________________
ન્યાયબિંદુ
આગમોએ જોતિષના જ્ઞાનની જાહેર પ્રયોગ કે પ્રદર્શન સામે કડક નિયમને સૂચવ્યાં છે તે દષ્ટિએ પણ સર્વજ્ઞતાને આવો દાવો ઘણે વાંધાપાત્ર જણાય છે. ઊલટું , તેથી અનાખતા કે અસવજ્ઞતા જ સિદ્ધ થઈ શકે તેમ લેખકનું મંતવ્ય જણાય છે. (૩) આ ઉદાહરણોમાં જેનેનું પોતાના સંતે ને સાંખ્યદર્શનના કપિલ કરતાં ચઢિયાતા ગણવાનું વલણ વારંવાર બતાવ્યું છે; દા.ત. કપિલાદિમાં પરિગ્રહ અને આગ્રહના દુર્ગુણે હોઈ તે અવતરા જયારે ઋષભાદિમાં તે દુગુણ ન હોઈ તે વીતરાગ હતા – એવું મંતવ્ય. આને પણ કંઈક ઉપહાસ જ ગ્રંથકાર કરતા જણાય છે. આધ્યાત્મિકતાના દાવાઓ પ્રત્યે લેખકને તીવ્ર અણગમો જણાય છે. અલબત્ત, સાચી આધ્યાત્મિકતા તેમને અભિમત જ છે. (૪) વૃક્ષોમાં ચૈતન્ય અંગેને દિગંબર મત પણ પૂરતા પ્રમાણ વગરને છે તેવી ટીકા અભિપ્રેત લાગે છે. અહિંસાના સિદ્ધાંત સ્થાપવા માટે પણ વૈજ્ઞાનિક અભિગમ જરૂરી છે એ અભિપ્રાય એમાંથી ફલિત કરી શકાય. ( એ ઉદાહરણું એક પ્રાસંગિક વાત એ પણ ચીંધે છે કે આજની જેમ એ જમાનામાં પણ વૃક્ષનું લાકડું વેચી ખાવા માગનારાએ વૃક્ષની છાલ ઉતરીને વૃક્ષને મારી નાખતા હશે.) (૫) આત્માની સિદ્ધિ અંગેની કેટલીક સાંખ્ય દલીલે રજૂ કરીને તેમનું અપૂરતાપણું બતાવી આત્માને વિષય “અવ્યાકૃત ' છે તે વાત પ્રસ્થાપતા જણાય છે. (૬) “અનુમાન પ્રમાણુ નથી” એવા ચાર્વાક મતને વદવ્યાઘાત સ્પષ્ટ કરવામાં આવ્યો છે. (૭) વૈશેષિકેની નિત્ય અને વિભુ એવા સામાન્ય પદાર્થની કલ્પના તેમનાં જ બે જૂથેનાં વિરોધી મંતવ્યોને લીધે કેટલી નબળી છે તે સ્પષ્ટ કરાયું છે.
લેખક તત્ત્વજ્ઞાનના જ રસિયા હોઈ અન્ય ક્ષેત્રને લગતાં ઉદાહરણે લીધાં નથી તેમ ખુલાસે કરી શકાય. ઘર્મકીર્તિને અભિમત બૌદ્ધ દાર્શનિક શાખા
પ્રસિદ્ધ ચાર બૌદ્ધ દાર્શનિક શાખાઓ તે : (૧) વૈભાષિક, (૨) સૌત્રાન્તિક (અથવા “દાષ્ટબ્લિક”), (૩) યોગાચાર કિંવા વિજ્ઞાનવાદી, (૪) શૂન્યવાદી. આ પૈકી ધમકીતિને કયા મતના પુરસ્કર્તા માનવા તે અંગેનો વિવાદ પ્રાચીન–અર્વાચીન વિદ્વાનમાં ચાલતો આવ્યો છે.
ધમતિ નું વ્યક્તિત્વ તેમના ગ્રંથોમાં જેવું ઊપસે છે તેને આધારે કહી શકાય કે તેઓ એક યા બીજા પંથના બાહ્ય આકારને પરાણે વશ વડે તેવા નથી. એટલે તેમનાં મત માત્ર એક જ પરંપરા અને જ બંધ ન બેસે તેવો પણ પૂરેપૂરો સંભવ છે. વળી તેમણે પસંદગીપૂર્વક પ્રમાણુશાસ્ત્રને જ પોતાના ગ્રંથોને પ્રતિપાદ્ય વિષય બનાવ્યો છે અને પ્રમેય વિષે અત્રતત્ર ઈંગિતમાત્ર ક્યાં છે તે પણ ધ્યાનપાત્ર બાબત છે. આટલી મર્યાદા પ્રથમ ધ્યાનમાં લઈએ.
જજ વિદ્વાને તેમને વૈભાષિક માને છે, માટે વર્ગ સૌત્રાતિક માને છે, કેટલાક તેમને ગાચાર(વિજ્ઞાનવાદ)ના પુરસ્કર્તા માને છે, જ્યારે ગણનાપાત્ર વિદ્વાને તેમને સૌત્રાન્તિક અને યોગાચારનો સમન્વય કરનારા આચાર્ય માને છે. તેમને શૂન્યવાદી કે
સ્વતન્ત્રવિજ્ઞાનવાદી” કહેનારા પણ છે. પ્રાચીન અને અર્વાચીન – બંને પ્રકારના વિદ્વાનોમાં આવું મતવૈવિધ્ય જોવા મળે છે. આ બધા મતાના આધારેના પરીક્ષણપૂર્વક તે મતનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org