SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ २२ ધમ કીતિ લામા—તારાનાલિખિત બૌદ્ધ પરપરાના ઇતિહાસમાં ધમકીર્તિના જીવનની કેટલીક ધ્યાનપાત્ર વિગતો આપી છે. તે દક્ષિણ ભારતના પૂર્વ ભાગમાં આવેલા ‘ચૂડામણિ દેશ કિવા ત્રિમલયમાં કારુનંદ નામના રિવ્રાજક બ્રાહ્મણ પિતાને ઘેર જન્મેલા. વેદ, વેદાંગ, વ્યાકરણ, આયુવેČદ, લલિત કલાઓમાં સારી નિપુણતા પ્રાપ્ત કરેલી, નાનપણથી તીવ્ર પ્રજ્ઞા અને બુદ્ધિશક્તિ દાખવેલી. તીવ્ર જિજ્ઞાસાને વશ થઈને બૌદ્ધ ધર્મ વિષે પણ કિશારાવસ્થામાં જ ઘણું નાન મેળવ્યું અને સ્વસમુદાયને કાપ વહેરીને પણ બૌદ્ધ ઉપાસકને વેષ અને બૌદ્ધ જીવનચર્યા અંગીક્રાર્યા. સંધર્ષી ટાળવા મધ્યદેશ(મંગધ)માં નાલંદા અને ત્યાં વૃદ્ધ બૌદ્ઘ અ ચાય ધમ પાલ પાસે દીક્ષા લીધી ત્યાર બાદ ડ્િનગના શિષ્ય ઈશ્વરસેન પાસે તાાસ્ત્રનું અધ્યયન કર્યું. પરપરા તેમને કુમારેિલ ભટ્ટ સાથે પણ સાંકળે છે. કુમારેલ પાસેથી વૈષાંતરે વિદ્યાગ્રહણ કરી તેમને વાદમાં પરત કર્યાંની કથાઓ મળે છે. ઉત્તરાવસ્થામાં કલિંગમાં વિહાર સ્થાપી બૌધમમાં અનેકને દીક્ષિત કર્યા. કલિંગમાં જ તેમનુ અવસાન થયું. ગયા ન્યાયષિ’દુ ધર્મ કતિના સમયનિય ચાક્કસ રૂપે થયે નથી, છતાં જુદી જુદી પૂર્વાંત્તર મર્યાદાઓને આધારે તેમને જુદા જુદા વિદ્વાને ઈ. સ. ૫૫૦થી ઈ. સ. ૬૭૫ વચ્ચેના ગાળામાં મૂકે છે. ધમ કાતિને નામે મળત સાત ગ્રંથોમાં ત્રણ શુદ્ધ પ્રમાણુ-શાસ્ત્રને કેન્દ્રમાં રાખે છે : ( ૧ ) ‘ પ્રમાણુવા તિ ક ' ~ દિRsનાગના ‘ પ્રમાણ-સમુચ્ચય'ના વિવરણરૂપે લખાયેલા આ ગ્રંથમાં પ્રત્યક્ષ, સ્વાર્થાંનુમાન અને પર ાઁનુમાન એ ત્રણ ખંડ ઉપરાંત પ્રામણ્યચર્ચાના એક અલગ ખડ છે તે વિશેષ બાબત છે તેમાં મુદ્દના ધર્માંકાય, જ્ઞાનકાય, સ્વભાવકાયની ચર્ચા છે. આ ગ્રંથની પ્રમાણચર્ચા `તિ અધિકારી માટે થયેલી કહેવાય છે. ( ૨ ) · પ્રમાણુવિનિશ્ચય' – આમાં પણ પ્રત્યક્ષાદિ ત્રણ પરિચ્છેદોમાં મધ્યમ અધિકારી માટે પ્રમાણચર્ચા થયેલી છે. ( ૩ ) ‘ ન્યાયબિં’દુ’ આમાંતી પ્રમાણુચર્યાં પ્રાજ્ઞ અધિકારી માટે છે. આ ઉપરાંત ખીન્ન ગ્રંથે આને લગતા જ ખાસ વિષયાને સવિશેષ ચચે' છે : (૪ ) ‘વાદન્યાય ’ માં પરાર્થાનુમાનના અવયવો અને વાદ-વ્યવસ્થાની ચર્ચા છે. (૫) ‘ સંબધપરીક્ષા 'માં સબધાના પ્રકાર અને સંબંધેાની વાસ્તવિકતા અંગેની પરીક્ષા છે. ( ૬ ) ‘ હેતુબિંદુ'માં હેતુ કિવા લિંગના ત્રણ પ્રકારોની ચર્ચા છે. (૭) ‘સન્તાનાન્તરસિદ્ધિ ’માં સ્વચિત્તસંતતિ જેમ અન્ય-ચિત્ત-સંતતિની અનુમાનથી સિદ્ધિ બતાવાઈ છે. ધર્મોત્તર ‘ ન્યાયબિંદુ ' પર લખાયેલી અનેક ટીકાએમાં શ્રેષ્ઠ અને વિષયલક્ષી ટોકા અત્રે છાપેલી ધર્માંત્તરની ‘ ન્યાયબિંદુટીકા ' ગાય છે. તે ( અચટ )ના શિષ્ય હતા. કાશ્મીરમાં થઈ ગયા, * કલ્યાણરક્ષિત અને ધર્માંકરદત્ત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy