________________
ન્યાયબિન્દુ 27. હવે પુરુષાર્થની સિદ્ધિ એટલે કાં તો હેયને] ત્યાગ, કાં તો [ઉપાદેયનો] સ્વીકાર. [અહીં ‘સિદ્ધિ' શબ્દના સંભવિત બે અર્થની સ્પષ્ટતા કરીને આગળ ચાલીએઃ] જે સિદ્ધિ કોઈ કારણસામગ્રીને લીધે થાય તે “ઉત્પત્તિ' કહેવાય; જ્યારે કોઈ જ્ઞાનમાંથી પરિણમતી સિદ્ધિ તે અનુષ્ઠાન' (= અમલ) કહેવાય. હવે હેય પદાર્થના સંદર્ભમાં અનુષ્ઠાન એટલે તે પદાર્થને ત્યાગ અને ઉપાદેય પદાર્થના સંદર્ભમાં અનુષ્ઠાન એટલે તેનું ગ્રહણું. આમ હેયના ત્યાગરૂપ કે ઉપાદેયના ગ્રહણરૂપ અનુષ્ઠાન એ જ સિદ્ધિ કહેવાય. [આમ પુરુષાર્થસિદ્ધિ' શબ્દના પુરુષાર્થની ઉત્પત્તિ એવા અન્ય કરેલા અર્થને અસ્વીકાર કરીને પુરુષાર્થનું અનુષ્ઠાન (= આચરણ)” એવો અર્થ કરવા યોગ્ય છે. ]
28. सर्वा चासौ पुरुषार्थसिद्धिश्चेति । सर्वशब्द इह द्रव्यकात्स्न्ये वृत्तो न तु प्रकारकारन्ये । ततो नायमर्थः - द्विप्रकारापि सिद्धिः सम्यग्ज्ञाननिबन्धनैवेति । अपि त्वयमर्थः -या काचित्सिद्धिः सा सर्वा कृत्स्नैवासो सम्यग्ज्ञाननिबन्धनेति । मिथ्याज्ञानाद्धि काकतालीयाऽपि नास्त्यर्थसिद्धिः ।
28. હવે, “સર્વપુરુષાર્થ સિદ્ધિ એટલે બધી પુરુષાર્થસિદ્ધિઓ [અને નહિ કે બધા પ્રકારની પુરુષાર્થની સિદ્ધિ]. અહીં “સર્વ શબ્દ પુરુષાર્થસિદ્ધિના એકેએક દાખલાને ઉલ્લેખવા વાપર્યો છે, માત્ર બધા પ્રકારો જ સૂચવવા માટે નહિ. એટલે [અમારી અગાઉ કેટલાકે કહ્યા મુજબ અહીં એવો અર્થ લેવાનું નથી કે બંને પ્રકારના પુરુષાર્થની સિદ્ધિ સિમ્યજ્ઞાન પર નિર્ભર છે. એને બદલે આ પ્રકારે અર્થ છે : પુરુષાર્થની જે કોઈ સિદ્ધિ હેય તે બધી જ સમ્યજ્ઞાન પર આધારિત છે. એટલે કે સિચ્યાજ્ઞાનને આધારે તો કાકતાલીય ન્યાયે પણ અર્થસિદ્ધિ થતી જ નથી. (બીજા શબ્દોમાં : અર્થ સિદ્ધિમાત્ર માટે સમ્યજ્ઞાન પૂર્વે તેવું જરૂરી જ છે.)
29. તથા હિ – વઢિ પ્રતિમર્થ ઘાયત્વેવં તો મારાર્થસિદ્ધિઃ | પ્રઢfi = પ્રારબ્ધग्ज्ञानमेव । प्रदर्शितं चाप्रापयन्मिथ्याज्ञानम् । अप्रापकं च कथमर्थसिद्धिनिबन्धनं स्यात् ? तस्माद्यनिमध्याज्ञानं न ततोऽर्थसिद्धिः । यतश्चार्थसिद्धिस्तत्सम्यग्ज्ञानमेव । अत एव सम्यग्ज्ञानं यत्नतो व्युत्पादनीयम् । यतस्तदेव पुरुषार्थसिद्धिनिबन्धनम् ।
29. આ વાત આમ સમજીએમાની લો કે મિથ્યાજ્ઞાન પણ] આવી રીતે (અર્થાત્ સમ્યજ્ઞાનની જેમ) પતે પ્રદર્શિત કરેલા પદાર્થને, [પછી કરેલી પ્રવૃત્તિ દ્વારા] પમાડે છે, એટલે કે તેનાથી [પણ] પુરુષાર્થસિદ્ધિ થાય છે. પણ જે તે આમ પ્રશિત પદાર્થની જો પ્રાપ્તિ કરાવતું હોય તો પછી તે સમ્યજ્ઞાન જ હોઈ શકે, [મિથ્યાજ્ઞાન નહિ]. અને જે પ્રદર્શિત અર્થની પ્રાપ્તિ ન કરાવે [ – ભલે કદાચ પ્રદર્શિત કરતાં જુદા પદાર્થની પ્રાપ્તિ કરાવે –] તે તે મિથ્યાજ્ઞાન હોવું જોઈએ. અને જે તે પ્રદર્શિત) અર્થની પ્રાપ્તિ ન કરાવે તો પછી તે પ્રદર્શિત એવા અર્થની સિદ્ધિનું કારણ પણ કઈ રીતે કહેવાય ? એટલે જે મિથ્યાજ્ઞાન હોય છે તેનાથી પ્રદર્શિત] અર્થની સિદ્ધિ થતી નથી; જેનાથી [પ્રદર્શિત અર્થની સિદ્ધિ થતી હોય છે તે તો સમ્યજ્ઞાન જ હાવાનું. આથી જ સમ્યજ્ઞાનની સમજ યત્નપૂર્વક કેળવવી જોઈએ; કારણ કે તે જ પુરુષાર્થસિદ્ધિનું નિમિત્ત હોય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org