________________
૧૪૨
ન્યાયબિન્દુ
શીતસ્પર્શને ઉત્પન્ન કરનારે થઈને, અન્ય શીતપશને જન્માવવાની તેની ] શક્તિને રોકીને [ છેવટે ] શીતસ્પરનો નિવતંક બને છે. એટલે વિરોધી પદાર્થ નિવર્તનારા પદાર્થના કારણની વિકલતા સાધનારો [ હોઈ, પ્રથમ ક્ષણે ] તે પદાર્થને ઉત્પન્ન કરનારુ કારણ [ -ધટક જ બની રહે છે. વળી [ આના અનુસંધાનમાં સ્પષ્ટ કરવું જોઈ એ કે] આ સહાનવસ્થાનરૂપ ( = વિરુદ્ધ ધર્મો એક સાથે ન રહી શકે તેવો) વિરોધ છે એટલે વિરુદ્ધ ધર્મોનું એક પણ ક્ષણ સહ-અવસ્થાન માનવાને અવકાશ નથી. [ અહીં એટલું સ્પષ્ટ કરવું જોઈએ કે ] એકબીજાથી દૂર રહેલા ધમેની વચ્ચે વિરોધ સંભવતો ન હોઈ નિકટ રહેલા વિરુદ્ધ ધર્મો વચ્ચે જ નિવલ્યનિવકભાવ –રૂપ વિરોધ ] સંભવી શકે.
4. तस्माद्यो यस्य निवर्तकः स त, यदि पर, तृतीये क्षणे निवर्त यति । प्रथमे क्षणे सन्निपतन्नसमर्थावस्थाधानायोग्या भवति । द्वितीये विरुद्धमसमर्थ' करोति । तृतीये त्वसमथे निवृत्त तद्देशमाक्रामति ।
4. આમ [ વિરોધી અન્ય પર કશી અસર પાડીને જ તેનો નિવક બનતો] હોવાને લીધે, જે ભાવ અન્ય ભાવને નિવતક હોય છે તે બહુમાં બહુ તો (=વહેલામાં વહેલા) ત્રીજી ક્ષણે તેને નિવૃત્ત કરે છે; [ તે આ રીતે : વિરોધી] પહેલી ક્ષણમાં [ અન્ય પદાર્થના ] સંપર્કમાં આવતી વખતે [તે પદાર્થમાં સ્વસદશ ક્ષણની ઉત્પત્તિ માટે ] અસમર્થ એવી અવસ્થાનું આધાન કરવા માટે [ જ ] યોગ્ય (= સમર્થ) હોય છે. બીજી ક્ષણમાં તે વિદ્ધને અસમર્થ કરે છે. ત્રીજી ક્ષણ, કે જ્યારે અસમર્થ [એવો શીતસ્પર્શ ] નિવૃત્ત થાય છે ત્યારે [ ઉષ્ણસ્પર્શ પતે ] તે સ્થાન પર કબજો જમાવે છે.
5 तत्रालाको गतिधर्मा क्रमेण जलतरङ्गन्यायेन देशमाक्रामन् यदाऽन्धकारनिरन्तरमालोकक्षणं जनयति, तदाऽऽलोकसमोपवर्तिनमन्धकारमसमर्थ जनयति । ततोऽसामर्थ्य तस्य; यस्य समीपवालोकः। असमर्थ निवृत्ते तद्देशो जायत आलोक इत्येवं क्रमेणालेोकेनान्धकारोऽपनेयः । तथोष्णस्पशेन शीतस्पर्शो निवर्तनीयः ।
(દ્વિવિધ આલેકના અંધકાર સાથેના વિરોધનું દષ્ટાંત :)
5. આ સ્થિતિમાં, [ અંધકારને નિવવનારા ગતિશીલ પ્રકાશના અને ત્યાં જ ઉત્પન થનાર પ્રકાશના વ્યાપારને તપાસીએ તો : ] ગતિશીલ હોય તે પ્રકાશ ક્રમશ: પાણીના તરગના ન્યાયે કોઈ સ્થળ પર આગળ વધતાં, જ્યારે અંધકાર પછી તરત આવતી પ્રકાશની ક્ષણ જન્માવે છે, ત્યારે [ પ્રથમ તો ] પેતાની નજીક આવેલા [ અન્ય અ ધકાર-ક્ષણ જન્માવવા ] અસમર્થ એવા અંધકારને જન્માવે છે. એટલે જે અંધકારની નજીકમાં પ્રકાશ [ પ ] હોય તે [ જ ] અંધકારમાં અસામ” ઉપન્ન થાય છે. અસમર્થ એવો અધકા૨ નિવૃત્ત થાય છે, ત્યારે પ્રકાશ તે સ્થાન ગ્રહણ કરે છે. આમ પ્રકાશ કેમ કરીને [૪] અંધકારને દૂર કરવાને. તે રીતે [ જ] ઉણસ્પર્શ શીતસ્પર્શને નિવારી શકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org