SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ શo ન્યાયબિન્દુ ટિપ્પણ કે પ્રત્યક્ષજ્ઞાનનું ફળ શું. ફળની વાત કરતાં જ આપણે વ્યાવહારિક જગતનાં સંવેદના સ્તરે ઊભા છીએ એ યાદ રહે. એ રીતે ઉક્ત પ્રશ્નને ઉત્તર અગાઉ ધર્મોત્તરે આ પ્રત્યક્ષપરિચ્છેદના પ્રથમ સત્રમાં જણાવ્યું જ છે ઃ અર્થ ક્રિયાકારી વિષયમાં પ્રવર્તન કરાવવા સમર્થ એવું તે વિષયનું સ્પષ્ટ દર્શન થવું એ પ્રત્યક્ષજ્ઞાનનું ફળ છે. એટલે કે પ્રત્યક્ષજ્ઞાન પોતાના “પ્રત્યક્ષ' નામને લાયક ઠરવા “પ્રદર્શક ” હેવું ઘટે. આ પ્રદર્શકત્વ તે ફળ. હવે મૂળ સવાલ પૂછીએ કે આ જે પ્રત્યક્ષ જ્ઞાન (= પ્રમા કે પ્રમિતિ ) છે તેને સિદ્ધ કરનારું ને તેની પૂર્વે સંભવનારું એવું તેનું કારણ – જેને કેટલીક પરંપરાઓ પ્રમાણે” ( પ્રભાકરણ) કહે છે - જુદું માનવું જોઈએ ખરું? શું સમગ્ર પ્રત્યક્ષવ્યાપાર આ પ્રમાણુ અને પ્રમાં એવાં બે પગથિયાં બનેલું છે ? ન્યાય આદિ કેટલાંક દશનાએ એવાં પગથિયાં સ્વીકાર્યા છે. અત્રે ધમકાતિ એના નકારાત્મક જવાબ સૂચવે છે. પ્રત્યક્ષ પોતે જ પ્રમાણ અને પ્રમિતિરૂ૫ છે - એ એક ક્ષણને જ બનાવ છે; પ્રથમ ક્ષણ પ્રમાણુરૂપ ને પછીની ક્ષણ પ્રમિતિરૂ૫ - એ પ્રકારે બે ક્ષણને બનાવ નહિ. હવે એકનું એક પ્રત્યક્ષ એ પ્રમાણુ અને પ્રમાણફળ એક સાથે જ કઈ રીતે હેઈ શકે ? ઉત્તર એ છે કે જુદા જુદા દૃષ્ટિકોણથી તેને વિચાર કરવાથી ( = “ વ્યાવૃત્તિભેદે ') તે, તે તે રૂપે વ્યવહારાઈ શકે; જેમ કે એ જ્ઞાનમાં જે તે વિષયને આકાર પ્રતિબિંબિત હૈઈ (=સારૂવાત ') એ જ્ઞાન “ પ્રમાણુ” એટલે કે વિષયના યથાર્થ જ્ઞાનનું સાધન છે. તો બીજી બાજુ એ જ પ્રત્યક્ષ જ્ઞાન વિષયના યથાર્થ બેધરૂપ એટલે કે પ્રમિતિ કે અર્થપ્રતીતિરૂપ હેઈ ફળ પણ ગણાય. આને બદલે જે પ્રમાણ અને પ્રમિતિને જુદાં માનવામાં આવે તે “પ્રમાણુ'ની અવસ્થામાં વિષયની પ્રતીતિ ન હોવી જોઈએ, જે પ્રમિતિ માં જ સંભવે. હવે જે પ્રમાણ એ પ્રતીતિરૂપ ન હોય તે તે અર્થાધિગતિરૂપી અને પરંપસ્યા પ્રાપકપણારૂપી આવશ્યક ધમથી રહિત થતાં “પ્રમાણુ” કહેવાવા યોગ્ય નહિ રહે. પહેલાં જ્ઞાન અને પછી જ્ઞપ્તિ, પહેલાં પ્રમાણ અને પછી પ્રમિતિ કે પહેલાં જ્ઞાનક્રિયા અને પછી જ્ઞાનફળ - આવી ક્રમિકતા ધમકીતિને માન્ય નથી. બીજા શબ્દોમાં પહેલાં જ્ઞાન અજ્ઞાત હોય અને પછી જ્ઞાન જ્ઞાત થાય એવી કલ્પના જ જ્ઞાનના સ્વભાવથી વિરુદ્ધ છે. વળી બૌદ્ધ સ્વસંવેદનપ્રત્યક્ષની ક૯૫ના મુજબ પણ જ્ઞાન એ જ્ઞાતરૂપે જ પ્રગટે છે. એ અનુસંધાનમાં જ પ્રસ્તુત સૂત્રની પ્રમાણુ અને પ્રમાણુળની અભિન્નતાની વાત આવી પડે છે એમ કહેવું જોઈએ. બૌદ્ધ કલ્પના મુજબ જ્ઞાન અને જ્ઞાતા જુદા નથી. એમની દૃષ્ટિએ તે જ્ઞાન એટલે જ ચિત્ત; જ્ઞાનથી પૃથક્ એવું કઈ ચિત્ત કે પૃથફ એ કોઈ આત્મા છે જ નહિ. આ સંદર્ભમાં પણ પ્રમાણુ અને પ્રમાણુફળની અભિન્નતાની વાત સ્વીકારવાનું અનિવાર્ય છે. પ્રમાણને જે કરણ માનીએ તે એ કરણના પ્રયોક્તા તરીકે આત્મા કલ્પ પડે, ને એ આત્મા અનેક ક્ષણ દરમિયાન અસ્તિત્વ ધરાવતો કપ પડે; તે જ તે પ્રમાણુ વડે પ્રમ કે બોધ પ્રાપ્ત કરી શકે. ક્ષણભંગવાદી બૌદ્ધ આવા સ્થાયી આત્મતત્વને સ્વીકારતા નથી. તેથી તેના કરણ તરીકે પ્રમાણ પણ શી રીતે કલ્પાય? પ્રતીત્યસમુત્પાદવાદ મુજબ જ્ઞાનની કહેવાતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy