________________
દ્વિતીય પરિછેદ : સ્વાર્થનુમાન
૨૧૯
7: ઇટાદિ પદાર્થને પ્રત્યક્ષ” એ વિશેષણ જેમ લાગે છે, તેમ કાળદષ્ટિએ “અતીત', વર્તમાન ” એ વિશેષણો પણ લાગે છે. હવે અસત્ એવા ઘટને લગતું “ પ્રત્યક્ષ” એ વિશેષણ જેમ આરોપિત છે, તેમ ઉપર્યુક્ત બે કાલિક વિશેષણ પણુ આરેપિત છે એમ કહેવાને આશય છે.
8; ફરી ફરી આ સૂત્રના થયિતવ્યને સ્પષ્ટ કરવા ધર્મોત્તર એ વાત ઘૂંથા કરે છે કે દૃશ્યાભાવને એટલે કે દશ્ય પદાર્થના અભાવને પ્રત્યય એ પ્રત્યક્ષ સિદ્ધ છે. માત્ર ધટાદિ પદાર્થની અભાવ-ત્યવહાર – ગ્યતા એટલે કે અભાવપ્રત્યયની અભાવનિશ્ચાયકતા જ અનુમાનસિદ્ધ છે. આમ ફરી ફરી ઘૂંટીને ધર્મોત્તર અભાવ્યવહારોગ્યતાની પણ અનુમેયતા બાબત પિતાને સૂકમ, અભાન અનિશ્ચય વ્યક્ત કરી રહ્યા હોય એવું પણ લાગે છે. અભાવવ્યવહારોગ્યતાના જ્ઞાનમાં અનુમાન વ્યાપાર માન કે કેમ એ ખરેખર વિવાદાસ્પદ પ્રશ્ન છે જ એ આગળ પણ આ ટિપણમાં નિર્દયું છે. જે અહીં કહ્યું છે તેમ ઘટાદિવિષયક અભાવજ્ઞાન પ્રત્યક્ષસિદ્ધ હોય તો પછી ઘટાદિવિષયક અભાવવ્યવહાર–યોગ્યતા પણ પ્રત્યક્ષસિદ્ધ જ માનવી પડે. છતાં સૂત્રકારને આશય સાવ ન સમજાય તેવું નથી. ઘટાદિની અનુપલબ્ધિથી પ્રથમ તેના અભાવની જે અનુભૂતિ થાય છે તે એક નિવિકલ્પ, અ#g' અનુભૂતિ હોય છે. પછી “જે જે દશ્ય પદાર્થ અનુપલબ્ધ હોય તે તે અભાવવ્યવહારોગ્ય હોય છે” એવી વ્યાપ્તિ તથા અનુલબ્ધ ધટાદિની દશ્યતાના સંયુક્ત જ્ઞાનથી તે ધટાદિની અભાવવ્યવહારોગ્યતા જ્ઞાત થાય છે. જેની ઉપલબ્ધિ થાય તે સતું છે એ વ્યાપ્તિની જેમ “ જેની ઉપલબ્ધિ ન થાય તે અસત છે” એવી નિરુપાધિક વ્યાપ્તિ સાચી ન હેઈ અનુપલબ્ધ પદાર્થની અભાવવ્યવહારોગ્યતા તે ઉપયુકત સોપાધિક (વિશિષ્ટ) વ્યાપ્તિ પર આધારિત અનુમાનથી જ સિદ્ધ થાય છે; કારણ કે જે તે પદાર્થની અનુપલબ્ધિની ક્ષણે તે પદાર્થની દશ્યતાને નિર્ણય નથી હોતો; તે બેધ સ્મૃતિજન્ય હોઈ પછીની ક્ષણે થાય છે. બીજા શબ્દોમાં કઈ પણ પદાર્થની અનુપલબ્ધિ તત્કાળ તો તે પદાર્થ અનુભવગોચર નથી એટલું જ સિદ્ધ કરે છે, પરંતુ તે પરથી તે પદાર્થની વાસ્તવિક અસત્તા તે ઉપર્યુક્ત દશ્યતાના પરામર્શથી જ અવગત થાય છે. તેથી ઊલટું, પદાર્થ ઉપલબ્ધ થાય એટલે તે ભાવવ્યવહારયોગ્ય છે એવું નિશ્ચિત કરવા માટે પ્રત્યક્ષ ઉપરાંત અનુમાનની જરૂર નથી. ઉપલબ્ધિ એ જ સત્તાનું સાક્ષાત જ્ઞાન છે, મન-માન ( =ાશ્ચાતુ-મન અર્થાત્ પાછળથી થતું જ્ઞાન) નથી. પ્રમાણપ્રવૃત્તિ સદ્ય: ભાવવ્યવસ્થાપક છે પણ પ્રમાણુનિવૃત્તિ એ તક કે પરામર્શ બાદ જ અભાવ-વ્યવહાર–ગ્યતાની વ્યવસ્થાપક બને છે એવો ભાવ છે. અભાવવ્યવહારમાં કોને અભાવ એ પ્રશ્ન થાય છે અને તેમાં સ્મૃતિઆદિની જરૂર પડે છે.
9: આમાં “યમાવતીતે.. મૂા મવતિ ' એ પાંચમા વાક્યને અર્થ અસ્પષ્ટ છે.
[12, 13 : આગળ ખંડ 5, 6માં કહેલું કે અભાવનિશ્ચયમાં માત્ર ઉપલંભાભાવ (જેને દુર્વેક પ્રણયપ્રતિષેધા અને તુજી કહે છે તે) પર્યાપ્ત નથી, પરંતુ જેને ઉપલંભ ન થતું હોય તે સિવાયની અન્ય વસ્તુને તે જ સ્થળકાળે ઉપલંભ (જેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org