________________
૧૬૫
તૃતીય પરિછેદ : પરાથનુમાન સિદ્ધ થયું નથી; એ કારણે [ અન્વયે પણ નક્કી થતો નથી.] પ્રાણુદિ વસ્તુધર્મ હોઈ [ સમગ્ર વસ્તુને આવરી લેતા એવા ] તે બે રાશિમાં કે એક રાશિમાં છે એટલું નક્કી થયું છે; પણ તે સાત્મકમાં જ છે કે નિરાત્મકમાં જ છે એવું નિશ્ચિત થયું નથી. એટલે પછી [ પ્રાણદિન તે બેમાંથી અમુક સાથેના જ] અન્વયને નિશ્ચય ક્યાંથી થાય ? ( ૧૦૪)
ननु च प्रतिवादिनो न किंचित् सात्मकमस्ति । ततोऽस्य हेतोन सात्मकेऽन्वयो न व्यतिरेक इत्यन्वयन्यतिरेकयोरभावनिश्चयः सात्मके, न तु सद्भावसंशय इत्याशक्याह -
नापि सात्मकादनात्मकाच तस्यान्वयव्यतिरेकयोरभावनिश्चयः ।। १०५ ।।
બૌદ્ધોના અનાત્મવાદની સહજ યાદ આવતાં કઈ જિજ્ઞાસુ પૂછે છે : ] “[ બૌદ્ધ ] પ્રતિવાદીની દષ્ટિએ તે [ જગતમાં ] કઈ વસ્તુ સાત્મક જ નથી. તેથી પ્રાણદિરૂપ હેતુને [અવસ્તુ એવા] સાત્મક સાથે ચન્વય કે વ્યતિરેક [ હોવાનો પ્રશ્ન જ થત ] નથી. એટલે [ એમની દૃષ્ટિએ તે ] પ્રાણદિના સાત્મક સાથેના અન્વય કે વ્યતિરકના અભાવનો જ નિશ્ચય થાય છે; [ અન્વય કે વ્યતિરેકના ] સભાવ ( = અસ્તિત્વ) બાબતને સંશય નહિ.” આ આશંકા કહપીને કહે છે :
અને ન તે સાત્મકમાંથી કે ન તે અનામકમાંથી તેના અન્વય-વ્યતિરેકના અભાવનો પણ નિશ્ચય થાય છે. (૧૫)
1. नापि सात्मकाद् वस्तुनस्तस्य प्राणादेरन्वयव्यतिरेकयोरभावनिश्चयः । नापि च निरात्मकात् । सात्मकादनात्मकादिति च पञ्चमी व्यतिरेकशब्दापेश्चया द्रष्टव्या ।।
1. ન તે સાત્મક વસ્તુમાંથી તેના અર્થાત પ્રાણદિના અન્વય-વ્યતિરેકના અભાવને નિશ્ચય થાય છે, ન તે નિરાત્મક વસ્તુમાંથી. “સાત્મકમાંથી” અને “નિરાત્મકમાંથી' એમ પંચમી વિભકિત [ “અન્વયવ્યતિરેક એ સમાસમાંના “અન્વય” શબ્દ સાથે બંધબેસતી નથી તે સાચું, પણ તે તે ] “વ્યતિરેક શબ્દની અપેક્ષાથી વાપરી છે તે ધ્યાનમાં લેવું; [અન્વયના અનુસંધાનમાં “સાત્મક કે નિરાત્મક સાથે” એમ તૃતીયાને અધ્યાહાર કરે.] ( ૧૦૫).
कथमन्वयव्यतिरेकयो भावनिश्चय इत्याह - ઘરમાવનિયથસ્થrvમાવનિશ્ચયનારાયવરવાર્ છે ૨૦૬ .
[ પ્રાણદિના સાત્મક કે અનાત્મક પ્રત્યેના ] અન્વય-વ્યતિરેકના અભાવને નિશ્ચય કેમ નથી થતા તે સ્પષ્ટ કરે છે :
કારણ કે એકના અભાવને નિશ્ચય તે અન્યના ભાવનિશ્ચયનો નિયત સહચારી હોય છે. ( ૧૦૬ )
1.एकस्यान्वयस्य व्यतिरेकस्य वा योऽभावनिश्चयः सोऽपरस्य द्वितीयस्य भावनिश्चयनान्तरीयकः भावनिश्चयस्याव्यभिचारी । तस्य भावस्तत्त्वं तस्मात् । यत एकाभावनिश्चयोऽपरभावनिश्चयनान्तरीવ, તસ્માત ન પ્રયોજત્રામાવનિકાઃ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org