SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ અર્થાત કાં તે અત્યંત વિપરીત [ સ્વરૂપે ભાસતા ], કાં તો ભાવ–અભાવની બાબતમાં અનિયત [ભાસતા] પદાર્થને દર્શાવતું અન્ય પ્રકારનું જ્ઞાન તે અપ્રમાણ ઠરે છે. 18. મર્થનિયમિક્ષાર્થબિયાસમર્થકતુaifનિમિત્ત શાનં મૃતા જ તૈક્ત તવ शास्त्रे विचार्यते । ततोऽर्थक्रियासमर्थवस्तुप्रदर्शकं सम्यग्ज्ञानम् । 18. હવે [સૂત્રના ભાવ તરફ વળીએ તે], હેતુલક્ષી ક્રિયાના ખપવાળા લકે તો તેવી ક્રિયાની ક્ષમતાવાળી જે વસ્તુ હોય તેની પ્રાપ્તિ માટે જ જ્ઞાનને આશ્રય લે છે. અને તેઓને જેવા જ્ઞાનને ખપ હોય છે તેવા જ્ઞાનને જ શાસ્ત્રમાં વિચાર કરાય છે. હવે આ શાસ્ત્રમાં સમ્યજ્ઞાનનો વિચાર કરાયો છે. એમાંથી એ વાત [સ્વાભાવિક રીતે] ફલિત થાય છે કે સમ્યજ્ઞાન [૪] હેતુલક્ષી ક્રિયા માટે સમર્થ એવી વસ્તુને બતાવનાર હોય છે. 19. यच्च तेन प्रदर्शितं तदेव प्रापगीयम् । अर्थाधिगमात्मकं हि प्रापकमित्युक्तम् । तत्र प्रदर्शितादन्यद्वस्तु भिन्नाकारं भिन्नदेश भिन्नकालं च । विरुद्धधर्मसर्गायन्यद्वस्तु । देशकालाकारभेदश्च विरुद्धधर्मसंसर्गः । 19. વળી, [અન્ય જ્ઞાનની સરખામણમાં સમ્યજ્ઞાનની વિશેષતા સ્પષ્ટ કરવા કહેવું જોઈએ કે] સમ્યજ્ઞાન વડે જે પદાર્થ [જે સ્વરૂપે] પ્રદર્શિત થયો હોય તે પદાર્થ તિ સ્વરૂપે) જ પામી શકાય છે. એટલે તો અમે અગાઉ કહી ગયા છીએ કે સમ્યજ્ઞાન પદાર્થનું આકલન (રાષિામ) કરાવવા માત્રથી “પ્રાપક' કહેવાય, જ્ઞાનથી બતાવાતી વસ્તુથી જે વસ્તુ ભિન્ન આકારની, ભિન્ન સ્થળની કે ભિન્ન કાળની હોય તે જુદી વસ્તુ કહેવાય; કારણ કે અમુક વસ્તુ અન્ય વસ્તુ કરતાં વિરુદ્ધ એવા ધર્મના સંસર્ગથી જુદી વસ્તુ' કહેવાય છે; અને વિરુદ્ધ ધર્મને સંસર્ગ એટલે જ દેશ, કાળ કે આકારને ભેદ. 20. तस्मादन्याकारवद्वस्तुग्राहि नाकारान्तरवति वस्तुनि प्रमाणम् , यथा पीतशङ्खग्राहि शुक्ले शड़े। देशान्तरस्थग्राहि च न देशान्तरस्थे प्रमाणम् , यथा कुञ्चिकाधिवरदेशस्थायां मणिप्रभायां मणिग्राहि ज्ञान नापवरकस्थे मणौ । कालान्तायुक्तग्राहि च न कालान्तरवति वस्तुनि प्रमाणम् । यथार्द्धरात्रे मध्याह्नकालवस्तुग्राहि स्वप्नज्ञानं नार्द्धगत्रकालवस्तुनि प्रमाणम् । 20. એટલે અન્ય આકારવાળી વસ્તુને ગ્રહણ કરનારું જ્ઞાન, તે કરતાં ભિન્ન આકારવાળી વસ્તુના સંબંધમાં પ્રમાણ ન કહેવાય; જેમ કે સફેદ શંખને પીળા શંખ તરીકે ગ્રહણ કરનારું જ્ઞાન. તે રીતે એક સ્થળે રહેલા પદાર્થનું અન્ય સ્થળે રહેલા પદાર્થ તરીકે ગ્રહણ કરનાર જ્ઞાન પણું પ્રમાણ નથી; જેમ કે ચીના દાણામાં રહેલી મણિની પ્રભામાં મણિનું ગ્રહણ કરનારું જ્ઞાન ઓરડામાં રહેલા મણિની બાબતમાં પ્રમાણ ન કહેવાય. વળી એક કાળમાં અસ્તિત્વ ધરાવતા પદાર્થ પર, તેનું અન્ય કાળના પદાર્થ તરીકે ગ્રહણ કરનારું જ્ઞાન પણ પ્રમાણ ન ગણાય; જેમ કે મધરાતે સ્વપ્નમાં વિસ્તુતઃ] મધરાત સાથે સંકળાયેલી વસ્તુનું મધ્યાહ્નકાળની વસ્તુ તરીક ગ્રહણ કરનારું જ્ઞાન એ પ્રમાણ ન ગણાય. 21. ननु च देशनियतमाकारनियतं च प्रापयितुं शक्यम् । यत्कालं तु परिच्छिन्नं तत्कालं न शक्यं प्रापयितुम् । नोच्यते यस्मिन्नेव काले परिच्छिद्यते तस्मिन्नेव काले प्रापयित Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy