________________
૨૦૨
ન્યાયબિન્દુ ટિપ્પણ તેના હેતુરૂપ જલાદિનું જ્ઞાન; તેમાંથી સૂત્રમાં ઉલ્લેખાયેલું જ્ઞાન તે દ્વિતીય. સમગ્ર પરિચ્છેદની વિવક્ષા એ છે કે આ શાસ્ત્રને ઉદ્દેશ્ય વ્યક્તિનાં ધ્યેયો કે અભિલાષોનાં સમકૂવ-અસમ્યક્ત્વના પરીક્ષણને નથી, પરંતુ તે એ કે અભિલાષોની સિદ્ધિ માટે જરૂરી એવાં સાધના જ્ઞાનના સમ્યક્ત્વ–અસમ્યક્ત્વના પરીક્ષણને છે.
26: લાઘવ અથે ગ્રંથકારે પદાર્થોના હેય, ઉપાદેય ને ઉપેક્ષણીય એવા ત્રણ વર્ગોની જગાએ પ્રથમ બે જ વર્ગોની કલ્પના પર્યાપ્ત માની છે.
27 : પુરુષાર્થસિદ્ધિ એટલે વ્યક્તિને તાત્પદાર્થવિષયક હાન કે ઉપાદાનરૂપ પ્રોજનનું અમલી સ્વરૂ૫.
28 ; “સવ' શબ્દ હાન કે ઉપાદાન એ બંને વર્ગોને માત્ર સામાન્ય રૂપે જ આવરી લેત નથી, પણ બંને વર્ગોના એકેએક વિશેષને આવરી લે છે.
29 : મિયાજ્ઞાનથી વ્યક્તિ પ્રવર્તી શકે ખરી, પરંતુ તેના ફળરૂપે અર્થસિદ્ધિ થાય તો તે જ્ઞાનથી પ્રદશિત અર્થ કરતાં અન્ય અર્થની જ સિદ્ધિ થશે. એટલે એ જ્ઞાને બતાવેલા અર્થની સિદ્ધિ તે ન જ થઈ ગણાય. વળી જે અન્ય અર્થ સિદ્ધ થાય તેની પણ તરત પૂવે મિથ્યાજ્ઞાનને નિરાશ કરનારું સમ્યગૂ જ્ઞાન ઊપજે તે આવશ્યક ગણાય. એટલે તે અન્ય અર્થની સિદ્ધિ મૂળ મિયાજ્ઞાનથી નહિ, પણ પછી થયેલા સમ્યજ્ઞાનથી જ પ્રયુક્ત ગણાય. પુરુષાર્થસિદ્ધિમાત્ર માટે સમ્યજ્ઞાનની અનિવાર્યતાની વાત એટલે જ આચારશાસ્ત્ર માટે તત્વવિદ્યાની અનિવાર્યતાનું પ્રતિપાદન. સૂત્ર ૨ :
(મૂળ અને અનુવાદ બંનેમાં પરિચ્છેદ કમાંક 1 અને 2 નાખી દેવા.)
2 : સમ્યગજ્ઞાનનું સામાન્ય લક્ષણું કહેવાનું કેમ શક્ય નથી તે ધર્મોત્તરે સ્પષ્ટ કર્યું નથી. તેમણે જ આગલા સૂત્રની ટીકામાં વિલં વાવ શાન સારાનમ્ એમ સામાન્ય લક્ષણ આપ્યું છે તેનું શું? આને ઉત્તર દુકે ઘ૦૫માં આપવા પ્રયત્ન કર્યો છે. તેઓ ઉપર્યુક્ત સામાન્ય લક્ષણ આપવાનું શકર્યું હોવાનું સ્વીકારીને પણ સૂત્રકાર દ્વારા તે ન અપાયાનાં બે વૈકલ્પિક કારણ આપે છે: ૨. જ્ઞાનાનાં તwાતિવિ સર્વ પ્રકૃત્તિમાન પ્રવૃન્દુ
તદુપરક્ષi નાસ્તિ.. | (બધાં જ્ઞાનેનું એવું સર્વસાધારણ સ્વાપ, કે જે પ્રવતવા ઇચ્છનારાને પ્રવૃત્તિમાં ઉપયોગી થાય, તે ચીંધવું શક્ય નથી.) ૨. વિપ્રતિપત્તિનિરાઘવનું થાવાર રક્ષા તાન્તિા (કાનમાત્રનું તેવું સાધારણું લક્ષણ જે અન્ય મતોનું નિરસન કરે તેવું હોય તે કહી શકાય તેમ નથી.) અતિપ્રસિદ્ધ એવા સમ્યગ્વજ્ઞાનની વ્યાખ્યા આપવાથી વિશેષ અર્થ ન સરે એવો આને ધ્વનિ જણાય છે. વિનીતદેવ આ પ્રશ્ન છેડતા જ નથી. ચેરબાસ્કીને પણ ધર્મોત્તરનું કથન ગળે ઊતરતું નથી. જો કે તેઓ પણ દુકની જેમ ધર્મોત્તરના એ કથનને ન્યાય કરવા કહે છે કે કદાચ તેમને ઉક્ત વ્યાખ્યા શાબ્દિક લાગી હોય. સૂત્ર ૩ :
1 : " પ્રત્યક્ષને વ્યુત્પત્તિસિદ્ધ અર્થ “અક્ષ (= ચક્ષથી ઉપલક્ષિત ઈન્દ્રિયમાત્ર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org