________________
તૃતીય પરિછેદ પરાથનુમાન
૧૧૭ 2. यद्येवं वादिन इष्टः साध्य इत्युक्तम् । एतेन च किमुक्तेन ? अतेन तदा वादकाले तेन वादिना स्वयं यो धर्मः साधयितुमिष्टः स एव साध्यो नेतरो धर्म इत्युक्तं भवति । वादिनोऽनिष्टधर्मसाध्यत्वनिवर्तनमस्य वचनस्य फलमिति यावत् ॥
પૂછવાનું મન થાય : ] “આમ હોય તો [સરવાળે ] કહેવાયું તો એટલું જ ને કે જે વાદીને ઈષ્ટ હોય તે સાધ્ય (=પક્ષ) ? પણ આમ કહેવાથી શું સયું ?” [ આને ઉત્તર : ] વાદના પ્રસંગે તે વાદીને પોતાને જે ધર્મ સાધવો ઈષ્ટ હોય તેને જ સાધ્ય ગણ, બીજે નહિ – એવું આ દ્વારા કહેવાયું છે. એટલે આ વિશેષણમાંથી, વાદીને પોતાને અનિષ્ટ એવા ધમને [ પણ ] સાધ્ય માની લેવાનો નિષેધ ફલિત થાય છે. [ માટે “સ્વયં” શબ્દનો ઉપયોગ પણ અગત્યને કરે છે. ] (૪૩)
अथ कस्मिन्सत्यन्यधर्मसाध्यत्वस्य संभवो यन्निवृत्त्यर्थं तद् वक्तव्यमित्याह - ___एतेन - यद्यपि क्वचिच्छास्त्रे स्थितः साधनमाह, तच्छास्रकारेण तस्मिन्धर्मिण्यनेकधर्माभ्युपगमेऽपि यस्तदा तेन वादिना धर्मः स्वय साधयितुमिष्टः, स एव साध्यो नेतर इत्युक्त भवति ॥४४॥
[તે વળી પ્રશ્ન થાય : ] “તે હવે કેવા સંજોગોમાં અન્ય ધર્મને પણ સાધ્ય માની લેવાને સંભવ રહે છે, કે જેથી તેને અટકાવવા માટે ઉપર કહેલું વિધાન જરૂરી બને છે ? '' એટલે કહે છે :
[કોઈ વાદી] ભલે કઈક શાસ્ત્રનું અવલંબન કરીને કેઈ સાધ્યની સિદ્ધિ માટે ] સાધન કહે, અને ભલે તે શાસ્ત્રના [મૂળ] પ્રવર્તકે તે ધમી વિષે અનેક ધર્મો માનેલા હેય, પરંતુ તે વખતે તે વાદી પોતે જ જે ધર્મ સાધવા ઈચ્છતો હોય તે જ સાધ્ય, અન્ય નહિ – એવું આ [ પક્ષની વ્યાખ્યાથી કહેવાય છે. (૪૪)
1. तच्छास्त्रकारेणेति । यच्छास्त्र तेन वादिनाऽभ्युपगत तच्छास्त्रकारेण तस्मिन्माध्यमिणि अनेकस्य धर्मस्याभ्युपगमे सति अन्यधर्मसाध्यत्वसंभवः । तथा हि -- शास्त्रं येनाभ्युपगतं तत्सिद्धा धर्मः सर्व एव तेन साध्य इत्यस्ति विप्रतिपत्तिः । अनेनापास्यते । अनेकधर्माभ्युपगमेऽपि सति स एव साध्या या वादिन इष्टो नान्य इति ।
1. તે વાદીએ જે શાસ્ત્રને અંગીકાર કર્યો હોય તેમાં, [ કેઈક પ્રસંગે ચર્ચાતા ] કેઈક સાધમ વિષે અનેક ધર્મોને સ્વીકાર તે શાસ્ત્રના [ મૂળ ] પ્રવર્તકે કર્યો હોઈ શકે. એને લીધે તે ધમી વિષે, [ વાદી જેના પ્રત્યે તટસ્થ હોય, પણ મૂળ શાસ્ત્રકારે સ્વીકાર્યા હોય તેવા અન્ય] ધર્મોને પણ સાધ્ય માની લેવાની શક્યતા રહે છે – વિશેષે એટલા માટે કે કઈ વાદીએ અમુક શાસ્ત્ર સ્વીકાર્યું હોય એટલે તેમાં [ મૂળ શાસ્ત્રકારે, અમુક ધમમાં ] સિદ્ધ કરેલા બધા ધર્મો તે વાદીને પણ સાધ્ય તરીકે અભિપ્રેત હોવા જ જોઈએ ' એવું પણ કેટલાક માની લેતા હોય છે. [ એવા મંતવ્યનું પક્ષની વ્યાખ્યામાંના ] “સ્વયં” શબ્દથી ખંડન કરાય છે. [ એટલે મૂળ શાસ્ત્રકાર વડે ] અનેક ધર્મો મનાયા હોય તો યે તે જ ધર્મ સાધ્ય ગણાય, જે વાદીને ઇષ્ટ હોય; અન્ય કોઈ ધર્મ નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org