________________
ન્યાયબિન્દુ કરે.] ખરેખર તો, કોઈ માણસ “હું બધું મિથ્યા બેસું છું” એવું વાક્ય બેલે ત્યારે પણ [ઉપયુક્ત ન્યાયે તે “[ કમસે કમ ] આ વાક્ય સત્યરૂ૫ અર્થવાળું છે' એવા અભિપ્રાથથી જ તેને ઉચ્ચારે; [ કારણ કે ] જે એને એ વાર્થ સત્ય અથવાળું અભિપ્રેત હોય તે જ [ તે વાક્ય દ્વારા પોતાનાં અન્ય વાક્યો અસત્ય અર્થવાળાં હોવાનું બતાવી શકાય. એથી ઊલટું, જે એ વાકયે જ અસત્યાર્થ હોય તે અન્ય વાક્યો અસત્યાર્થ હોવાનું ન બતાવી શકાય; અને તે “ઉચ્ચારણનું કશું ફળ નથી” એમ કરી તે વ્યક્તિ વાક્ય ઉચ્ચારે જ નહિ. તેથી, નાકમાંથી જન્મતું વાક્યાર્થવિષયક જ્ઞાન સત્યાર્થક હોવાનું સ્વીકારીને જ વક્તા વાક્ય ઉચ્ચારતા હોય છે; [વક્તા એ આવશ્યક્તામાંથી છટકી શકે તેમ નથી.]
2. तथा च सति बाह्यवस्तुनान्तरीयक शब्द दश यता शब्दज विज्ञान सत्यार्थ दशयितव्यम् । ततो बाह्यार्थ कार्याच्छन्दादुत्पन्नं विज्ञानं सत्यार्थ मादर्शयता कार्य लिङ्गजमनुनानं प्रमाण शाब्द दर्शित भवति ।
- 2, હવે આનો અર્થ એ થાય કે વક્તા જે “શબ્દ તે બાહ્ય અર્થ સાથે, [ તેના કાર્યા. રૂપે, ] અવિનાભાવી હોય છે તે વાતને સ્વીકાર કરે તે જ તેને માટે શબ્દજનિત જ્ઞાનની સત્યાર્થતા દર્શાવવાનું શક્ય બને. [ હવે શબ્દનો અર્થ સાથે આ અવિનાભાવ બતાવવા શબ્દને બાહ્ય પદાર્થને કાયરૂપ માનવો પડશે, અને પછી જ ] તેવા શબ્દમાંથી ઉત્પન્ન થતું જ્ઞાન સત્યરૂપ બતાવી શકાશે. હવે એ વાતને સ્વીકાર કરતાં જ “શાબ્દબોધ એ [ શબ્દરૂપી કાર્યલિંગમાંથી પ્રવતતું અનુમાન પ્રમાણ જ છે” એ [ આપોઆ૫] બતાવાઈ જાય છે.
3 तस्मात् 'नानुमान प्रमाणम्' इति ब्रुवता शाब्दस्य प्रत्ययस्यान्ना ग्राह्य उक्तः । असदत्वमेव ह्यप्रामाण्यमुच्यते, नान्यत् । शब्दोच्चारणसामर्थ्याच्चाविनाभावी स्वशब्दो दर्शितः । तथा च सन्नथो' दर्शितः । ततः कल्पित्तादर्थ कार्यांच्छब्दाच्छाब्दप्रत्ययार्थस्यानुमितं सत्त्व प्रतिज्ञायमानमसत्त्व प्रेतिबध्नाति।
3. આથી [ એક બાજુ ] “ અનુમાન પ્રમાણુ નથી” એમ કહેતાં શબ્દજ પ્રતીતિ [ જે એક પ્રકારનું અનુમાનજ્ઞાન છે,] તેનાથી ગ્રાહ્ય અર્થ અસત છે એવું ફલિત થાય છે, કારણ કે [ કે જ્ઞાનનું] પ્રમાણરૂપ ન હોવું એને અર્થ “તે [ જ્ઞાનથી ગ્રાહ્ય ] અર્થ અસત છે ” એમ થાય, બીજે નહિ. અને [ બીજી બાજુ ઉપયુક્ત ] શબ્દોનું ઉચ્ચારણ કર્યું તેમાંથી જ [હમણું જ સમજાવ્યા મુજબ, ] “પોતાના શબ્દ અર્થ સાથે અવિનાભાવવાળા છે તે [ વક્તાનો ] ગર્ભિત આશય [ અનિવાર્ય રૂપે] પ્રગટ થાય છે, અને તે રીતે [ એ શબ્દોને ગ્રાહ્ય ] અથ સંત હોવાનું બતાવ્યું ગણાય. આમ, [ અશાબ્દ અથ પર શાખતાના ] અધ્યારોપને લીધે, [ પોતાના વિષયભૂત] પદાર્થના કાર્યરૂપે ગ્રહણ કરાતા શબ્દમાંથી (અર્થાત શબ્દને લિંગરૂપ માનીને ) તજનિત પ્રતીતિ સાથે સંકળાયેલા અથનું અનુમિત થતું સત્ત્વ તે [ ઉક્ત ] પ્રતિજ્ઞામાંથી [ આવાંતર રૂપે ] ફલિત થતા [ શાબ્દપ્રત્યયગ્રાહ્ય અર્થના ] અસત્ત્વની વાત ]ને ટકવા દેતું નથી.
4. तदेवं स्ववचनानुमितेन सत्वेनासत्व' बाध्यमान स्ववचनेन बाधितमुक्तमित्ययमत्राथः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org