________________
ન્યાયામ
અનુમાનની મર્યાદા, છતાં ઉપાદેયતા : “ ન્યાયબિંદુ’ના પ્રથમ પરિચછેદ પરથી એ પણ ફલિત થાય છે કે પ્રત્યક્ષને જ વિજય સ્વલક્ષણ હોઈ પરમ થગ્રહી પ્રમાણુ માત્ર પ્રત્યક્ષ જ છે. જ્યારે અનુપ નો વિષય “સામા' તે પરમાર્થસત છે ક૯પનામત ન હોઈ અનુમાન એ જ્ઞાનનું મંદ સાધન છે. તેમ છતાં મેં અનુમાને તે પ્રમાણ નથી ' એવી પ્રતિજ્ઞા (“પક્ષ ”)ને તૃતીય પરિચ્છેદમાં સાવચનનિરાકૃત કડીને અનુમાનની મર્યાદિત જ્ઞાનસાધન તરીકે પણ ઉપાદેવતા ગણું છે. જેટલે અંશે વ્યવહારની સત્તા છે તેટલે અ શે અનુમાનની ઉપાદેયતા છે. અલબત્ત, અનુમાન એ પ્રત્યક્ષની મર્યાદાને બને તેટલું વશ વર્તે અને બુદ્ધિપૂત રહે તેટલી કાળજી જરૂરી છે. તે માટે જ અનુમાનના સ્વાર્થ અને પરાથ બંને પ્રકારની સાવધ ચર્ચા કરી છે. વળી અનુમાનને 2 હ્ય વિષય સામાન્યરૂપ, પરંતુ અધ્યવસેય વિષય સ્વલક્ષણ જ છે તેમ બતાવને અનુમાન તે પ્રત્યક્ષપ્રમાણુની સીડીરૂપે જ ઉપાદેય છે તે પણ બતાવ્યું છે. પરિપૂર્ણ એથનિશ્ચય કેવળ પ્રત્યક્ષથી જ થાય છે. આથી જ પ્રત્યક્ષની મર્યાદાને એળે ગતાં અનેક બ્રાંત અનુમાનની સમાલયના પક્ષાભાસ, હેત્વાભાસ, દૃષ્ટાંતાભાસની ચર્ચા નિમિત્તે તૃતીય પરિચ્છેદમાં કરી છે.
સાધ્યપ્રતિબંધસ્થાપક સંબધો દ્વિવિધ જ અને લિંગે વિવિધ જ : ઉપર કહ્યું તેમ અનુમાન-પ્રમાણુ પ્રત્યક્ષની મર્યાદાને વશ હાઈ પ્રત્યક્ષથી પ્રમાણિત થયેલા બુદ્ધિવ્યાખરને જ અધીન હોય તે જરૂરી છે. આના અનુસંધાનમાં માન્ય, પરીક્ષણપૂત વ્યાપ્તિ અંગે ખૂબ ચીવટભરી વિચારણું દિનાગ-ધમકાતિના પરંપરામાં અંગીકારાઈ હેતુ સાધ્યપ્રતિબંધ જ્યાં સુધી નિરપવાદપણે સિદ્ધ ન હોય ત્યાં સુધી પક્ષમાં હેતુના સત્વથી સાધ્યસિદ્ધિ અસંદિગ્ધપણે ન થઈ શકે. પ્રાચીન ન્યાયપરંપરામાં વ્યાપ્તિના આધારરૂપે દૃષ્ટાંતને જ મહત્ત્વનું સ્થાન હતું. તેથી તો પરાર્થ-અનુમાનના અવયમાં પણ " ઉદાહરણ” નામને અવયવ જ સ્થાન પામેલે, વ્યાપ્તિ નહિ. ઉદાહરણ સાથે વ્યાપ્તિ જોડવાની પ્રથા પણ પાછળથી વિકસી. તેમ છતાં આ અવયવનું નામ તે ન જ બદલાયું. આને લીધે ઘણી વાર દષ્ટાંતબલથી જ, અર્થાત હેતુને સામ સાથે પ્રતિબંધ ચકાસ્યા વગર જ, અને અન્ય વિરુદ્ધ દષ્ટાંતો તરફ બેધ્યાન બનીને પણ બ્રાંત અનુમાનો કરાતાં. આની સામે પણ વાદાસ્ત્રમાં ઘણી જોગવાઈઓ ઊભી થવા લાગેલી. બૌદ્ધોએ વ્યાપ્તિની ગ્રાહ્યતા અંગે સવિશેષ વિચાર કર્યો. સાધ્યપ્રતિબંધ ચકાસ્યા વગરની વ્યાપ્તિને આધારે થતાં અનેક અનુમાને અનેક શાસ્ત્રગ્રંથોમાં પણ સમાવિષ્ટ થયેલાં છે. એને લીધે અનેક બ્રાંત મત પ્રવર્તતા જોવા મળતા.
અનુમાનની એક આવશ્યક મર્યાદા તે પરીક્ષિત વ્યાપ્તિ હોઈ તે સિવાય અનુમાન અગીકારાવું ન જોઈએ. આ માટે સાથે સાથે હેતુને પ્રતિબંધ નક્કી કરે તેવા સંબંધો કયા તે વિચારીય બાબત છે. માત્ર સાહચર્યનું અનેકત્ર દર્શન એ અપવાદરૂપે દષ્ટાંતની શક્યતા નિવારી શકતું નથી. વળી બધાં જ દષ્ટાંતોનું અવલોકન પણ શક્ય નથી. તેથી મર્યાદિત દષ્ટાંતોને આધારે પણ સંશયમુક્ત વ્યાપ્તિ તારવવા માટે, સાધ્ય અને હેતુ વચ્ચે અનિવાર્ય બંધન સૂચવે તેવા સંબંધ કયા ક્યા તે નક્કી કરવું જોઇએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org