SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પરિછેદ : પ્રત્યક્ષ ૨૦૩ પર આશ્રિત' જ્ઞાન. પછી તેને લક્ષણ દ્વારા “પદાર્થનું સાક્ષાત્કારિ જ્ઞાન' એવો અર્થ વિકસ્યો. મુખ્યાર્થી અને લક્ષ્યાર્થ વચ્ચે એકાસમવાય-સંબંધ છે, એટલે કે “અક્ષાશ્રિતત્વ' એ મુખ્યાથ અને “અર્થસાક્ષાત્કારિત્વ' એ લક્ષ્યાર્થ – એ બંને વિશદત્વધર્મથી વિશિષ્ટ એવા ઇન્દ્રિયજ્ઞાનમાં સમવાયસંબંધે રહે છે. સૂત્ર ૪ : 2 : ધર્મોત્તર મુજબ ઉક્ત સત્રમાં “પ્રત્યક્ષ કે પદાર્થ તે પ્રસિદ્ધ હેઈ આ સૂત્રને ઉદ્દેશ્ય તે પ્રસિદ્ધ પદાર્થના ધર્મોનું યથાર્થ પૃથક્કરણ કરી આપવાનું છે. અલબત્ત, આપણે એટલું ઉમેરી શકીએ કે આ સૂત્રથી “પ્રત્યક્ષ” જ્ઞાન કોને કહેવું તે અંગેની સમજ પરિ. માજિત થતાં પ્રત્યક્ષ વિષેના બ્રાન્ત વ્યવહારથી બચવાનું બને. “ પ્રત્યક્ષ' તરીકે લો. વ્યવહારમાં ઓળખાતું બધું જ કાંઈ યથાર્થ રીતે પ્રત્યક્ષજ્ઞાન હેતું નથી. 5 : “કલ્પનારહિત' ( જહાનાવોઢ) એટલે પિતે કલ્પનારૂપ ન હોય તે એ અર્થ છે, “જેને વિષે ક૯૫નારૂપ અન્ય ભાવને સંગ નથી થયો એવો અર્થ નહિ. નહિ તે કલ્પનારૂ૫ વિક૯પ પ્રત્યક્ષ પિતે અન્ય કલ્પનાના સંગવાળું ન હોઈ તે પણ નવોઢ કરે. 6 : “ન્નિશોધિળમ એવા વતુરૂપ વિષે ભ્રમ નહિ ધરાવનાર જ્ઞાન તે પ્રત્યક્ષજ્ઞાન” આ લહમાંથી જન્મતા પ્રશ્નની ચર્સ દુર્વક સવિરતર કરે છે. “પરમાણ જ જે પારમાર્થિક રીતે બાહ્ય વસ્તુ હોય તે પ્રત્યક્ષજ્ઞાનમાં વસ્તુ ભૂલ રૂપે કેમ દેખાય છે?' એવી શંકાનું તેમણે કરેલું સમાધાન કંઈક અસ્પષ્ટ, કંઇક અપ્રતીતિકર લાગે છે. પ્રશ્ન ઘણે તાવિક છે. 8 : તાના-રીવ તુ વૃક્ષાર્થોિડવા| : “ અન્ય જ્ઞાનને જ આભારી” એટલે તે સ્થળે પહોંચ્યા બાદ થતા સ્થિર વૃક્ષના પ્રતિભાસને આભારી (). તેમાં વિશેષમાં ઉમેયું છે: ચાલતા વૃક્ષનું મિથ્યાજ્ઞાન પ્રજનવાળા પુરુષની પ્રવૃત્તિને જ હેતુ છે, વૃક્ષપ્રાપ્તિને હેતુ નહિ. 10 : સૂત્રમાંના “મઝાન્ત' પદ અંગે છેલ્લે વિશેષ સ્પષ્ટતા કરે છે. અહીં ધર્મોત્તરના મનમાં વિનીતદેવનું ભિન્ન અર્થધટન હોવાનું સ્પષ્ટ જણાય છે. વિનીતદેવની પ્રસ્તુત સૂત્ર પરની ટીકામાં મનિ વાળ અસ્ત્રાન્તત્વમ્ એવા શબ્દો છે. આ અર્થ મુજબ તે અનુમાન વિનીતદેવની દષ્ટિએ બ્રાન્ત ન ગણાય; કારણ કે તે સંવાદક જ્ઞાન છે. ધર્મોત્તરને અનુમાનજ્ઞાનની અવિવાદકતા અમાન્ય નથી. પરંતુ પ્રસ્તુત સૂત્રમાં “માન્ત' પદને જે અર્થ વિનીતદેવે કરેલ છે તે અંગે તેમણે લીધેલું વાંધો ઘણે વાજબી અને વિશદરૂપે રજ કરાયેલ છે. પ્રત્યેક સૂત્રમાં કંઈક નવું કહેવાવું જોઈએ એ ન્યાયે એ વાંધે એમણે રજૂ કર્યો છે. એથી “અબ્રાન્ત”ને અર્થ સૂત્રકારને “અક્રિયાક્ષમ વસ્તુરૂપમાં અવિપરીત” એવો અભિપ્રેત હેવો ઘટે તેવી ધર્મોત્તરની રજૂઆત છે. એ અર્થમાં તે “અબ્રાન્ત” પદથી પણ અનુમાનનો નિરાસ થાય છે - જેમ “ક૯પનારહિત' પદથી થાય છે તેમ. જયારે વિનીત પિતે સ્વીકારેલા અર્થધટનના સંદર્ભમાં કહે છે કે સૂત્રમાંના “કલ્પનારહિત’ શબ્દથી અન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy