________________
'સમાલોચના
તારતમ્ય બતાવવાની જરૂર છે. આ એક ધ્યાનપાત્ર પ્રયત્ન ૧૯૮૪માં બહાર પડેલા શ્રી અમર સિંધ(નવી દિલ્હી)ના પુસ્તક The Heart of Buddhist Philosophy – Dinnaga and Dharmakirtiમાં જોવા મળે છે. આ પુસ્તકમાં ધમકીર્તિના દાર્શનિક દૃષ્ટિબિંદુને એકમાત્ર પ્રશ્ન કેન્દ્રમાં રાખ્યું હોઈ ઉપર્યુક્ત વિવિધ મતોનું ખૂબ સમતોલ, ઝીણવટભર્યું પૃથક્કરણ થઈ શકયું છે. તે તે વિદ્વાને પિતાના મત માટે જે આધાર રજૂ કર્યા છે તેનું વિગતે પરીક્ષણ થયું છે. લેખક એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા છે કે વસબંધુ (દ્વિતીય), દિનાગ અને ધર્મકીતિ એ ત્રણે ય સૌત્રાતિક દષ્ટિબિંદુને વરેલા હતા. સાચો મત સ્થિર કરવામાં શ્રી સિંઘનું પરીક્ષણ ઘણું ઉપયુક્ત જણાય છે. તેમના મતના પક્ષમાં પ્રાચીન અને અર્વાચીન ઘણું સમર્થ વિદ્વાને છે તે પણ તેની સત્યતાની સંભાવનાને ઘણી પ્રબળ કરે છે. પ્રાચીન વૈદિક, જેન ઈત્યાદિ મહત્વના વાદીએ - જેવા કે મીમાંસક પાર્થસારથિમિશ્ર, નૈયાવિક ઉદ્યોતકર, બહુશ્રુત વાચસપતિમિશ્ર, જેન મલ્લવાદી ઇત્યાદિ દાર્શનિક સ્પષ્ટપણે આ ત્રણે ય આચાર્યોને સોત્રાતિક ગણે છે. ધર્મકાતિના સમર્થ ટીકાકારે | ઉપટીકાકારે એવા ધર્મોત્તર, અયંટ, દુકમિશ્ર અને મલવાદી ધમકીતિને વિજ્ઞાનવાદી ગણનારા વિનીતદેવ, મને રથનંદી આદિ ટીકાકારોની તીવ્ર સમાલોચના કરે છે. આધુનિક વિદ્વાનોમાં સાતકેડી મુક, રાહુલ સાંકૃત્યાયન, દાસગુપત, એ. કે. વોર્ડર ઇત્યાદિ પણ સૌત્રાન્તિઃ પક્ષને સમર્થિત કરે છે.
અને અન્યાયબિંદુ”નું આ દષ્ટિએ ટૂંકું પરીક્ષણ કરી સત્ય તારવવા કોશિશ કરીએ ? (૧) પ્રત્યક્ષના લક્ષણમાંનું “ અબ્રાન્ત' પદ સૌત્રાતિક દૃષ્ટિએ જ – બાહ્ય જગતની વાસ્તવિકતાની દૃષ્ટિએ જ – અષ ઠરે. (૨) પ્રત્યક્ષને વિષય વલક્ષણ છે એવું કથન વિજ્ઞાનવાદ સાથે અસંગત જ છે. વળી એ સ્વલક્ષણ “ સન્નિધાન–અસનિધાનથી પ્રતિભાસભેદ ઉત્પન્ન કરે છે ', “તે અર્થ ક્રિયાકારી હાઈ પરમાર્થત છે” એવાં કથને પણ વિજ્ઞાનવાદ સાથે કઈ પણ રીતે બંધ બેસે નહિ. (૩) પિતે આકારેલાં પ્રત્યક્ષ અને અનુમાન – એ બે પ્રમાણોને તેઓ “સમ્યગૂજ્ઞાન' કહે છે અને નહિ કે “સાંસ્કૃતિક જ્ઞાન', એ વાત ખાસ નોંધપાત્ર છે. એટલે “પ્રમાણચર્ચા સાંસ્કૃતિક સત્યના અનુસંધાનમાં જ, પ્રાસંગિક રીતે જ સૌત્રાતિક મતને સ્વીકારીને થયેલી છે” એવો ખુલાસે કરી ધમકીતિને ગમે તેમ વિજ્ઞાનવાદી સિદ્ધ કરવા મથનારાની વાતને આધાર મળતો નથી. (૪) વળી જે પિતે આકારેલું પ્રત્યક્ષજ્ઞાન એ સાંસ્કૃતિક જ હોય તો તેમાં ગિજ્ઞાનને પણ એક પ્રકાર તરીકે સમાવેશ સંભવે ખરો ? (૫) પૂર્વોક્ત હેવાભાસ ઈત્યાદિનાં દૃષ્ટાંત રૂપે ગ્રંથકારે પૂરા આધાર વગર પ્રતિપાદિત કરાયેલા તથાકથિત આધ્યાત્મિક મતો સામે પિતાને જે પુણ્યપ્રકોપ પીટતાથી પ્રગટ કર્યો છે તે જોતાં અને બુદ્ધના બૌદ્ધિક, વસ્તુલક્ષી, પ્રત્યક્ષમૂલક પરીક્ષણના અભિગમને ધર્મકીતિ અંગીકારતા જણાય છે તે જોતાં પણ તેઓ વિજ્ઞાનવાદી હોય તે સંભવિત નથી. (૬) “ન્યાયબિંદુ' પ્રાસ અધિકારી માટેનું પ્રમાણુશાસ્ત્રીય ગ્રંથ છે એ જોતાં જે પોતે વિજ્ઞાનવાદી હોય છે તેઓ તેમ ક્યાંય પ્રગટ કરતા કેમ નથી ? (૭) બુદ્ધના ધમકાય, જ્ઞાનકાય, સ્વભાવકાયની સત્તા બાબત પણ ન્યાયબિંદુ'માં લેખક સંપૂર્ણ મૌન જ જાળવે છે. “પ્રમાણુવાતિક”ના “પ્રામાણ્ય-પરિચછેદમાં મળતે આ અંગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org