SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિચ્છેદ : પ્રત્યક્ષ 11. ઉપર કહેલા અનર્થોમાંથી એકાદની પણ દહેશત હોય તો બુદ્ધિમાન લોકે ગ્રંથમાં પ્રવર્તે નહિ. પણ વિષયવસ્તુ વગેરે કહેવાતાં, અનર્થની કલ્પના ટળે છે ને ઊલટી ઈષ્ટપ્રાપ્તિની સંભાવના જન્મે છે. તેને લીધે વિવેકીઓ [ગ્રંથમાં] પ્રવર્તે છે. આ રીતે બુદ્ધિમાનોને પ્રવર્તાવે તેવી ઈષ્ટાર્થની સંભાવના જન્માવવા જ સંબંધાદિ નિદૈ શાયાં છે એમ નિશ્ચિત થાય છે. 12. વસવાૐ શાને સભ્યશાનમ્ | સજ્ઞાનનું સ્વરૂપ : 12. અવિસંવાદી જ્ઞાન તે સમ્યજ્ઞાન છે. 13. लोके च पूर्वमुपदर्शितम.र्थ प्रापयन्संवादक उच्यते । तद्वज्ज्ञानमपि स्वयं प्रदर्शितमर्थ प्रापयत्संवादकमुच्यते । प्रदर्शिते चार्थे प्रवर्तकत्वमेव प्रापकत्वम्, नान्यत् । तथा हि - न ज्ञान जनयदर्थं प्रापपति, अपे त्वर्थे पुरुष प्रवर्तयत्प्रापयत्यर्थन् । प्रवर्तकत्वमपि प्रवृत्तिविषयप्रदर्शकत्वमेव । न हि पुरुषं हठात्प्रवतीयतुं शक्नोति विज्ञानम् । 13. [આમાંના “અવિસંવાદી' (= સંવાદી)એ શબ્દપ્રયોગને વિચાર કરીએ તે ] લેકવ્યવહારમાં, જે કોઈ વ્યક્તિ અગાઉ ચીંધેલે પદાર્થ પ્રાપ્ત કરાવે, તો ચીંધનાર તે વ્યક્તિને આપણે “સંવાદી કહીએ છીએ. તે રીતે જ્ઞાન પણ જે [પૂ] પોતે પ્રદર્શિત કરેલા પદાર્થને પ્રાપ્ત કરાવે તો “સંવાદી” કહેવાય છે. અહીં સ્પષ્ટતા કરવી જોઈએ કે] જ્ઞાન પ્રદર્શિત પદાર્થ વિષે પ્રવૃત્તિ કરાવે તેને જ [આ સંદર્ભમાં તેની પ્રાપકતા (= પ્રદર્શિત પદાર્થની પ્રાપ્તિ કરાવવાપણું) ગણવી, અન્ય નહિ. કહેવાનો ભાવ એ છે કે જ્ઞાન પદાર્થની પ્રાપ્તિ કરાવે છે. એનો અર્થ એ નહિ કે તે તેને ઉત્પન્ન કરે છે; તે તો પદાર્થ પ્રત્યે પુરુષને [માત્ર] પ્રવર્તાવીને તેની પ્રાપ્તિ કરાવે છે. વળી “જ્ઞાન પ્રવર્તક છે' એનો અર્થ પણ એટલો જ કે તે પ્રવૃત્તિનો વિષય બતાવે છે; જ્ઞાન કંઈ પુરુષને પરાણે પ્રવર્તાવવા શકિતમાંન હોતું નથી. 14. अत एव चार्थाधिगतिरेव प्रमाणफलम् । अधिगते चार्थे प्रवर्तितः पुरुषः प्रापितवार्थः । तथा च सत्याधिगमात्समाप्तः प्रमागव्यापारः । अत एव चानधिगतविषयं प्रमाणम् । येनैव हि ज्ञानेन प्रथसमधिगतोऽर्थस नैव प्रवर्तितः पुरुषः प्रापितश्चार्थः । तत्रैव चार्थे किमन्येन ज्ञानेनाधिकं कार्यम् ? अतोऽधिगतविषयमप्रमाणम् । 14. એટલે [કહેવું જોઈએ કે] પદાર્થની અધિગતિ (બે) તે જ પ્રમાણનું ફળ છે. કોઈ પદાર્થને બાધ થયો એટલે પુરુષ પ્રવર્યો અને પદાર્થ મળ્યો [સમજો]. આમ હોવાથી પદાર્થનો બાધ (ષિામ) કરાવવા સાથે પ્રમાણને વ્યાપાર સમાપ્ત થાય છે [એમ સમજવું]. તે પરથી [એક ઠરે છે ક] અનધિગત (એટલે કે જેને બંધ અગાઉ ન થયો હોય એવા) વિષયને જ પ્રમાણ વસે છે. કારણ કે જે જ્ઞાનથી પદાર્થનો બાધ પ્રથમ થયો હોય છે તે જ્ઞાન જ પુરુષને પ્રવૃત્ત કરે છે અને પદાર્થની પ્રાપ્તિ પણ કરાવે છે. અને [તો પછી] તે જ પદાર્થને લક્ષતા અન્ય જ્ઞાનથી કયું અધિક પ્રોજન સધાય ? એટલે અધિગત વિષયનું ગ્રહણ કરનારું . અપ્રમાણે કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy