SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સુમાલાચના એ વિરુદ્ધસાધક હેતુઓ પૈકી એને અસિદ્ધ જ સાબિત કરી શકાતા હોય છે. તેથી ચેડા કાળ પૂરતું જ જેનું હેત્વાભાસપણું છે તે સાચેસાચ હેત્વાભાસ નથી ડરતા, શાઓના વિવેકપૂત ઉપયાગ એ બૌદ્ધ પ્રમાણુશાસ્ત્રની ધ્રુવપક્તિ છે. દૃષ્ટાંતના પરાર્થાનુમાનના સ્વતંત્ર અવયવરૂપે અસ્વીકાર (સૂત્ર રૂ. ૬૨૨, ૨૨૨): પ્રાચીન ન્યાયપર પરામાં પ`ચાવયવી વાકયના ત્રીજા અવયવ તરીકે ‘ દૃષ્ટાંત'ને સ્થાન હતુ. તેને બદલે ઔદ્ધ પરપરામાં દૃષ્ટાંતને વિષય બનાવી પ્રવતતા પ્રમાણુમાંથી ફલિત થતી વ્યાપ્તિને જ મહત્ત્વ અપાયુ છે. તે અનુમાન અંગેની સમજણુને આગળ વધારે છે. સભ્ય સાથે હેતુને પ્રતિબધ વ્યાપ્તિ રૂપે જ અભિવ્યક્ત થઈ શકે. અલબત્ત, વ્યાપ્તિ પ્રતીત થવામાં દૃષ્ટાંત ઉપકારક જરૂર છે. પરંતુ એ રીતે તે દૃષ્ટાંતના વ્યાપ્તિમાં જ અંતર્ભાવ થઈ જાય છે. આથી જ દૃષ્ટાન્તાભાસની ચર્ચામાં પણુ · અપ્રદશિતાન્વય ’ અને ‘વિપરીતાય ' તેમ જ અપ્રદશિતવ્યતિરેક ’ અને ‘ વિપરીતવ્યતિરેક ' નામના દૃષ્ટાન્તાભાસ પણ નાંખ્યા છે. આમ પ્રાચીન ન્યાયને બૌદ્ધ પરંપરામાં વિકાસ થતા જણાય છે. * " દૂષિત અનુમાનાનાં લાક્ષણિક દૃષ્ટાંતા : હેત્વાભાસ, પક્ષાભાસ, દૃષ્ટાન્તાભાસનાં દષ્ટાંતરૂપે માત્ર તર્કશાસ્ત્રીય મુદ્દો સમજાવવા જ જે દૃષ્ટાંતે પસંદ કરાયાં છે તેમાં પણ કેટલાંક લાક્ષણિક હાઈ ગ્રંથકારના સમયના કેટલાક પ્રસિદ્ધ વિવાદના અને ગ્ર ંથકારના તે અ ંગેના વિશિષ્ટ પ્રતિભાવાના પરિચય કરાવે છે. આમાં જૈન, સાંખ્ય, વૈશેષિક, પૂર્વમીમાંસા, ચાર્વાક ઇત્યાદિ દાતાનાં મંતવ્યેા ધ્યાનમાં લેવાયાં છે. તેમાંનાં કેટલાંક નેાંધપાત્ર દૃષ્ટાંતાની લાક્ષણિકતા જોઈ એ ; (૧) વક્તૃત્વને અસવ"નતા કે અવીતરાગતાના હેતુ તરીકે ઉપયાગ : આ ઉદાહરણુ હેત્વાભાસેની ચર્ચામાં અનેક રીતે ફેરવી ફેરવીને સાભિપ્રાય રજૂ કરાયુ' લાગે છે. લેખક એક બૌદ્ધ તરીકે વાણીન મર્યોદઅને સવિશેષ પ્રમાણે છે પરંતુ તેથી વાણીનુ` યાગ્ય સંદર્ભ માં નિશ્ચિત મહત્ત્વ સ્વીકારવામાં તેમને વાંધેા જણાતા નથી. જ્યારે સંભવતઃ વાણી વિષેને એક અંતમવાદી ભીરુ અભિગમ કાઈ મૌનવાદી કહેવાતી આધ્યાત્મિક પરંપરામાં હોવા જોઈએ. સત્તત્વ કે વીતરાગત્વ સાથે વચનના ત્યાગ એમાં અનુસ્યૂત મનાયા હશે. આવા મૌનવાદ પર સભવત: અહી' પ્રહાર કર્યાં જણાય છે. બૌદ્ધ દૃષ્ટિ તેા ક્રમને નહિ, પણુ કમ પાછળના દૂષિત આશયને જ દાનુ કાલ્ગુ ણે છે. વળી આ દૃષ્ટાંતમાં સત્તત્વની કલ્પનાની પશુ તીવ્ર સમાલાચના જાય છે. સત્તત્ત્વ એ ઉપલબ્ધિલક્ષણુપ્રાપ્ત નથી એ વાત વારવાર કહીને સનત્વનું સ્થાપક કાષ્ટ પ્રમાણ નથી, તેથી સત્તત્ત્વની સત્તાના નિઃશંક સ્વીકાર ન થઈ શકે તેમ કહેવાના આશય જાય છે. કદાચ જો સર્વે સત્યની પના તેમને સ્વીકાય હાય તો પણ સર્વૈનત્વ અને વકતૃત્વ વચ્ચે તેમને કાઈ વિરાધ જણાતા નથી, તે રીતે વીતરાગલ માટે પણ વકતૃત્વ ખાધક ન હેાવાનું મંતવ્ય જાય છે. સર્વજ્ઞ કે વીતરાગ મનુષ્ય પણું ગીતાપ્રોક્ત લેાકસ ંગ્રહ ' અથે' વાણીના ઉપયાગ જરૂર કરી શકે. વળી વીતરાગસ્ત્ર કે સર્વજ્ઞત્વના વિવિધ વ્યક્તિ સંબ ંધે કરાતા દવાઓ સામે પણ લેખકની ઋજુ બુદ્ધિને અણુગમા જશુાય છે. (૨) જૈન પરંપરામાં જ્યોતિના અયનના મહિમા ખૂબ કરાતા હતા. જ્યાતિબ્રૂનુ જ્ઞાન સર્વજ્ઞતા કે આપ્તતાનું પ્રાળુ મનાતું હતું. પરંતુ ખુદ જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy