________________
તતીય પરિછેદ : પરાર્થાનુમાન
૨૩૯ ચીધે છે. સાધ્યમીમાં વ્યાપ્તિવિશિષ્ટ સાધનધર્મનું સત્તથન અનિવાર્ય રીતે શ્રોતાને સાધ્યધમીમાં સાધ્યધર્મ હોવાનું તરત જ ભાન કરાવે છે. માનવચિત્તની તાત્પર્ય બંધની સહજ શક્તિ જતાં, જે વાત આપે આપ સમજાઈ જાય તે વાક્યથી ન કહેવી, તે આ લાઘવપ્રેમી શાસ્ત્રકારોને આગ્રહ જણાય છે. (સૂત્ર રૂ.૪૫ પરની ટિપણુ પણ જુએ.) સૂત્ર ૩૮ઃ
પક્ષની આ ચર્ચાનું મહત્ત્વ સમજી લેવું જોઈએ. “પક્ષ અને અર્થ સાદી ભાષામાં “હેતુ દ્વારા રજૂ કરેલું મંતવ્ય” એવો કરી શકાય. આવું મંતવ્ય કઈ વિવાદાસ્પદ બાબત અંગે કોઈ સિદ્ધ હેતુના આધારે જ રજૂ કરાય છે. એવું મંતવ્ય રજૂ કરતી વેળા પ્રતિવાદીની સામી દલીલ ઝીલવાની તૈયારી હોય છે. એટલે કે એ ચર્ચા માટે ખુલ્લું મુકાય છે, એ વિવાદાસ્પદ બાબત છે તે પ્રામાણિક સ્વીકાર કરાય છે. ટૂંકમાં, કોઈ વિવાદાસ્પદ બાબત અંગે વ્યક્તિએ પોતે પ્રમાણપુર:સર જે મત સ્વીકાર્યો હોય, તેને અન્ય વિચારકે પ્રત્યે કરાતો સીધો કે આડકતરો અસંદિગ્ધ પુરસ્કાર તે પક્ષ કહેવાય. તે પક્ષ જ વાદનું માન્ય, વિધિપૂત અંગે ગણાય, અને વારે વારે વારે તરાપોષઃ એ ન્યાયે સમ્યગૂજ્ઞાનનું નિમિત્ત બની શકે.
આ જ બાબત સ્પષ્ટ કરવા આ સૂત્રમાં આપેલા લક્ષણવાક્ય ને પ્રત્યેક પદથી પરિ. હરાતી અન્ય ભળતી બાબત એ પછીનાં સૂત્રોમાં ચી ધી બતાવાઈ છે.
2: “મનુષ્ય જિત..પ્રતિવના ': આના અનુસંધાનમાં કચેરબાટી નોંધે છે કે અહીં ગ્રંથારના મનમાં ન્યાયસૂત્ર ૨.૨.રૂમાંની પ્રતિજ્ઞા( = uસ = ભાગ)ની વ્યાખ્યા (સાનિર્વેશ: પ્રતિસા) છે, એ સૂત્રમાંની પ્રતિજ્ઞાની વ્યાખ્યાની શબ્દપસંદગી ગેરસમજ ઊભી કરે એવી છે. તે મુજબ તે, અસિદ્ધ એવો હેતુ કે જે સિદ્ધ કરવા લાયક હોય તે પણ “પક્ષ' (=સાધ્ય = પ્રતિજ્ઞા ) કહેવાય. આ ઉપરાંત માધ્યમિક શાખાની પ્રાસંગિક
અને સ્વાતંત્રિક એ બંને પરંપરામાં અબુદ્ધિગ્રાહ્ય વિધાનને પણ પક્ષ માન્યાં છે તેને નિશા પણ આ સ્થળે કદાચ ધર્મોત્તર કરવા માગે છે. દિ નાગે પક્ષના પરંપરાગત લક્ષણની આ મીમાંસા આરંભી હતી.
સૂત્ર ૪૦ :
આ સૂત્રની વાત દુર્વક આમ સ્પષ્ટ કરે છે : સTયત્વેનેઝરિ ચા સાધનને વતન્તાscક્ષ ફ્લેવમર્થ રદ્ કૃતિ સમુદાયાર્થ: I ( અથ : જે અર્થ સાધ્યરૂપે ઈટ હોવા છતાં સાધનરૂપે કહ્યો હોય તે અથ તે સંજોગમાં પક્ષ નથી એવું સૂચવવા “ પક્ષ 'ના લક્ષણમાં " ઇવ’ શબ્દ છે એમ સમગ્ર સૂવનો અર્થ છે.) અહીં એ સ્પષ્ટ કરવું જોઈએ કે જે અસિદ્ધ ધર્મ સાધનરૂપે પણ રજૂ થયે હેય તે રજૂ કરનારને તો સાધનરૂપે જ અભિપ્રેત હોય છે. જયારે એ સાધ્ય તરીકે પણ ઈટ તે પ્રતિવાદીની અપેક્ષાએ જ ગણાય, કારણ કે પ્રતિવાદી રજૂ થયેલા આવા હેતુમાં રહેલા અસિદ્ધાદિ દેવાભાસ બતાવીને તે સ્વયં સાખ્ય હવાનું પ્રગટ કરે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org