________________
માયબિન્દુ કારણ કે પ્રમાણની નિવૃત્તિની દિશામાં પણ અર્ધાભાવની સિદ્ધિ
થતી નથી. (૪૮) ( ‘ન્યાયબિન્દુનો બીજો સ્વાર્થીનુમાનપરિચછેદ સમાપ્ત.) 1. प्रमाणनिवृत्तावपीत्यादि । कारणं व्यापकं च निवर्तमान कार्य व्याप्यं च निवर्तयेत् । न च प्रमाणं प्रमेयस्य कारणं नापि व्यापकम् । अतः प्रमाणयोर्निवृत्तावप्यर्थस्य प्रमेयस्य निवृत्तिन सिध्यति । ततोऽसिद्धेः संशयहेतुरदृश्यानुपलब्धिः, न निश्चयहेतुः ।
1. કારણ અથવા વ્યાપક નિવૃત્ત થાય (= ન હોય) ત્યારે અનુક્રમે કાર્ય કે વ્યાયની નિવૃત્તિ સિદ્ધ થાય. [આ નિયમના સંદર્ભમાં પ્રમાણ–પ્રમેયભાવ તપાસીએ તે પ્રમાણુ ન તો પ્રમેયનુ કારણ છે કે ન તો પ્રમેચનું વ્યાપક. આથી [પ્રત્યક્ષ અને અનુમાન એ] બંને પ્રમાણની નિવૃત્તિના પ્રસંગે પણ અર્થ એટલે કે પ્રમેયની નિવૃત્તિને સ્વીકાર કરવાનું આવી પડતું નથી. આ કારણે અદશ્યાનુપલબ્ધિ[રૂપ પ્રમાણુનિવૃત્તિ] તે સંશયનું કારણ છે અને નહિ કે નિશ્ચયનું કારણ [એમ આગલા સૂત્રમાં કહ્યું છે]
2. यत्पुनः प्रमाणसत्तया प्रमेयसत्ता सिध्यति, तद्युक्तम् । प्रमेयकायें हि प्रमाणम् । न च कारणमन्तरेण कार्यमस्ति । न च कारणान्यवश्यं कार्यवन्ति भवन्ति । तस्मात् प्रमाणात् प्रमेयसत्ता व्यवस्थाप्या, न प्रमाणाभावात् प्रमेयाभावव्यवस्थेति ।।
2. બીજી બાજુ [તમારા પ્રશ્નના પૂર્વાર્ધમાં તમે જે કહ્યું કે પ્રમાણુની સત્તાથી પ્રમેયની સત્તા સિદ્ધ થાય – તે વાત બરોબર છે; કારણ કે પ્રમાણ એ પ્રમેયનું કાર્ય છે [અને નહિ કે પ્રમેયનું કારણ]. અને કાર્ય તે કારણ વગર હેય નહિ [એ ન્યાયે પ્રમેયરૂપ કારણ ન હોય તે પ્રમાણરૂપ કાર્ય પણ ન જ હોય. એને જ અર્થ એ કે પ્રમાણુરૂપ કાર્ય હેય એટલે પ્રમેયરૂપ કારણનું હોવાનું અનિવાર્ય બની જાય છે. પણ [તથી ઊલટું,] કારણે કંઈ અવશ્ય કાર્યથી યુક્ત હોતાં નથી, [એ ન્યાયે પ્રમેયરૂપી કારણ હોય એટલે પ્રમાણરૂપી કાય અવશ્ય હોય જ એવો નિયમ પણ હોઈ શકે નહિ. આમ પ્રમાણથી પ્રમેયની સત્તાની વ્યવસ્થા (= નિર્ણય) થાય છે, પરંતુ પ્રમાણના અભાવથી કંઈ પ્રમેયના અભાવની વ્યવસ્થા થઈ શક્તી નથી. (૪૮)
॥ आचार्यधर्मोत्तरकृतायां न्यायबिन्दुटीकायां स्वार्थानुमाने
દ્વિતીય છેઃ | (આચાર્યધર્મોત્તરરચિત “ન્યાયબિન્દુટીકામાં સ્વાર્થનુમાન અંગે
દ્વિતીય પરિચ્છેદ સમાપ્ત.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org