SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ તૃતીય પરિચ્છેદ : પરાર્થનુમાન સમારો૫ કરાય છે. તો એ સમાપ–ક્રિયાને કારણે, કારણભૂત એવા વચનને [પણ] અનુમાન તરીકે ઓળખવામાં આવે છે. [આમ આટલી વાત સ્પષ્ટ થાય છે કે વચન એ ઉપચાર(=લક્ષણા)થી અનુમાન છે, મુખ્ય રૂપે (=અભિધાશક્તિથી) અનુમાન નથી. 2. न यावत्किंचिदुपचारादनुमानशब्देन वक्तुं शक्यं तावत्सर्व व्याख्येयम् । किं स्वनुमान व्याख्यातुकामेनानुमानस्वरूपस्य व्याख्येयत्वात् निमित्तं व्याख्येयम् । निमित्तं च त्रिरूपं लिङ्गम् । तच्च स्वयं वा प्रतीतमनुमानस्य निमित्तं भवति, परेण वा प्रतिपादितम् भवति । तस्मात् लिङ्गस्य स्वरूपं च व्याख्येयं, तत्प्रतिपादकश्च शब्दः । तत्र स्वरूपं स्वार्थानुमाने व्याख्यातम् । प्रतिपादक श्च शब्द इह व्याख्येयः । ततः प्रतिपादकं शब्दमवश्यं वक्तव्यं दर्शयन्ननुमानशब्देनोक्तवानाचार्य इति परमार्थः ॥ 2. પણ [આનો અર્થ] એમ નહિ કે જે કંઈ ઉપચારથી “અનુમાન” શબ્દથી ઓળખાઈ શકે તે બધાનુ આ ગ્રંથમાં નિરૂપણ કરવામાં આવશે. [એ પૈકી ખાસ પસંદ કરીને ત્રિરૂપલિંગના વચનની આ ગ્રંથમાં વ્યાખ્યા કરવામાં આવે છે; કારણ કે ગ્રંથકારના મુખ્ય હેતુ સાથે એને આ રીતે સંબંધ છે] ગ્રંથાર અનુમાનનું વિવરણ કરવા માગે છે. એથી એમને અનુમાનનું સ્વરૂપ કહેવું પડે; અને [તેના અનુસંધાનમાં અનુમાનના] નિમિત્તનું પણ સ્પષ્ટીકરણ કરવું ઘટે. હવે અનુમાનનું નિમિત્ત તે ત્રિરૂપ લિંગ છે. તે ત્રિરૂપ લિંગ કાં તે જાતે પ્રતીત થતાં, અનુમાનનું નિમિત્ત બને અથવા તો બીજાથી પ્રતિપાદિત થયેલું હોય તે પણ નિમિત્ત બને. [આમ ત્રિરૂપ લિંગનો બોધ પિતાના મનથી અથવા તે અન્યના વચનથી એમ બે રીતે થવો શકય છે.] આ [બને શકયતાને આવરી લેવા) માટે લિંગના સ્વરૂપની પણ વ્યાખ્યા કરવી ઘટે અને તેનું પ્રતિપાદન કરનારા વચન શબ્દની પણ. હવે લિંગના સ્વરૂપની વ્યાખ્યા સ્વાર્થનુમાનપરિચ્છેદમાં કરી; જ્યારે તેના પ્રતિપાદક શબ્દની ચર્ચા આ પરિ. છેદમાં કરવામાં આવશે. આમ લિંગપ્રતિપાદક શબ્દ પણ [ઉપચાર દ્વારા] “અનુમાન” શબ્દથી ઓળખાવવા પાછળ આચાર્યને ગૂઢ આશય, [અનુમાનની ચર્ચાના ભાગરૂપે ત્રિરૂપ લિંગના પ્રતિપાદક શબ્દની ચર્ચા પણ અવશ્ય કરવી જોઈએ એવું સૂચવવાને જણાય છે. (૨) परार्थानुमानस्य प्रकारभेदं दर्शयितुमाह - तद् द्विविधम् ॥ ३ ॥ પરાથનુમાનના પ્રકારે બતાવવા માટે કહે છે : તે દ્વિવિધ છે – (૩) 1. तद् द्विविधमिति । तदिति परार्थानुमानम् । द्वौ विधौ प्रकारौ यस्य तत् द्विविधम् ॥ 1. તે એટલે પરાર્થાનુમાનદ્વિવિધ એટલે બે ‘વિધા” (=પ્રકાર) છે જેની તે. (૩) कुतो द्विविधमित्याह પ્રજાનું ક | દ્વિવિધ શા કારણે છે ? – તે કહે છે ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy