________________
ન્યાયબિન્દુ 3. [‘ઉત્પત્તિવાળું' એ શબ્દથી હેતુના સ્વભાવભૂત ધમને જ ભેદથી ઉલેખીને હેતુ કહેવાય છે તે આ રીતે ? ] ‘ઉત્પત્તિવાળું' એ વિશેષણ દ્વારા જે કાંઈ અનુત્પન્ન હોય તેમનાથી વ્યાવૃત્તિ કપીને (એટલે કે તેમના સ્વરૂપથી આને અલગ તારવીને) [‘ઉત્પત્તિવાળું' એ શબ્દ દ્વારા] “ઉત્પન્ન થયેલ ભાવ” એવો ઉલ્લેખ થયો છે. તે જ વ્યાવૃત્તિને જ્યારે બીજી વ્યાવૃત્તિથી નિરપેક્ષ બતાવવી હોય છે ત્યારે, ભિાવમાત્ર ઉ૫ત્તિથી અભિન્ન હોવા છતાં] જાણે કે [ભાવ અને પત્તિ એ બે ધર્મો વચ્ચે ભેદ હોય તે રીતે આમ પ્રયોગ કરાય છે : “ભાવની ઉત્પત્તિ'. તો અહીં [પત્તિ તે વાસ્તવમાં ભાવથી અલગ ન હોવા છતાં તેનાથી તે જાણે કે અલગ હોય તેમ “ઉત્પત્તિવાળું' એ શબ્દ દ્વારા વસ્તુને ઉત્પત્તિથી વિશિષ્ટ કહેલી છે. આમ [આ ઉદાહરણમાં] જે ધમ ખરેખર [હેતુ સાથે નિત્ય સંકળાયેલ] સ્વભાવ છે તે ધર્મને [હેતુથી] ભિન્ન [અને તેથી જાણે કે આગંતુક હોય તેવો] ક૯પ છે અને તેને હેતુના] વિશેષણરૂપે મૂક્યો છે. આમ વિશિષ્ટ સ્વભાવહેતુને પ્રયોગ અહીં કરાયો છે. (૧૦)
यत्कृतकं तदनित्यमित्युपाधिभेदेन ॥ ११ ॥
જે કૃતક તે અનિત્ય' – એમ ઉપાધિભેદથી; (૧૧) 1. यत्कृतकमिति कृतकत्वमनूद्यानित्यत्वं विधीयत इति अनित्यत्वे नियतं कृतकत्वमुक्तम् । अतो व्याप्तिरनित्यत्वेन कृतकत्वस्य दर्शिता ।
1[ઉક્ત વ્યાપ્તિવાક્યમાં] કૃતકત્વને અનુવાદ કરીને અનિત્યત્વનું વિધાન કરવામાં આવ્યું છે. અર્થાત કૃતકત્વ તે અનિત્યત્વ સાથે નિયત છે તેમ કહેવાયું છે. બીજા શબ્દોમાં : અનિત્યત્વની ક્તત્વ વિષે વ્યાપ્તિ દર્શાવાઈ છે.
12. ઉપાધિમેન માવા રૂતિ સંગ્રાઃ | ૩ધિર્વિષાકૂ ા ત મેન મિનોपाधिना विशिष्टः स्वभावः प्रयुक्त इत्यर्थः ।
2“ઉપાધિભેદથી” એ શબ્દ પછી આગલા સૂત્રના “સ્વભાવને પ્રયોગ [એ શબ્દ –] ને સંબંધ જોડવાનો છે. “ઉપાધિ એટલે વિશેષણ. તે (=ઉપાધિ)ના ભેદથી એટલે કે ભિન ઉપાધિથી વિશિષ્ટ એવા સ્વભાવહેતુને અહીં પ્રયોગ કરાયો છે એવો અર્થ થયો.
3. इह , कदाचिच्छुद्ध एवार्थ उच्यते, कदाचित् अव्यतिरिक्तेन विशेषणेन विशिष्टः, कदाचित् व्यतिरिक्तेन । देवदत्तः इति शुद्धः, लम्बकर्ण इत्यभिन्नकर्णद्वयविशिष्टः, चित्रगुरिति व्यतिस्तिचित्रगवीविशिष्टः । तद्वत् सत्त्वं शुद्धम्, उत्पत्तिमत्त्वमव्यतिरिक्तविशेषणम् , कृतकत्वं व्यतिरिक्तविशेषणम् ॥
3. છિલ્લાં ત્રણ સૂત્રોમાં સ્વાભાવિહેતુના જે ત્રણ પ્રકારે બતાવાયા તેને પરસ્પર ભેદ જોઈએ તો ? ] આ [પરાથનુમાન]માં ક્યારેક શુદ્ધ (= વિશેષણરહિત) પદાર્થને જ [સ્વભાવહેતુ તરીકે] ઉલેખ થાય છે, ક્યારેક હેતુના પોતાના સ્વરૂપથી] ભિન્ન નહિ એવા [ધર્મના વાચક] વિશેષણથી વિશિષ્ટ પદાર્થનો પ્રયોગ અને ક્યારેક [હેતુને પોતાનાથી ભિન્ન [પદાર્થ પર આધારિત] વિશેષણથી વિશિષ્ટ પદાર્થને પ્રયોગ [આ ત્રણ પ્રકારના ઉલલેખની ભિન્નતા સમજવા સાદું ઉદાહરણ લઈએ :] ‘દેવદત્ત” એ કઈક વ્યક્તિ શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org