________________
ન્યાયબિંદુ પિતાનું હોવું તે) હોય છે, તે જ સાધ્યનું [ હેતુ સાથેનું ] તાદાત્મ કહેવાય. જ્યારે સાધનને [ સાધ્યરૂપ ] સ્વભાવ જ્ઞાત થાય છે ત્યારે જ [ તે સાધન કિંવા ] સ્વભાવહેતુનાં સપક્ષમાં જ સત્ત્વ અને સર્વ વિપક્ષમાંથી વ્યાવૃત્તિની પ્રતીતિ થાય છે.
4. तदेव सामान्यलक्षण विशेषात्मक ज्ञातव्यम् नान्यथा । ततो विशेषलक्षणमुक्तम् ।
4. આ રીતે સામાન્યલક્ષણને વિશેષ રૂપે (= વિશેષો વિષે) જાણવું જોઈએ, એ સિવાય [ સામાન્ય લક્ષણ જાણી શકાય ] નહિ. એટલે [ હેતુના યથાર્થ આલન માટે હેતુના શક્ય એવા ] વિશેષોનું લક્ષણ પણ કહ્યું.
___5. किमतो यदि नामैवमित्याह - तच्च सामान्यलक्षणं दर्शयितुकामेन विशेषलक्षणं दर्शयतैव दर्शनीयमिति संबन्धः ।
5. “આમ [ હેતુનું સામાન્ય લક્ષણ સ્વરૂપ સમજવા વિશેષલક્ષણ જ્ઞાનની આવશ્યક્તા ] હોય તે વાતને [ દષ્ટાન્તના અલગ લક્ષણની ચર્ચા સાથે 3 શો સંબંધ ? ' આ પ્રશ્નના ઉત્તર રૂપે [ સૂત્રમાં ] “તે ચીંધવા માટે ” અર્થાત્ સામાન્યલક્ષણ સમજાવવા વિશેષલક્ષણ ચીંધવા માટે “આમ દર્શાવવું પડે[ એ મુખ્ય વાચવાળું લાંબું વાકય ] કહ્યું છે.
6. यत्र धूमस्तत्रामिरिति कार्यहेतोर्व्याप्तिर्दर्शिता । व्याप्तिश्च कार्यकारणभावसाधनात्प्रमाणात निश्चीयते । ततो यथा महानस इति दर्शनीयम् ।
6. “જ્યાં ધુમાડે ત્યાં અગ્નિ' એ વાક્યમાં કાર્ય હેતુની [ અન્વય–] વ્યાપ્તિ બતાવી છે. હવે [ આ સામાન્ય ] વ્યાપ્તિ કાર્યકારણભાવ સિદ્ધ કરતા [ વિશેષ દૃષ્ટાંતરૂપ ] પ્રમાણુથી જ નિશ્ચિત થાય. એટલે [ ઉક્ત વ્યાપ્તિથન સાથે અનિવાર્ય રૂપે] “જેમ કે રસોડામાં એવું [ વ્યાપ્તિસાધક પ્રમાણ] બતાવવું જ પડે.
7. असत्यमौ न भवत्येव धूम इति व्यतिरेको दर्शितः । स च यथेतरस्मिन्निति दर्शनीयः । वह्निनिवृत्तिहिं धूमनिवृत्तौ नियता दर्शनीया । सा च महानसादितरत्र दर्शनीया ।
1. “અગ્નિ ન હોય તે ધુમાડો ન જ હોય” એ વાક્યમાં વ્યતિરેક [-વ્યાપ્તિ ] કહેવાઈ છે. એની પ્રતીતિ પણ “જેમ કે [ રસોડાથી ] અન્ય એવા [ જળાશયાદિ ] સ્થળમાં” [ એવા પ્રમાણથી ] કરાવવી પડે; કારણ કે અગ્નિની અનુપસ્થિતિને ધુમાડાની અનુપસ્થિતિ સાથે નિયત સંબંધ બતાવવો જરૂરી હોય છે. એ સંબંધ રસોડા સિવાયના અન્ય સ્થળ વિષે બતાવવું પડે. [ નહિ તે વ્યતિરેકને નિયમ અપ્રતીત જ રહે. ]
8. यत्र कृतकत्वं तत्रानित्यत्वमिति स्वभावहेतोर्व्याप्तिर्दर्शिता । अनित्यत्वाभावे न भवत्येव कृतकत्वमिति व्यतिरेको दर्शितः । व्याप्तेश्च साधकं प्रमाण साधर्म्यदृष्टान्ते दर्शनीयम् । प्रसिद्धव्याप्तिकस्य च हेतोः साध्यनिवृत्तौ निवृत्तिर्नियता दर्शनीया । तदवश्यं यथा घटे, यथाकाशे चेति दर्शनीयम् ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org