________________
ન્યાયબિન્દુ
5. तदनेनैकसंतानान्तर्भूतयोरेवेन्द्रियज्ञानमनोविज्ञानथोर्जन्यजनकभावे मनोविज्ञानं प्रत्यक्षमित्युक्तं भवति । ततो योगिज्ञानं परसतानवर्ति निरस्तम् ।
5. આમ આ શબ્દના ઉપગથી, પ્રત્યક્ષના પ્રકાર એવા મનોવિજ્ઞાન માટે એક આવશ્યક મર્યાદા એ બતાવી છે કે કાર્ય કારણભાવે સંકળાયેલા ઉક્ત ઈન્દ્રિયજ્ઞાન અને મનોવિજ્ઞાન એ બંને [દેવદત્ત જેવા] એક સંતાનમાં જ હાવાં જોઈએ. તેથી યોગિનાન કે જે [બુદ્ધ જેવા] જુદા સંતાનમાં હોય છે તેને આ મનોવિજ્ઞાનનું લક્ષણ લાગુ પડી શકતું નથી. (કારણ કે બુદ્ધના યોગિજ્ઞાનમાં દેવદત્તનું ઈન્દ્રિયજ્ઞાન આલમ્બનરૂપે હાઈ બુદ્ધસંતાન દેવદત્તસંતાનથી જુદો છે.)
6. यदा चेन्द्रियज्ञान विषयादन्यो विषयो मनोविज्ञानस्य, तदा गृहीतग्रहणादासज्जितोऽप्रामाण्यदोषो निरस्तः । यदा चेन्द्रियविज्ञानविषयोपादेयभूतः क्षणो गृहीतः, तदेन्द्रियज्ञानेनागृहीतस्य विषयान्तरस्य ग्रहणादन्धबधिराद्यभावदोषप्रसंगो निरस्तः । મનોવિજ્ઞાન સામેનાં મીમાંસકકથિત દૂષણેનું નિરસન :
6. [મીમાંસકે મનોવિજ્ઞાનની કલ્પના સ્વીકારવા સામે બે વાંધા રજૂ કરે છે ? ૧. મનોવિજ્ઞાન એ ઈન્દ્રિયે ગ્રહણ કરેલા વિષયનું જ ગ્રહણ કરે છે તેથી “જેનું પૂવે ગ્રહણ ન થયું હોય તે ગ્રહણ કરનાર તે પ્રમાણુ” એવી પ્રમાણુ કે જ્ઞાનની વ્યાખ્યા તેને લાગુ પડી શકતી નથી, ૨, ઈન્દ્રિય ઉપરાંત મન પણું જે ઈન્દ્રિયના વિષયનું ગ્રહણ કરી શકે તો પછી દુનિયામાં કોઈ આંધળા, બહેરા વગેરે અર્થાત્ ચક્ષુર્વિજ્ઞાન, શ્રોત્રવિજ્ઞાન વગેરે વિનાના હાત નહિ. આ બંને વાંધાનો જવાબ આપતાં અનુક્રમે કહેવાનું કે] ઈન્દ્રિયવિજ્ઞાનની વિષય-ક્ષણીથી મનોવિજ્ઞાનની વિષય-ક્ષણ] જુદી હોય છે, તેથી મનોવિજ્ઞાન તે [ઈન્દ્રિયજ્ઞાનથી] ગૃહીત થયેલા વિષયનું ગ્રહણ કરે છે એવી દલીલ વડે તેમાં ઉપજાવાયેલે અપ્રામાણ્યનો દોષ ટકતો નથી. ૨. વળી [મનોવિજ્ઞાન ઉત્પન્ન કરવામાં ઈન્દ્રિયજ્ઞાનના સહકારી તરીકે, પ્રથમ થયેલા] ઈન્દ્રિયજ્ઞાનના વિષયની ઉપાદેયરૂપ ક્ષણ (eતરત પછીની કાર્યરૂપ ક્ષણ) આવશ્યક મનાઈ હોવાથી, તમે માનસવિજ્ઞાન સામે નીચે મુજબને વાંધો પણ નહિ કાઢી શકે : “ઈન્દ્રિયજ્ઞાને ગ્રહણ નહિ કરેલા એવા વિષયનું ગ્રહણ મને વિજ્ઞાન કરે છે એમ [તમે જ કહો છે તે પ્રમાણે માનીએ તો [આંધળી અને બહેરી વ્યક્તિઓ, પોતે ઇન્દ્રિયજ્ઞાનથી ન અનુભવેલા વિષયનું મનોવિજ્ઞાન જરૂર અનુભવી શકશે, ને તે રીતે] જગતમાં કોઈ અંધ (=રૂપજ્ઞાન વગર), બહેરા ( શબ્દજ્ઞાન વગરને) ઇત્યાદિ રહેશે નહિ.” (આ વાંધો એટલા માટે નહિ ટકે, કે. મનોવિજ્ઞાનને વિષય ઇન્દ્રિયવિજ્ઞાનના વિષયથી જુદો ભલે હોય, પણ ઇન્દ્રિયવિજ્ઞાનની ક્ષણસંતતિમાં જ તરત પછી આવતો હવે જોઈએ; જ્યારે અંધ, બધિર આદિને તો ઈન્દ્રિયજ્ઞાન જ ન હોય તો તેની ક્ષણસંતતિ કે તેમાંને તરત પછી વિષય સંભવે જ ક્યાંથી ૨)
7. एतच्च मनोविज्ञानमुपरतव्यापारे चक्षुषि प्रत्यक्षमिष्यते । व्यापारवति तु चक्षुषि यद्पज्ञानं तत्सर्वं चक्षुराश्रितमेव । इतरथा चक्षुराश्रितत्वानुपपत्तिः कस्यचिदपि विज्ञानस्य ।।
7. ઈિન્દ્રિયવિજ્ઞાન અને મનોવિજ્ઞાન ક્રમિક હોવાથી એ સ્પષ્ટ કરવું જોઈએ કે] જયારે ચશ્ન [આદિ, વિષયમાં પ્રવર્તવાના] પિતાના વ્યાપારમાંથી નિવૃત્ત થાય ત્યારે જ આ મનોવિજ્ઞાનરૂપ પ્રત્યક્ષને પ્રાદુર્ભાવ માની શકાય. ચક્ષુ-આદિને વ્યાપાર ચાલુ હોય તે ગાળામાં જે રૂપ-આદિનું જ્ઞાન થાય છે તે બધું ચક્ષુ-આદિ પર જ આશ્રિત હોય,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org