SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયાબિન્દુ સાથેનું અવ્યભિચારિત્વ પણ નહિ સ્વીકારે; [ અને એથી એની અનુમાનના અપ્રામાણની પ્રતિતાને સ્વવચનથી બાધિત નહિ બતાવી શકાય. ] અને શબ્દ તે બાહ્ય વસ્તુની બીજાને પ્રતીતિ કરાવવા પ્રયોજાતો હોય છે, એથી વિકતા દ્વારા ] શબ્દનું અભિપ્રાય (= આશય કે પ્રજન) સાથેનું અવિનાભાવિત્વ (=અવ્યભિચારિત્વ) માની લઈને શબ્દપ્રયોગ કરાય છે તેમ કહી નહિ શકાય. 8. अपि च, न स्वाभियायनिवेदनाय शब्द उच्चार्यते, अपि तु बाह्यसत्त्वप्रतिपादनाय । तस्माद्बाह्यवस्त्वविनाभावित्वाभ्युपगमपूर्वकः शब्दप्रयोगः । ततः पूर्वकमेव ब्याख्यातमनवद्यम् ।। I 8. વળી શબ્દ કંઈ પોતાના [ સબ્દપ્રામાયશ્રદ્ધારૂપ ] આશયના નિવેદન અથે નથી ઉચ્ચારાતો; બાહ્ય વસ્તુના પ્રતિપાદન માટે ઉચ્ચારાય છે. તેથી [પાકે પાયે એટલું જ કહી શકાય કે ] શબ્દપ્રયોગ તે [ શબ્દના પિતાના ] બાહ્ય વસ્તુ સાથેના અવિનભાવિતવને માની લઈને થતો હોય છે. માટે [ શબ્દના ક૯પનાસિદ્ધ કાર્ય હેતુત્વને વિનિયોગ કરતું ] અગાઉનું [ અમારું ] અર્થધટન જ અદોષ છે. (૫૨) इति चत्वार: पक्षाभासा निराकृता भवन्ति ॥ ५३ ॥ આમ ચાર પક્ષાભાસોનું નિરસન કરાયું છે. (૫૩) 1. एव च सति --- अनिराकृतग्रहणेनानन्तरोक्ताश्चत्वारः पक्षवदाभासन्त इति पक्षाभासा निरस्ता भवन्ति ॥ 1. આમ હોવાથી અર્થાત [ પક્ષની વ્યાખ્યામાં સૂત્રકારે કરેલા ] “અનિરાકૃત' શબ્દના ઉપયોગથી હમણું કહેલા ચાર પક્ષાભાસે, કે જે માત્ર પક્ષ જેવો આભાસ ઉત્પન્ન કરે છે, [ પણ ખરેખર પક્ષ હોતા નથી, ] તેમનું નિરસન થાય છે. (૫૩) संप्रति पक्षलक्षणपदानि येषां व्यवच्छेदकानि तेषां व्यवच्छेदेन यादृशः पक्षार्थों लभ्यते तं दयितु व्यवच्छेद्यान् संक्षिप्य दर्शयति -- एवं सिद्धस्य, असिद्धस्यापि साधनत्वेनाभिमतस्य, स्वयवादिना तदा साधयितुमनिष्टस्य, उक्तमात्रस्य, निराकृतस्य च विपर्ययेण साध्यः। तेनैव स्वरूपेणाभिमतो वादिन इष्टोऽनिराकृतः पक्ष इति पक्षलक्षणमनवयं दर्शितं भवति ॥ ५४ ।। - હવે પક્ષની વ્યાખ્યાનાં પદ જે બાબતેને [પક્ષના ક્ષેત્રમાંથી ] બાદ કરે છે, તેમને બંદ કરતાં જે પક્ષાર્થ પ્રાપ્ત થાય તે બતાવવા, બાદ કરાતી બાબતેને એક સાથે [ ફરી] બતાવી જાય છે? આમ સિદ્ધના, અસિદ્ધ હોય તે પણ જે સાધનરૂપે અભિમત હોય તેના, તે વખતે સ્વયં વાદીને સાધવાને જે ઇષ્ટ ન હોય તેના, ઉતમાત્રના, કે નિરાકૃતના વિપર્યયથી સાધ્ય ( =પક્ષ ) [ નું સ્વરૂપ સમજવું]. તેટલાથી જ “ સ્વરૂપથી અભિમત, વાદીને ઈષ્ટ અને અનિરાકૃત હોય તે પક્ષ એવું પક્ષલક્ષણ અદેષ હેવાનું દર્શાવાઈ જાય છે. (૫૪ ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy