________________
પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ 1. પિતાની' એટલે ઈન્દ્રિયજ્ઞાનની પિતાની વિષય-ક્ષણ]. [એ વિષયણ પછી] ED [ ક્ષણ ] અંતર વગર આવતી હોય તે અનન્તર” [ ક્ષણ ] કહેવાય. [અહી]
અંતરશબ્દના બંને અર્થ – વ્યવધાન અને જુદાપણું – [લેવાના છે. એથી “અનન્તર” મારા [વ્યવધાન અને સ્વભાવનું જુદાપણું એ બંને પ્રકારના] અંતરને પ્રતિષેધ કર્યો હોઈ, તે શબ્દથી ઈન્દ્રિયજ્ઞાનના વિષયની ક્ષણ પછી તરત આવતી સમાન જતિવાળી ઉપાદેય (=કાર્યરૂ૫) ક્ષણને ઉલ્લેખ થયો છે. આમ હોવાથી ઈન્દ્રિયજ્ઞાનના વિષયની ક્ષણ પછી તે જ સંતુતિ (ક્ષણપરંપરા)માં તરત આવતી ક્ષણની અહીં વાત છે. તે ક્ષણ ઈન્દ્રિયજ્ઞાનના સહકારી તરીકે હોવી જોઈએ એવો ઉલ્લેખ સૂત્રમાં છે.
2. द्विविधश्च सहकारी - परस्परोपकारी एककार्यकारी च । इह च क्षणिके वस्तुन्यतिशयाधानायोगादेककार्यकारित्वेन सहकारी गृह्यते । विषयविज्ञानाभ्यां हि मनोविज्ञानमेकं क्रियते यतस्तदनयोः परस्परसहकारित्वम् ।
2. “સહકારી બે પ્રકારના હોઈ શકે ઃ (૧) પરસ્પર ઉપકાર કરનારા (=એકબીજામાં વિશેષ ગુણધર્મ પેદા કરનારા) અને (૨) [સાથે] એક કાર્ય કરનારા. હવે અહીં [આમાંને પરસ્પરોપકારી' રૂપ પ્રથમ અર્થ લઈ ન શકાય; કારણ કે] ક્ષણિક વસ્તુમાં કોઈ વિશેષ ગુણધર્મ પેદા કરી ન શકાય. [આપણુ દાખલામાં આ વાત લાગુ પાડીને કહીએ તો, ઈન્દ્રિયજ્ઞાનના વિષયની તરત પછીની ક્ષણ અને ઈન્દ્રિયજ્ઞાન – એ બંને ક્ષણિક હાઈ એકખીજામાં કોઈ વિશેષ ધર્મ ઉત્પન્ન ન કરી શકે, એટલે કે પરસ્પરોપકારી ન થઈ શકે.] માટે અહીં “સહકારી” એટલે “એક કાર્ય કરનારા” એ અર્થ લેવો. ઈન્દ્રિયજ્ઞાન અને તેના વિષયની ઉત્તરક્ષણ, એ બંને એક મનોવિજ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્તરૂપ થાય છે તેથી [“એક કાર્ય કરનારા” એ અર્થમાં] તેઓ પરસ્પર સહકારી છે.
3. ईदृशेनेन्द्रियविज्ञानेनालम्बनभूतेनापि योगिज्ञानं जन्यते । तन्निरामार्थं समनन्तरप्रत्ययग्रहणं તમ્ - 3. [હવે જે સૂત્રમાં “ઈન્દ્રિયજ્ઞાનરૂપ સમનન્તરપ્રત્યય વડે” એમ કહેવાને બદલે 'ઈન્દ્રિયજ્ઞાન વડે’ એમ જ કહ્યું હોત તો આ સૂત્રમાં ઉલ્લેખેલા સહકારીવાળું વિશિષ્ટ પ્રકારનું ઈન્દ્રિયજ્ઞાન પોતે “આલંબનપ્રત્યય” (=આલંબનરૂપ કારણ અર્થાત વિષય) બનીને ગિજ્ઞાન પણ પેદા કરી શકે તિથી યોગિજ્ઞાનને પણ “મનોવિજ્ઞાન” કહેવાનું આવી પડત.] આ [લક્ષણદોષ] નિવારવા માટે ઈન્દ્રિયજ્ઞાન માટે “સમનન્તરપ્રત્યય એવું વિશેષણ પણ વાપર્યું છે.
4. समश्चासौ ज्ञानत्वेन, अनन्तरश्च पाकव्यधाहेतत्वेन, म चामो प्रत्ययश्च हेतुत्वात् समनસરઘરાવઃ | તેન નિતમ્ |
- 4. [મનત્તર શબ્દમાં સન્ એટલે સમાન, અર7 એટલે વ્યવધાન વિનાનું અને પ્રસ્થા Kટલે કારણ એમ અર્થ હેઈ, અહીં] જ્ઞાનરૂપ હોવાની બાબતમાં [પતાની સંતતિમાંની પછીની ક્ષણની] સમાન અને વ્યવધાન વગર (એટલે કે તરત પૂર્વે) આવનારું એવું જે કારણ તે “સમનન્તપ્રત્યય એમ સમજવું. [તે સૂત્રમાં મનોવિજ્ઞાનને] સમનત્તરપ્રત્યય એવા ઈન્દ્રિયજ્ઞાનથી જન્મેલું કહ્યું છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org