________________
ન્યાયબિન્દુ 2. આ લોકમાં કોઈ વસ્તુને પરિચ્છેદ( = સ્વરૂપને નિશ્ચિત બેધ) કરવાની પ્રક્રિયામાં [તેનાથી અન્ય પદાર્થોના રવરૂપ ] વ્યવચ્છેદ (= નિષેધ) થતો હોય છે. આમાં વ્યવચછેદ પામતી [ અન્ય વસ્તુઓના સ્વરૂપના પરિહાર વડે જ પેલી પરિછેદ પામનારી વસ્તુ [-નું સ્વરૂપ જ્ઞાતાના મનમાં ] સ્થિર થાય છે એ બાબત ધ્યાનપાત્ર છે; [ દા. ત. ] નીલને સુનિશ્ચિત સ્વરૂપબધ થતું હોય ત્યારે નીલના સ્વરૂપને અભાવ [ આપોઆપ ] પરિહરાય છે; જે તેમ ન થતું હોય તે નીલને સ્વરૂપ ધ ન થયા બરાબર ગણાય. તેથી કોઈ પણ વસ્તુને ભાવ અને અભાવ એ બંને એકબીજાને પરિહાર કરવા વડે જ પોતાના સ્વરૂપમાં સ્થિર થયેલા હોય છે.
3. नीलात्तु यदन्यद्रव तन्नीलोभावाव्यभिचारि । नीलस्य दृश्यस्य पीतादावुपलभ्यमानेऽनुपलम्भादभावनिश्चयात् । यथा च नीलं स्वाभावं परिहरति तद्वदभावाव्यभिचारि पीतादिकमपि । तथा च भावाभावयोः साक्षाद्विरोधः, वस्तुनोस्तु अन्योन्याभावाव्यभिचारित्वाद्विरोधः । (કઈ પણ બે નિયત પદાથ વચ્ચે પણ ઉક્ત વિરોધનું અસ્તિત્વ :).
૩. [ " નીલને તેના અભાવ સાથે વિરોધ હોય છે તે શું તેને પીતાદિ સાથે વિરોધ નથી હોતો ?” – આવો પ્રશ્ન સ્વાભાવિક રીતે થાય. એને ખુલાસો કરીએ : ] નીલથી જે કાઈ) અન્ય રૂપ હોય છે તે નીલના અભાવનું અવ્યભિચારી (= નિયત સહચા) હોય છે. [“ આનું પ્રમાણુ શું ?” એ પ્રશ્નનો ઉત્તર એ છે કે ] જ્યારે પીત વગેરે [ નીલેતર પદાર્થો ] ઉપલબ્ધ થાય છે ત્યારે તેમનામાં દશ્ય એવા નીલની અનુપલબ્ધિ-રૂપી લિંગ Jથી [નીલના] અભાવને નિશ્ચય થાય છે. [આ ઉપરથી નીલને પીતાદિ સાથે પણ વિરોધ ફલિત થશે; કારણ કે] જેમ નીલ પિતાના અભાવને પરિહરે છે, તેવી રીતે [ પિતાના ] અભાવના અવ્યભિચારી એવા પીતાદિને પણ પરિહરે છે. એટલે આમ [કોઈ વસ્તુના] ભાવ અને અભાવને વિરોધ સીધેસીધે [ કળાય ] છે, જ્યારે બે વસ્તુઓ વચ્ચે વિરાધ , તે બંને એકબીજાના અભાવના નિયત સહચારી હોવાથી [આડકતરી રીતે ફલિત થાય ] છે.
4. જ0 વાત્રામાવાવાય ? યો નિયતાજારોડ, | ન વનિતા, ક્ષણિવાदिवत् । क्षणिकत्वं हि सर्वेषां नीलादीनां स्वरूपात्मकम् । अतो न नियताकारम् । यतः क्षणिकत्वपरिहारेण न किंचिदृश्यते । (પરસ્પર પરિહારલક્ષણ વિરોધની ક્ષેત્રમર્યાદા :)
4. [ હવે પ્રશ્ન થાય :] “કના અન્યત્ર અભાવને નિશ્ચય થાય ?” [ એને ઉત્તર :] જે નિયત વસ્તુના આકાર( = સ્વરૂ૫)રૂપ હોય તેને, અને નહિ કે અનિયત વસ્તુના આકારરૂ૫ હોય તેને; જેમ કે ક્ષત્વિ વગેરે [અનિયત એટલે કે સર્વ વસ્તુના આકારરૂપ હોઈ તેના અભાવને નિશ્ચય અન્યત્ર નહિ થાય ]; કારણ કે ક્ષણિકત એ નીલ આદિ સવ(=અનિયત)ના સ્વરૂપ = આકાર)રૂપ હોય છે, એથી નિયતના આકારરૂપ ન કહેવાય; કારણ કે ક્ષણિકત્વને પરિહરનારી કઈ પણ વસ્તુ જોવામાં આવતી નથી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org