________________
३४
ન્યાયબિંદુ
અભાવપ્રતીતિ તે અભાવના આશ્રયરૂપ ભાવ પદાર્થના જ્ઞાનથી થાય છે, પરંતુ અભાવનિશ્ચય તે અનુમાનથી અર્થાત તે વસ્તુ દશ્ય છે કે કેમ તેના વિચારરૂપ બુદ્ધિવ્યાપારથી જ થઈ શકે છે.
પ્રતિપાદન યોગ્ય પ્રમેયો (પ) ( રૂ.૨૮-૪) : બૌદ્ધિક પ્રામાણિકતાને આંચ ન આવે તે માટે અનુમાન–પ્રમાણુને ઉપગ ખૂબ જવાબદારી પૂર્વક સમુચિત પ્રમેય સિદ્ધ કરવા જ થવું જોઈએ. વાદપટુતા બતાવવા, સામાને ગમે તે પ્રકારે તોડી પાડવા માટે કે ગંભીરતાને દંભ કરવા માટે કપિત પ્રમેયે સિદ્ધ કરતાં બ્રાંત, કલયુક્ત અનુમાને ન થવાં જોઈએ. શુદ્ધ પ્રમાણુશાસ્ત્રને બલે રાજસિક વાદશાસ્ત્રનો મહિમા ન થાય તે માટે ધમકીતિએ “ન્યાયબિંદુ માં જુદા જુદા તબક્કે અનેક સૂયને મૂક્યાં છે. તે છે જયારેય પક્ષ કેવી વિશેષતા એવાળો હોય તે ચર્ચા ઘણું રસપ્રદ અને સંત૫% છે, તે આ રીતે –
પોતે જે પ્રમેય રજૂ કરવા ઇચ્છતા હોઈએ તે વિવાદાસ્પદ અને સિદ્ધ કરવા લાયક છે એ વાત બરોબર ઉપસાવવી જોઈએ. એ વસ્તુ સિદ્ધ છે તેમ માની તેને આધારે બીજી વસ્તુ સિદ્ધ કરવા બેસી જવું તેમાં અપ્રામાણિકતા છે. વળી જે સિદ્ધાંત પિતાની ચિંતનપ્રણાલીમાં પ્રતીત થયો હોય તે જ રજૂ કરે. માત્ર પતે અંગીકારેલા શાસ્ત્રને એ સિદ્ધાંત છે માટે પિતાની એને સિદ્ધ કરવાની જવાબદારી માની લેવી નહિ. શાસ્ત્રને બંધન તરીકે
સ્વીકારવાનું બૌદ્ધ પરંપરાને ઈષ્ટ નથી. વળી પ્રત્યક્ષ કે અનુમાન પ્રમાણથી અસિદ્ધ ઇરલ, પ્રસિદ્ધ વ્યવહારથી ત્યજાયેલ કે વદતોવ્યાઘાત ઊભો કરનાર પ્રમેયોનું પ્રતિપાદન પણ ન કરવું. આ છે ધમકીનિને માન્ય વાદમર્યાદા, ન્યાપ્ય વાદવિધિ.
આ ભલામણ ગ્રંથકારના પોતાના વ્યક્તિત્વ અને સ્વાનુભવમાંથી ઉદ્ભવેલી જણાય છે. દા.ત. તેઓ પોતે બૌદ્ધ શાસ્ત્ર પરંપરાથી કે ખુદ પિતાના આદરણીય પૂર્વાચાર્ય દિનાગના ગ્રંથનાં સર્વ પ્રમેયો પ્રત્યેની આસક્તિથી ખેંચાયા વગર “વસ્તુબળપ્રવૃત્ત' પ્રમે જ પોતાના ગ્રંથમાં રજૂ કરે છે. આગળ ઉપર સ્પષ્ટ કરીશું તેમ તેઓ કોઈ એકાદ નિચિન બૌદ્ધ શાખાના સિદ્ધાંતોનું જ પ્રતિપાદન કરીને તે શાખાના આચાર્ય પદને અંચળો ઓઢવા પણ ઉત્સુક નથી. આદર્શવાદને નામે લેકપ્રતીત વ્યવહારને અપલાપ કરે તેવાં પ્રમેય રજૂ કરવાનું પણ ટાળી શક્યા છે. આ બૌદ્ધિક પ્રામાણિકતા જ તેમના સારને સુપ્રતિષ્ઠિત કરે છે. હેત્વાભાસ, દટાંતાભાસ, પક્ષાભાસ-આદિના દષ્ટાંતરૂપે આવાં અનેક દૂષિત પ્રમેયનું દિગ્દર્શન પણ સ્પષ્ટ રીતે કરાવ્યું છે. વિરહાભિચારી હેત્વાભાસની પ્રમાણબાહ્યતા : અનેક મિથ્યા પ્રયોગથી બરેલ વાદપ્રવૃત્તિનું નિરસન ઈષ્ટ માનતા ગ્રંથકારે કેવળ પ્રમાણુત્રિત ત્રિરૂપ હેતનાં અસિદ્ધિ કે સંદેહ પર આધારિત હેત્વાભાસે સ્વીકાર્યા હે ઈ માત્ર શાસ્ત્ર પ્રોક્ત હેતુઓ પર આધારિત “વિરુદ્ધાવ્યભિચારી હેત્વાભાસને (જેને ન્યાયપરંપરા “ સત્પતિપક્ષ” હેત્વાભાસ હે છે તેનો) સ્વીકાર કર્યો નથી તે ઉચિત જ છે. એક વસ્તુમાં હકીકતે બે વિરુદ્ધ સાધ્ય સિહ કરતા હેતુઓનું અસ્તિત્વ સંભવે નહિ. માત્ર જુદાં જુદાં શાસ્ત્રોને આધારે જુદા જુદા
એ સ્વીકારીને કત્રિમ વિરોધ ઊભે કરવાથી કાંઈ અર્થ સરતો નથી. હકીકતમાં આવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org