SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ન્યાયબિન્દુ 3. કેઈ ધરે કંપ વગરના સુવિસ્તૃત જળથી ભરેલું હોય, તેની ચોપાસ હેમન્ત ઋતુમાં જોવા મળતું ધુમ્મસ હોય અને સાયંકાળનું આછું અંધારું હોય ત્યારે તે ધરા ઉપર કદાચ ધુમાડો હોય તે પણ દેખાય નહિ એવી સ્થિતિ સર્જાય છે. તે વખતે ઉક્ત કારણનુપલબ્ધિના પ્રયોગથી ત્યાં ધુમાડાનો અભાવ સ્થાપવામાં આવે છે. અગ્નિ તા, જે તે જળ ઉપર તરતો હોય ને વાળાવાળો હોય તો, એના વિશેષ રૂપથી જ, [ધુમ્મસ હોવા છતાં દેખાય. ને કદાચ જે ત્યાં અગ્નિ વાળા વિનાનો હોય તો ઇંધણની અંદર હોય; તે અગ્નિના અધિકરણરૂપ ઈધણ તો પ્રત્યક્ષ કળાય જ. આ રીતે અગ્નિ કાં તે [જવાળાવાળા] સ્વરૂપે, કાં તો આધારરૂપે પણ દેખાયા વગર રહે નહિ. આવી સ્થિતિમાં અને પ્રયોગ કરાય. (૩૯) कारणविरुद्धोपलब्धिर्यथा - नास्य रोमहर्षादिविशेषा:, संनिहितदहनविशेषत्वादिति ॥ ४० ॥ કારણવિરુદ્ધોપલબ્ધિ [એ દસમે પ્રકાર છે; જેમ કે : આને વિશિષ્ટ પ્રકારના મહર્ષાદિ ન હોય; કારણ કે વિશિષ્ટ અગ્નિ તેની પાસે જ છે. (૪૦) 1. प्रतिषेध्यस्य यत्कारणं तस्य यद्विरुद्धं तस्योपलब्धेरुदाहरणम् – यथेति । अस्येति धर्मी । रोग्णां हर्षः उभेदः । स आदिWषां दन्तवीणादीनां शीतकृतानां, ते विशिष्यन्ते तदन्येभ्यो भयश्रद्धादिकृतेभ्य इति रोमहर्षादिविशेषाः । ते न सन्तीति साध्यम् । दहनः एव विशिष्यते तदन्यस्मादहनाच्छीतनिवर्तनसामर्थ्येनेति दहनविशेषः । कश्चिद्दहनः सन्नपि न शीतनिवर्तनक्षमो, यथो प्रदीपः । तादृशनिवृत्तये विशेषग्रहणम् । सन्निहितो दहनविशेषो यस्य स तथोक्तः । तस्य भावः, तस्मादिति हेतुः । 1, પ્રતિષેધનું જે કારણ હોય તેનાથી જે વિરુદ્ધ હોય તેની ઉપલબ્ધિનું ઉદાહરણ અહીં અપાયું છે. “આને' એ શબ્દ દ્વારા ધર્મને નિદેશ છે. રોમહર્ષ એ જેમાં મુખ્ય છે તેવા અન્ય ધર્મો એટલે ઠંડીથી દાંત કટકટાવવા વગેરે. મહર્ષાદિને “વિશિષ્ટ' વિશેષણ લગાડીને ભય, હર્ષ આદિથી થતા રોમાંચ વગેરેને અલગ રાખ્યા છે (અર્થાત ઠંડીથી થતા મહષાદિ જ અહીં સમજવાના છે). તો આવા વિશિષ્ટ મર્યાદિને અભાવ સાધ્ય છે. અગ્નિના વિશેષણરૂપ “વિશિષ્ટ શબ્દથી અગ્નિને શૈત્ય દૂર કરવાના સામર્થવાળ સૂચવવા. ધાર્યો છે, કારણ કે કોઈ અગ્નિ એવો પણ હોય જે ઠંડી દૂર કરી ન શકે -જેમ કે દી. તેવા અગ્નિને બાદ રાખવા “વિશિષ્ટ' એવું વિશેષણ લગાડયું છે. આવા વિશિષ્ટ અમિનું સામીપ્ય તે હેતુ છે. 2. यत्र शीतस्पर्शः सन्नप्यदृश्यो रोमहर्षादिविशेषाश्चादृश्याः, तत्रायं प्रयोगः । रोमहर्षादिविशेषस्य दृश्यत्वे दृश्यानुपलब्धिः प्रयोक्तव्या । शीतस्पर्शस्य दृश्यत्वे कारणानुपलब्धिः । 2. જ્યાં શૈત્યને સ્પર્શ અને વિશિષ્ટ રોમહર્ષાદિ બંને, હોય છે કે પરોક્ષ રહેતા હેય. ત્યાં આ પ્રયોગ થશે. જે વિશિષ્ટ રોમહદિ પ્રત્યક્ષ થતાં હોય તો સ્વભાવાનુપલબ્ધિને પ્રયાગ જ કરો પર્યાપ્ત થાય; ને શીતને સ્પર્શ પ્રત્યક્ષ હોય તે કારણુનુપલબ્ધિને પ્રયોગ કરાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004622
Book TitleNyayabindu
Original Sutra AuthorDharmakirti
AuthorNitin R Desai
PublisherL D Indology Ahmedabad
Publication Year1991
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy