________________
તૃતીય પરિછેદ : પરાથનુમાન
૨૩૫
અને સત્રાર્થમાં એ શંકાનું સમાધાન થતું નથી એવી ફરિયાદ કરે છે. ખરેખર તો ઉપયુક્ત શબ્દોને સ્વાભાવિક અર્થ નિશ્ચિતઃ સુષ્ય (એટલે કે “નિશ્ચિત કરવાનું ઇષ્ટ મનાય છે.')
એવો લાગે છે. તે અર્થ લેતાં સૂત્રાર્થ સાથે અવતરણિકાના વિસંવાદને અવકાશ રહેતો નથી. સાધર્મને સાધનધર્મમાત્ર સાથે અનુબંધ સ્વભાવહેતુના પ્રયોગકાળે નિશ્ચિત થે કેમ આવશ્યક છે એ પ્રશ્ન અત્રે ઉલ્લેખાય છે.
સૂત્ર ૧૭ :
આ સૂત્રની ધર્મોત્તરની અવતરણિકા અને સૂત્રનું તેમણે કરેલું અર્થઘટન સંતોષકારક જણાતાં નથી, કાણુ કે અગાઉ સાયને સાધનને સ્વભાવ કહ્યો છે, જયારે ધર્મોત્તરે આ સૂત્રના કરેલા અર્થમાં હેતુને (= સાધનને ) સ્વભાવરૂપ કહ્યો છે. તે શું એમ માનવું કે સાધ્ય અને સાધન બંને એકબીજાના સ્વભાવ છે ? તે બંનેની સમવ્યાપ્તિ માનવી પડે. પરંતુ હંમેશાં એવું બનતું નથી; દાતવૃક્ષત્વ એ શિશપાત્વને સ્વભાવ છે, પણ શિંશપાત એ વૃક્ષત્વને સ્વભાવ નથી. વિનીતદેવનું અર્થઘટન પણ આ પ્રકારનું જ છે.
આ સૂત્રને સાચા ભાવ કયો ? આ સૂત્રમાં રહેલે રર ધ્યાનમાં લેતાં એમ લાગે છે કે ભાગલા સૂત્ર અને આ સૂત્રમાં મળીને એક જ પ્રશ્નનો જવાબ અપાયો છે અને તે પ્રશ્ન તે સૂત્ર ૨.૨૬ની ધર્મોત્તરની અવતરણિકામાંને પ્રશ્ન : “સાધ્ય તે સાધનધર્મમાત્રાનુબંધી જ કેમ હોવું જોઈએ?” આગલા પાત્રમાં ઉત્તર આપવાની શરૂઆત કરી એનું સમાપન આ સૂત્રમાં કર્યું જણાય છે. આગલા સૂત્રમાં ઉક્ત પ્રશ્નને જવાબ એટલે આપે કે “ તેવા અનુબંધવાળું સાધ્ય જ સાધનને સ્વભાવ હોઈ શકે, અન્ય નહિ.' હવે એ દલીલને ઉત્તરાર્ધ આ સૂત્રમાં આવે લાગે છે: “ અને [ સાધનધમમાં 1 હેતુપણું [ તેના પિતાના ] સ્વભાવ [ એવા સાધ્ય ]ના સંદર્ભમાં જ હોઈ શકે તેથી.” આ સમગ્ર પરિસ્થિતિને કારણે જ સાધ્ય તે સાધનધર્મમાત્રાનુબંધી હોવાનું આવશ્યક મનાયું છે. આમ આ સૂત્ર રૂ.૨૭નું આખું વાક્ય આ પ્રકારનું અભિપ્રેત જણાય છે : [ સાપનષ ] માવઠ્ઠ ( = સ્વમાવં પ્રતિ) [ā] દેતુવાત ઃ આમાં “સ્વભાવક્શ' એ પદની પછી વિભક્તિ દેતુસ્ત્રના અધિકરણના અર્થમાં સંબંધષછી ન લેતાં પ્રતિયોગિતાસંબંધે પછી ગણી છે. અને દેતુત્વનું અધિકરણ સાધનધર્મને ગમ્યું છે. તે ઉપર્યુકત વિસંગતિ દૂર થાય અને ગ્રંથકારનું કચયિતવ્ય સ્પષ્ટ થાય. આ સૂત્રની વૃત્તિના બીજા વાગ્યમાંના કવમાત્ર gવની સંધિ “સ્વમાવ:” એમ ન છોડતાં ‘સ્વમાવે' એમ છોડીએ તે તેને અર્થ ૪માવં પ્રતિ લઈને કદાચ ધર્મોત્તરમાંથી પણ આ અર્થ જ તારવી શકાય. અલબત્ત, આ રીતની અવયકપના ફલિષ્ટ જરૂર લાગે છે. એટલે આ સૂત્રને સાચે અર્થ શોધો જ રહ્યો.
મra' શબ્દની ક્યારેક સાધ્ય સાથે તે કયારેક હેતુ સાથે અભિન્નતા સૂત્રમાં સાધી છે તે અર્થઘટનની મુશ્કેલી જન્માવે છે તે હકીક્ત તરફ ચેરબાસ્કી એમના અનુવાદના પૃ૦ ૧૩૬ની ટિપ્પણમાં ધ્યાન દોરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org