________________
તતીય પરિછેદ પરાથનુમાન
૧૫
4. આ રીતે [ પ્રતિજ્ઞાના] સ્વવચનથી [ જ ] અનુમિત થતા [ અનુયાના ] સત્ત્વ વડે તેના અસત્ત્વની વાત બાધિત થતી હોઈ [ ઉકત પક્ષ કે પ્રતિજ્ઞાવાક્યને ] સ્વવચનથી બાધિત કહેલ છે – એવો અર્થ અહી સમજવાનું છે. ( ઉક્ત પક્ષની વવચનવરાધિતાની એક અન્ય સમજૂતી અને તેની અયોગ્યતા:)
5, અન્ય હાદુર અમિપ્રયાઇક્વા જ્ઞાંત રાનમgવાઢષ્ણનમ્ | સનિષ્ઠતઃ शब्दप्रयोगः । तेनाप्रमाण्य प्रतिज्ञात बाध्यत इति ।
5. હવે, [ આ સૂત્રની વ્યાખ્યા કરનારા ] બીજાઓ કહે છે : શબ્દ તે [ વક્તાના કઈ ને કોઈ ] અભિપ્રાય (=ઉદ્દેશ્ય કે પ્રજન)ના કાર્ય(=પરિણામ)રૂપ હોય છે, તેથી શબ્દજનિત જ્ઞાન દ્વારા [ વક્તાન વયનોચ્ચારણ પાછળના ] અભિપ્રાયનું ગ્રહણ થાય છે, હવે વકતા “[ પોતાનું વચન ] સત અર્થવાળું [ બની રહે તેમ ] છછીને શબ્દપ્રયોગ કરે છે, [ તેથી તેના શબ્દ દ્વારા, “મારુ વચન સત્યાર્થગ્રાહક બને” એવા તેના અભિપ્રાયનું ગ્રહણ થતું હોય છે એમ કહી શકાય. એ રીતે શાબ્દધને ગ્રાહ્ય વિષય સત હોવાનું ફલિત થાય છે તે પછી [ “અનુમાન પ્રમાણ નથી એ વાક્ય દ્વારા ] પ્રતિપાદિત કરેલું અનુમાનનું અપ્રામાય નભી શકશે નહિ; [ કારણ કે વકતાના શબ્દમાંથી ફલિત થતા તેના અભિપ્રાય મુજબ તે શબ્દબોધ, કે જે અનુમાનને જ એક પ્રકાર છે, તેને ગ્રાહ્ય વિષય સત ઠરે છે; એટલે કે શાબ્દબોધરૂપ અનુમાન તે પ્રમાણ કરે છે.]
___6, तदयुक्तम् । यत इह प्रतीतेः स्वभावहेतुत्व स्ववचनस्य च कार्यहेतुत्व कल्पितमिष्टम्, न वास्तवम् । अभिप्रायकार्यत्वं च वास्तवमेव शब्दस्य । ततस्तदिह न गृह्यते ।
6. આ અર્થધટન એગ્ય નથી. આનું કારણુ આમ છે : [ એ ધ્યાનમાં રહે કે ] અહીં [ “શશી ચદ્ર નથી ' જેવા પક્ષની પ્રતીતિનિરાકૃતતા અને “અનુમાન પ્રમાણ નથી” જેવા પક્ષની સ્વવચનવિધતા યથાર્થ રીતે સિદ્ધ કરવા માટે, અનુક્રમે ] પ્રતીતિને જે સ્વભાવહેતુ તરીકે અને સ્વવચનને જે કાર્ય હેતુ તરીકે રજૂ કરાય છે તે [ ઉભય હેતુનાં, અનુક્રમે, સ્વભાવરૂપ સાય અને કારણરૂપ સાધ્ય ] કલ્પનાથી સિદ્ધ હોય તે ઈષ્ટ છે, વાસ્તવિક [ પ્રકારનાં ] હોય તે ઈષ્ટ નથી. જ્યારે [ ઉક્ત અર્થધટનમાં રજૂ થયેલું ] શબ્દનું અભિપ્રાયકાયત્વ તે વાસ્તવિક છે, તેથી તે અહીં ધ્યાનમાં લેવાનું નથી.
7, કિં શૈ, યથાડનુમાનમનિચ્છનું દૂમિવાર ધૂમય ન ગતિ, તથા રીન્દ્રાभिप्रायाव्यभिचारित्व न प्रत्येष्यति । बाह्यवस्तुप्रत्यायनाय च शब्दः प्रयुज्यते । तन्न शब्दस्याभिप्रायाविनामावित्वाभ्युपगपूर्वकः शब्दप्रयोगः । .
7. વળી [ ઉક્ત સ્વવચનનિરાકૃત પક્ષના સંદર્ભમાં જ વાત કરીએ તો, ઉપયુકત બીજુ અર્થઘટન ઉકત પક્ષની સ્વવચનવિધિતા સિદ્ધ કરવામાં નિષ્ફળ જશે તેનું વધારે સબળ કારણ એ કે જે વ્યક્તિ અનુમાનને [પ્રમાણ તરીકે માનવા ] નથી ઈચ્છતી તે તે જેમ ધુમાડાનું અગ્નિ સાથેનું વ્યભિચારિત્વ સ્વીકારવા તૈયાર નથી, તેમ શબ્દનું અભિપ્રાય
Jain Education International
For Private & Personal Use Only
- www.jainelibrary.org