________________
તૃતીય પરિર છેઃ પરાથનુમાન ૧૩૭
૧૩s વીજળી ને આકાશની જેમ અથવા તો
ઘડાની જેમ. – આમાં અનિત્યસ્વરૂપ હેતુ સપક્ષના એક ભાગમાં [ જ ] (= સપક્ષનાં કેટલાંક ઉદાહરણોમાં જ) – જેમ કે વીજળી-આદિમાં – છે, ને [અન્ય પક્ષો, જેમ કે ] આકાશઆદિમાં નથી, અને પ્રયત્નાનન્તરીયક એવા [ ધટાદિ ] સર્વ વિપક્ષોમાં છે. આ
4. अनित्यत्वात्प्रयत्नानन्तरीयकः शब्दो घटवद्विवदाकाशवच्चेत्यनित्यत्वं विपक्षकदेशवृत्ति - विद्युड़ादावस्ति नाकाशादौ । सपक्षन्यापि, सर्वत्र प्रयत्नानन्तरीयके भावात् ।
4. ૩, શબ્દ પ્રયત્નાનન્તરીયક છે;
કારણ કે તે અનિત્ય છે: ઘડાની જેમ કે વીજળી ને આકાશની જેમ.
– આમાં અનિત્યસ્વરૂપ હેતુ વિપક્ષના એકદેશમાં જ છે – જેમ કે [ વિપક્ષનાં ] વીજળી ઇત્યાદિ ઉદાહરણોમાં છે ને [ વિપક્ષનાં ] આકાશાદિ ઉદાહરણમાં નથી, જ્યારે સપક્ષમાં એટલે કે પ્રયત્નાનન્તરીયક [ ધટાદિ ] પદાર્થોમાં બધે જ જોવા મળે છે.
5. नित्यः शब्दोऽमूर्तत्वादाकाशपरमाणुवकर्मघटवच्चेत्यमूर्तत्वमुभयैकदेशवृत्ति - उभयोरेकदेश आकाशे कर्मणि च वर्तते । परमाणौ तु सपक्षेकदेशे, घटादौ च विपक्षकदेशे न वर्तते । मूर्तत्वाटपरमाणुप्रभृतीनाम् । 5. ૪. શબ્દ નિત્ય છે.
કારણ કે તે અમૂત છે; આકાશ અને પરમાણુની જેમ અથવા તો કર્મ અને ઘડાની જેમ.
– આમાં અમૂર્ત સ્વરૂપ હેતુ સપક્ષ અને વિપક્ષ બંનેનાં કેટલાંક ઉદાહરણમાં છે? [ સપક્ષ એવા ] આકાશમાં અને [ વિપકા એવા ] કર્મમાં છે. [તેથી ઊલટું, સપક્ષના
એકદેશ એવા પરમાણુમાં તેમ જ વિપક્ષના એક દેશ એવા ધટાદિમાં [ તે હેતુ ] નથી. કારણ કે ધટ, પરમાણુ વગેરે મૂત છે[અમૂર્ત નથી. ]
6. नित्यास्तु परमाणवो वैशेषिकैरभ्युपगम्यन्ते । ततः सपक्षान्तर्गताः ।
6. [ આ ચેથા અનુમાનના અનુસંધાનમાં એટલે ખુલાસો ઉમેરવો જોઈએ કે] વૈશેષિકે વડે પરમાણુઓ નિત્ય મનાયા છે; તેથી તેમની દૃષ્ટિએ ] સપક્ષરૂપ છે. [ બૌદ્ધ દૃષ્ટિએ તેઓ અનિત્ય મનાયા હોઈ વિપક્ષ ગણાશે. ].
ન્યા. બિ. ૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org