________________
૨૩૮
ન્યાયબિંદુ
પણ
વદતોવ્યાઘાત નીપજે છે (ખાસ કરીને પરિચ્છેદ 2માં). આમાંથી બચવા ટર્શનીય પદને પ્રેરકનું નહિ પણ મૂળ ક્રિયાનું વિધ્યર્થ ગણું “પ્રતિષો ની અને અર્થ “[એક ભાવનો અપર ભાવ સાથે ] નિયત સંબંધ જોઈ લેવો જરૂરી છે ' એમ કો ઘટે. તે જ રીતે પ્રતિઘોઘશનમાં પણ ૩નને સાદી ક્રિયાનું ભાવવાચક નામ લઈ સમગ્ર અર્થ “નિયત સંબંધનું આકલન ' એમ કર ઉચિત છે. આ પરથી સમગ્ર સૂત્રાર્થ એ થશે કે સાધ્યાભાવના સંજોગમાં સાધનનો અભાવ પ્રતિપાદિત કરનાર સાધનને સાધ્ય પ્રત્યેને પ્રતિબંધ ( = નિયત સંબંધી જોયો હોય તે અનિવાર્ય છે. તેથી જ અભાવપ્રતિબંધના આપ્તપુરુષકૃત કથનમાંથી ભાવ પ્રતિબંધ અવશ્ય ફલિત થાય છે, જેથી કહી બતાવવાની જરૂર નથી. તે રીતે ભાવપ્રતિબંધનું કથન તે અભાવપ્રતિબંધને આક્ષિપ્ત કરશે. સૂત્ર ૩૪ :
સૂત્રગત “ક્ષના ” શબ્દઃ અહીં સાધ્યવિશિષ્ટ ધમને ઉલ્લેખ કરતા વાક્યના અર્થમાં આ શબ્દ છે. અહીં વક્ષ એટલે વાદીને પોતાને પક્ષ; અનુમાન દ્વારા વાદીએ રજૂ કરેલો પિતાની મત. ન્યાયદર્શનમાં આ અર્થમાં પક્ષનિશ પ્રતિજ્ઞારૂપ પ્રથમ અવયવમાં અને પુનઃ નિગમનરૂપ પચમ અવયવમાં થતો હોય છે. ધર્મોત્તરે ક્ષનિર્દેશને સાથનિદે ! એવો પર્યાય આપ્યો છે.
આગળ ઉપર આ “ક્ષ' શબ્દના વિવિધ અર્થો અંગે ધર્મોત્તર રપષ્ટતા કરવાના છે. ન્યાયપરંપરામાં જેમાં સાધ્યસિદ્ધિ ઈષ્ટ હેય તેવા અધિકરણને “પક્ષ' કહે છે.
ઘ” શબ્દનો મૂળ અર્થ તે પાંખ. તે પરથી પાસું, પડખું, મત એ અર્થો ફલિત થાય છે. એમાંથી અન્ય અર્થો પલ્લવિત થયા. એક જ ગ્રંથમાં પણ એક ને એક શબ્દ જુદા જુદા અર્થોમાં વપરાતો હોય છે એનું આ ઉદાહરણ છે. તેથી અર્થ સમજવામાં થોડી ગુચવણ જરૂર થાય છે. શાસ્ત્રની વિભાવનાઓ હજી વિકાસદશામાં હોય ત્યારે પરિભાષાની આવી અરૂઢતા અનેક શાસ્ત્રોના ઇતિહાસમાં જોવા મળે છે.
[1 : સૂત્રગત નાવયં ઘનિરાઃ શબ્દને ધર્મોત્તર ક્ષોડવમેવ = નિર્દેશવ: એ શબ્દોથી સમજાવે છે તે અંગે દુક નોંધે છે કે આવું અર્થઘટન કરીને ધર્મોત્તર પૂછ્યું એવા, કહેવાતા વિદ્વાને વડે (
વિમાનૈ) રજૂ કરાયેલા નીચેના અર્થધટનનું ખંડન રે છે : પક્ષનિદેશ અવશ્ય ન કરવો એનો અર્થ એ કે ક્યારેક કરવો, થારેક નહિ.” ધર્મોત્તરને મતે પક્ષનિર્દેશ એટલે કે ન્યાયપરંપરામાં જેને સ્થાનભેદે પ્રતિજ્ઞાવાક્ય અને નિગમનવાક્ય કહે છે તેને નિર્દેશ કદી પણ ન થવો જોઈએ. દુક વાચારના આને મળતા મતને પણ નિદેશે છે. ધર્મોત્તર પરની તાનિવધન ટીકા પણ આ વાત નિર્દેશ છે.
પક્ષવિદેશ ન કરવાને આ આગ્રહ લાધવ ખાતર, પિષ્ટપેષણ અટકાવવા માટે લાગે છે. સાધ્યમમાં સાધનધમીનું દર્શન પણ વ્યાપ્તિનું વિશિષ્ટ સમરણ જ છે તેવું અગાઉ ધર્મોત્તરે સૂત્ર રૂ.૨પની ટીકામાં કરેલું કથન પણ આડકતરી રીતે પક્ષનિદેશની અનાવશ્યકતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org