત્યક્ષપરિચ્છેદમાં જ અનુમાનને વિષય કહી દીધે છે. (૧૭) विषयविप्रतिपत्तिं निराकृत्य फलविप्रतिपत्ति निराकर्तुमाह -- तदेव च प्रत्यक्ष ज्ञान प्रमाणफलम् ॥१८॥ [સમ્યગૂજ્ઞાનરૂપ પ્રમાણુના વિષય અંગેના મતાંતરનું નિરસન કરીને તેને ફળ અંગેના મતાંતરનું નિરસન કરતાં કહે છે : તે જ પ્રત્યક્ષજ્ઞાન [પોતે] પ્રમાણનું ફળ છે. (૧૮) 1. तदेवेति । यदेवानन्तरमुक्तं प्रत्यक्षं ज्ञानं तदेव प्रमाणस्य फलम् ॥ 1. જે પ્રત્યક્ષ જ્ઞાન અગાઉ ઉલ્લેખ્યું છે તે [પોતે જ પ્રમાણુનું ફળ [પણ] છે. (૧૮) कथं प्रमाणफलमित्याह --- __ अर्थप्रतीतिरूपत्वात् ॥१९॥ [તે પ્રત્યક્ષજ્ઞાન પતે જ] કેવી રીતે પ્રમાણફળ છે તે કહે છે : કારણ કે તે પ્રત્યક્ષ જ્ઞાનમાં જ] અર્થ પ્રતીતિરૂપત્વ હેય છે. (૧૯) 1. अर्थस्य प्रतीतिरवगमः । सैव रूपं यस्य प्रत्यक्षज्ञानस्य तदर्थप्रतीतिरूपम् । तस्य भावः, તરમા ! 1. અર્થની (=પદાર્થની) પ્રતીતિ એટલે કે આકલન એ જ જેનું સ્વરૂપ છે તે “અર્થપ્રતીતિરૂપ” કહેવાય. તે પરથી “અર્થ પ્રતીતિરૂપવ” તે ભાવવાચક નામ બન્યું. [સરળ ભાષામાં કહીએ તો : પ્રત્યક્ષજ્ઞાન અર્થપ્રતીતિરૂપ હોય છે.] તે [અર્થ પ્રતીતિરૂપત્વને કારણે [તે જ જ્ઞાન પ્રમાણફળ છે. 2. एतदुक्तं भवति - प्रापकं ज्ञानं प्रमाणम् । प्रापगशक्तिश्च न केवलादर्थाविनाभावित्वाद्भवति । बीजाद्यविनाभाविनोऽप्यकुरादेरप्रापकत्वात् । तस्मात्प्राप्यादर्थादुत्पत्तावप्यस्य ज्ञानस्यास्ति कश्चिदवश्यकर्त्तव्यः प्रापकव्यापारो येन कृतेनार्थः प्रापितो भवति । 2. આ બે સૂત્રના પ્રતિપાદનો પાછળનો તર્ક આ પ્રકારનો છેઃ પ્રાપક જ્ઞાન તે પ્રમાણ કહેવાય છે. હવે જ્ઞાન પિતાની કઈ વિશેષતા કે કયા વ્યાપારથી પ્રાપક બને તે વિચારીએ તે : જ્ઞાનનો પદાર્થ સાથે અવિનાભાવ સંબંધ હોવા માત્રથી (અર્થાત્ પદાર્થના હોવા ઉપર જ્ઞાનના અસ્તિત્વનું અવલંબન હવામાત્રથી) જ કંઈ જ્ઞાનમાં પદાર્થની પ્રાપ્તિ કરાવવાની શક્તિ આવતી નથી; જેમ કે અંકુર વગેરે [કાર્યો], બીજ વગેરે કારણો] સાથે અવિનાભાવ સંબંધ ધરાવતાં હોય છે એટલા માત્રથી કંઈ [તેમનાં તે તે કારણની] પ્રાપ્તિ કરાવનાર નથી હોતાં. એટલે જ્ઞાન પિતાથી પ્રાપ્ત થનાર પદાર્થમાંથી ઉત્પન્ન થાય ન્યા. ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy