________________
સમાલોચના
२७
શકે, પણ વસ્તુત: વિષય સુખાદિરૂપ હોતા નથી. વળી જ્ઞાનનું ભાન જેમ વિષયની સાથે જ થાય છે, તેમ સુખદુખાદિનું ભાન પણ સુખાદિના વિષયના બોધની ક્ષણે જ થાય છે.
ગિપ્રત્યક્ષ (૬.૨૨) : પ્રમાણુવિદ્યા પણ લોકોત્તર ચૈતન્ય કિવા સમાહિત ચિતદશા જેવા પ્રકૃષ્ટ અનુભવોને બુદ્ધિપૂર્વક સુપ્રતિષ્ઠિત યા સુસિદ્ધ કરવા માટે જ હોઈ શકે તે વાત વિવિધ ભારતીય અધ્યાત્મમાર્ગોમાં ચરિતાર્થ થાય છે. જૈન પરંપરામાં કેવળ( કૈવય)-જ્ઞાન, વૈશેષિક દર્શનમાં પ્રશસ્તપાદ દ્વારા સ્વીકૃત પ્રતિભા દર્શન , સાંખ્યશસ્વીકૃત યુગમાગ - આ બધા રૂપે પ્રમાણુશાએ ગૂઢાનુભવને પૂર્ણ પ્રતિષ્ઠા અપી છે. આમ પ્રમાણુશાસ્ત્ર અને અધ્યાત્મવિદ્યા વચ્ચે વસ્તુતઃ અવિરોધ છે. બૌદ્ધ પરંપરામાં પણ યોગમાર્ગનું ઊલટભર્યું, વ્યવસ્થિત ખેડાણ થયેલું છે.
અહી સૂત્રમાં વિજ્ઞાનનું સ્વરૂપ નથી કહ્યું, માત્ર તેની પ્રક્રિયા જ કહી છે તે ધપાત્ર બાબત છે. બૌદ્ધ દષ્ટિ પારમાર્થિક સત્યના સ્વરૂપને અનિર્વાચ્ય, અવ્યાકૃત કહે છે. જે પારમાર્થિક સત્ય અપૂર્વ છે તેને તેના અનુભવ પૂર્વે કહેવું તે અસંગત અને વ્યર્થ જ ગણાય. તેનું સ્વરૂપ કોઈ પણું શબ્દથી કહેવું હોય તો તે જિમરિ (કંઈક જુદું જ) એ શબ્દયુગલ વડે જ કહી શકાય. પાછળ ટિપ્પણમાં સ્પષ્ટ કર્યું છે તેમ પેગિસ્તાનને ભૂતાર્થની ભાવનાના પ્રકર્ષરૂપ નહિ, પણ તે મઠર્ષમાંથી જન્મ કહીને તેની અપૂવતા કે વિલક્ષણતા જ સૂચવી જણાય છે.
અત્રે ગિજ્ઞાનની પ્રક્રિયાને “ભૂત થંભાવના પ્રક" એ શબ્દોથી નિર્દોશી છે. “ભૂતાથ. નો પ્રાથમિક અથ તે સત અથ એટલે કે “ પ્રમાણે થી અનુભવાતા વિષયે એ જ થાય. ધર્મોત્તરની ટીકામાં આ અથ આપીને પછી માત્ર દૃષ્ટાંતરૂપે જ ચાર આર્યસત્યો (દુઃખ, દુ:ખસમુદાય, દુઃખનિરોધ અને દુખનિરોધક માર્ગ )ને એવા ભૂતાર્થ તરીકે નિદેશ્યાં છે. આમાં થોડો હકીકતદોષ લાગે છે. દુઃખાદિ ચાર આર્યસત્યો ખરેખર તો ભૂતાર્થરૂપ નહિ, પણ ભૂતાઈની ચિત્તધારાભાવના)માં ઊઠતી નિવેદાદિ ચિત્તાવસ્થા(ચેર)રૂપ છે. આગળ સ્વસંવેદનની ચર્ચામાં ધર્મોત્તરે પિતે જ સ્પષ્ટ કર્યું છે કે નીલાદિ વિષયો પિતે સુખારિરૂપ નથી. તે ન્યાયે જગતૂના વિષયે પોતે દુઃખાદિરૂપ નથી, પણ વિષયબોધરૂપ ચિત્તક્ષણ પિોતે દુ:ખાદિ સંવેદને રૂ૫ રૌત્ત-ક્ષણને સ્થાન આપે છે.
પ્રમાણદષ્ટ પદાર્થોમાં પુનઃ પુનઃ ચિત્ત સમભાવે એકાગ્ર કરવું તે થઈ ભૂતાર્થભાવના. આને અર્થ એ કે ગિજ્ઞાન માટે પ્રાથમિક પ્રમાણેથી થતે જગતનો અનુભવ અત્યંત ઉપાદેય છે. જગતને અવગણીને , લૌકિક પ્રમાણેને અવરોધીને ગિનાન કિંવા તત્ત્વદર્શન સંભવે નહિ – એ વાત આમાંથી સ્પષ્ટ થાય છે. અહીં ‘ભાવના ' શબ્દથી ભૂત થનું સાંસારિક વૃત્તિઓથી થતું ગ્રહણ નહિ, પણ સમભાવથી થતું ગ્રહણ, ભૂતાથ પાછળના અસીમ રહસ્યની જિજ્ઞાસાથી પુનઃ પુન: કરાતું ગ્રહણ અભિપ્રેત છે. આવી વિશિષ્ટ ભાવનાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org