SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ ન્યાયબિન્દુ ટિપ્પણ મહાત્માઓના “અનાસ્ત્રવજ્ઞાન' વડે જ સિદ્ધ થઈ શકે એવી પ્રાઇવર્તિારમાંની પ્રજ્ઞાકરગુપ્તની રજૂઆત સ્વીકાર્ય ગણી શકાય. Royal-thsab પણ આવા અનુમાનમાં સાધારણ બુદ્ધિથી સિદ્ધ વ્યાપ્તિને પ્રમાણભૂત ગણતા નથી (જુઓ ચેરબાસ્કી, B. L. Vol. ll, પૃ૦ ૧૩૦ ). ભારતીય ન્યાયપરંપરામાં વ્યાપ્રિસિદ્ધિની પ્રક્રિયાને સીધે વિચાર ઓછો થયેલ છે. અહીં પણ આ બાબત વધારે પ્રકાશ પડતો નથી. (અગાઉની રૂ.૮.2 પરની ટિપ્પણુ જુઓ.) 4: “ન દેતુઃ ... દેવતા મજ:' : આમાં યોગ્યતાને દુવે કે આપેલે અર્થ (તથા રાતા ) કંઈક અંશે અસ્પષ્ટ છે. એમાં તથાને અર્થ “સ્વરૂપ” કે “સ્વસત્તા માત્ર એ લઈને “સ્વસત્તામાત્રની શક્તિ વડે” એવો સમગ્ર અર્ક કરી શકાય. 5 : “ વાન પ્રમાણેન' : અહીં પ્રમાણ શબ્દનો અર્થ કચેરબાસ્કી “દષ્ટાન્ત” લે છે. અહીં “બાધક પ્રમાણ વડે ને અથ બાધક પ્રમાણુ શોધવાના પ્રયત્નને અંતે તેવા પ્રમાણુની થતી અનુપલબ્ધિ વડે' એવો અભિપ્રેત છે. અથવા “હેતુને સાથે સાથે અપ્રતિબંધ કલ્પવાની વિરુદ્ધ મળતા બાધક પ્રમાણુના સમુદાય] વડે એવો ભાવ પણ લઈ શકાય. ભૂમિતિમાં કેટલાંક પ્રમેયો સિદ્ધ કરવા આ બાધક પ્રમાણુના પ્રતિપાદનની પદ્ધતિને ઉપયોગ જાણું છે. 6:* વિષ્ટિ .. હ્મરામનુમાનશાન !': અનુમાનવાક્યનું પક્ષધર્મોપદનરૂપ દ્વિતીય અવયવ પણ સ્મરણરૂપ હોવાની રજૂઆત વિલક્ષણ ગણાય. વ્યાતિ(સ્મરણ)રૂપ પ્રથમ અવયવ તે સ્પષ્ટરૂપે સ્મરણરૂપ છે જ, પરંતુ પક્ષધર્મતા રજૂ કરતું બીજુ અવયવ તે સ્મરણરૂપ ગણવું કે પ્રત્યક્ષરૂપ? હેતુની પક્ષધર્મતાનું જ્ઞાન તે અનુમાનકાળે જ થતું હોય છે, અનુમાનની પૂર્વે નહિ. તેથી અનુમાનકાળે તે જ્ઞાનનું સ્મરણ થવાનું કઈ રીતે માની શકાય ? એટલે ઉપયુકત વાકયનું નીચે મુજબ ભાષાંતર કરીને જ “સ્મરણ” શબ્દની પ્રાસંગિક ઉપયોગિતા બતાવી શકાય ? “શબ્દગત વિશિષ્ટ કૃતકત્વ પણ અનિત્યસ્વરૂપ સ્વભાવવાળું હોય એવું [વ્યાપ્તિને કારણે] સ્મરણ થવું તે અનુમાનજ્ઞાન.” હેતુની પક્ષધમતાનું જ્ઞાન પણ સામાન્ય ભાવે સ્મરાયેલી વ્યાપ્તિના વિશિષ્ટ સંદર્ભમાં કરેલા પુનઃ સ્મરણથી અનુસ્મૃત જ હોય છે - એ ભાવ ગ્રંથકારના મનમાં લાગે છે. સામાન્યરૂપે કરેલું વ્યાપ્તિસ્મરણ પણ હેતુની પક્ષધર્મતાના જ્ઞાન વખતે વિશેષરૂપે તાજુ થવું તે જ અનુમાનજ્ઞાનનું તાત્કાલિક નિમિત્ત છે એવું આ “રમરણ” શબ્દથી સૂચવાતું લાગે છે. અનુમાનજ્ઞાન એ વ્યાપ્તિનું વિશિષ્ટ સ્મરણ જ છે એવું અત્રે થતું સૂચન અને વિજ્ઞાનની રીતે ઘણું અનુરૂપ છે. સૂત્ર ૧૬ : આ સૂત્રની અવતરણિકાના “નિશ્ચિતઃ મૃતે ' એ શબ્દને “ચેરબાસ્કી “નિમિતે વિ કૂતે” એવા અર્થમાં સમજ્યા છે તે યોગ્ય લાગતું નથી; તેઓ અવતરણિકાને સમગ્ર ભાવ જુદે જ સમજ્યા લાગે છે. આમાં તેઓ સ્વભાવહેતુની વ્યર્થતાની શંકા વાંચે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy